શું છે Personality Rights, જેના માટે અમિતાભ બચ્ચન પહોંચ્યા દિલ્હી હાઈકોર્ટ?
બોલિવૂડના બિગ બી અમિતાભ બચ્ચન (Amitabh Bacchan) એવા લોકોથી નારાજ છે, જેઓ તેમની પર્સાનાલિટીનો ઉપયોગ તેમની પરવાનગી વિના તેમના વ્યવસાય અથવા અન્ય વસ્તુઓને પ્રમોટ કરવા માટે કરે છે.
બોલીવુડના દિગ્ગજ અમિતાભ બચ્ચને દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમના ફોટો, નામ, અવાજ સહિત તેમની પર્સાનાલિટીનો ઉપયોગ સામે અરજી કરી છે. અરજીમાં તેમને કહ્યું છે કે તેમની સંમતિ વિના તેમનો અવાજ, તસવીર વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ. આ એક ઓનલાઈન લોટરીમાં કરવામાં આવી રહ્યું છે, જે તેના લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિ સાથે ગેરકાયદેસર રીતે જોડાઈ રહી છે.
અરજીમાં પુસ્તક વિક્રેતાઓ, ટી-શર્ટ વેન્ડર અને અન્ય વ્યવસાયોમાં પણ અમિતાભ બચ્ચનના નામ અને ફોટાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. અમિતાભ તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. સાલ્વેએ પર્સાનાલિટી રાઈટ્સનો હવાલો આપ્યો, જેના માટે દિલ્હી હાઈકોર્ટ સંમત થઈ. કોર્ટે બચ્ચનના પર્સાનાલિટી રાઈટ્સનું રક્ષણ કરવા માટે વચગાળાનો આદેશ પસાર કર્યો છે. ચાલો જાણીએ કે આખરે વ્યક્તિત્વ અધિકાર શું છે.
IPC અને પર્સાનાલિટી રાઈટ્સ
આઈપીસી એટલે કે ભારતીય દંડ સંહિતામાં પર્સાનાલિટી રાઈટ્સ અંગેનો કાયદો બહુ સ્પષ્ટ નથી. તેને ગોપનીયતાના અધિકાર હેઠળ રક્ષણ મળ્યું છે. આનો અર્થ એ છે કે સેલિબ્રિટી પાસે તેમના ફોટોગ્રાફ્સ, તેમના અવાજના વિશિષ્ટ પાસાઓ અને વ્યક્તિત્વ પર વિશિષ્ટ અધિકારો છે, જેનો ઉપયોગ તેમની ઈચ્છા વિરુદ્ધ કોઈ કરી શકતું નથી.
ફેમસ સેલિબ્રિટી માટે આ અધિકાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો મોટી વસ્તી પર પ્રભાવ છોડવા માટે આ સેલિબ્રિટીઓનો ઉપયોગ કરે છે. આવી પરિસ્થિતિમાં પ્રખ્યાત લોકો માટે પર્સનાલિટી રાઈટ્સ હેઠળ તેમના નામની રજિસ્ટર કરાવવી જરૂરી બની જાય છે.
બંધારણમાં ગોપનીયતાનો અધિકાર
ભારતીય બંધારણની કલમ 21 ગોપનીયતાના અધિકારનો ઉલ્લેખ કરે છે. પર્સાનાલિટી રાઈટ્સનો કાયદો આમાં સામેલ છે. બૌદ્ધિક સંપદા કાયદો પણ બંધારણીય રીતે વ્યક્તિત્વના અધિકારનો અધિકાર આપે છે. આ સિવાય લેખકોને આ અધિકાર કોપીરાઈટ એક્ટ 1957 હેઠળ મળ્યો છે. ગાયકો, નર્તકો, સંગીતકારો, અભિનેતાઓ વગેરેનો પણ આમાં સમાવેશ થાય છે. માત્ર ભારતમાં જ નહીં, અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં પણ પર્સાનાલિટી રાઈટ્સને લઈને કોઈ ચોક્કસ કાયદો નથી.
અમિતાભ બચ્ચનના કેસમાં કોર્ટે શું કહ્યું?
બોલિવૂડના બિગ બી અમિતાભ બચ્ચનના કેસમાં આદેશ આપતા જસ્ટિસ નવીન ચાવલાએ કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે અમિતાભ એક ફેમસ વ્યક્તિ છે અને ઘણી જાહેરાતોમાં પણ દેખાય છે. તે એવા લોકોથી નારાજ છે, જેઓ તેમના પર્સાનાલિટીનો ઉપયોગ તેમની પરવાનગી વિના તેમના વ્યવસાય અથવા અન્ય સામાનના પ્રચાર માટે કરે છે. આ બાબતોને કારણે એક્ટરને નુકસાનનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે કોર્ટ આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને વચગાળાનો આદેશ પસાર કરે છે.