શું હોય છે ઈદ્દત ? આ સમયગાળા દરમિયાન સ્ત્રીઓ નથી કરી શકતી લગ્ન

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર બુશરા બીબી સાથે ઈસ્લામિક કાયદા વિરુદ્ધ લગ્ન કરવાનો આરોપ હતો. ઈમરાન ખાનના લગ્નને લઈને વિવાદ ત્યારે વધુ વધી ગયો જ્યારે બુશરાના પૂર્વ પતિ ખાવર માણેકે કહ્યું કે ઈમરાને બુશરા સાથે તેની ઈદ્દત દરમિયાન લગ્ન કર્યા હતા. ત્યારે આ લેખમાં ઇદ્દત શું છે અને તે દરમિયાન સ્ત્રી શા માટે લગ્ન નથી કરી શકતી તે અંગે જાણીશું.

શું હોય છે ઈદ્દત ? આ સમયગાળા દરમિયાન સ્ત્રીઓ નથી કરી શકતી લગ્ન
Iddat
Follow Us:
| Updated on: Jul 17, 2024 | 7:09 PM

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ પહેલા ઇસ્લામાબાદની એક કોર્ટે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને સાત વર્ષની જેલની સજા ફટકારી હતી. કોર્ટે 2018માં બુશરા બીબી સાથે ઈમરાન ખાનના લગ્નને ગેરકાયદેસર ગણાવ્યા હતા. કોર્ટે બંનેના લગ્નને કાયદાનું ઉલ્લંઘન ગણાવીને જેલ ઉપરાંત દંડની સજા ફટકારી હતી. જો કે, તાજેતરમાં આ કેસમાં કોર્ટે સજા રદ કરવાની તેમની અરજી સ્વીકારી લીધી છે.

ઈમરાન ખાન પર બુશરા બીબી સાથે ઈસ્લામિક કાયદા વિરુદ્ધ લગ્ન કરવાનો આરોપ હતો. ઈમરાન ખાનના લગ્નને લઈને વિવાદ ત્યારે વધુ વધી ગયો જ્યારે બુશરાના પૂર્વ પતિ ખાવર માણેકે કહ્યું કે ઈમરાને બુશરા સાથે તેની ઈદ્દત દરમિયાન લગ્ન કર્યા હતા. ત્યારે આ લેખમાં ઇદ્દત શું છે અને તે દરમિયાન સ્ત્રી શા માટે લગ્ન નથી કરી શકતી તે અંગે જાણીશું.

શું હોય છે ઈદ્દત ?

મુસ્લિમ પર્સનલ લો મુજબ, મુસ્લિમ મહિલાને તેના પતિના મૃત્યુ પછી થોડા સમય માટે ફરીથી લગ્ન કરવા પર પ્રતિબંધ છે, આ સમયગાળાને ઇદ્દત કહેવામાં છે. ઇદ્દત દરમિયાન એટલે કે અમુક નિશ્ચિત સમયગાળા દરમિયાન સ્ત્રી ફરીથી લગ્ન કરી શકતી નથી. આ નિશ્ચિત સમયને ઇદ્દત સમય કહેવામાં આવે છે. આ સમય 4 મહિના અને 10 દિવસનો એટલે કે લગભગ 130 દિવસનો હોય છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ઇદ્દતના સમયગાળા દરમિયાન સ્ત્રીઓને સજવા-ધજવા અને મેકઅપ કરવા પર પ્રતિબંધ હોય છે. આ સિવાય ચમકદાર કપડાં પહેરવા પર પણ પ્રતિબંધ હોય છે. જો કોઈ ઈમરજન્સી ના હોય, તો ઇદ્દતની મુદત પૂરી ન થાય ત્યાં સુધી ઘરની બહાર નીકળવા પર પણ પ્રતિબંધ છે. ઇદ્દત દરમિયાન સ્ત્રી લગ્ન કરી શકતી નથી. કારણ કે ઇદ્દત દરમિયાન કરવામાં આવેલ લગ્ન ગેરકાયદેસર માનવામાં આવે છે. ઇદ્દતનો સમયગાળો પસાર થયા પછી જ આ પ્રતિબંધ સમાપ્ત થાય છે.

આ ઉપરાંત છૂટાછેડા પછી થોડા સમય માટે લગ્ન પર પ્રતિબંધને પણ ઇદ્દતનો સમયગાળો કહેવામાં આવે છે. જો કે, આ માટે સાચો શબ્દ કુરુ છે. કુરુનો સમયગાળો છૂટાછેડા લીધા બાદ લગભગ 3 મહિનાનો હોય છે.

ઇદ્દત શા માટે જરૂરી છે ?

મહિલા ગર્ભવતી તો નથી ને આ શંકાને દૂર કરવા માટે ઇદ્દતનો સમય નક્કી કરવામાં આવ્યો છે. કારણ કે જો ઇદ્દતનો સમયગાળો પુરો ન થાય અને પ્રેગ્નન્સીની ખબર પડે તો તે બાળક અંગે સવાલો ઉભા થઈ શકે છે. તેથી ઇદ્દતનો સમય નક્કી કરવામાં આવ્યો છે, જેથી બાળક અંગે સવાલો ઉભા ન થાય. જો કોઈ સ્ત્રી ગર્ભવતી હોય, તો બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી તે ફરીથી લગ્ન કરી શકતી નથી.

ગર્ભાવસ્થા વિશે શંકાના કિસ્સામાં ઇદ્દતનો સમય સ્ત્રી માટે ભાવનાત્મક રીતે સ્થિર રહેવા માટે પણ મહત્વપૂર્ણ છે. જ્યારે પતિનું મૃત્યુ થાય છે, ત્યારે તે સ્ત્રી માટે ભાવનાત્મક રીતે મુશ્કેલ સમય હોય છે અને આવી સ્થિતિમાં કોઈપણ સ્ત્રી માટે બીજા પતિ સાથે સંબંધ સ્થાપિત કરવો મુશ્કેલ બની શકે છે. પતિના વિરહના દુઃખને દૂર કરવા માટે સ્ત્રીને થોડો સમય પણ આપવામાં આવ્યો છે, જે ઇદ્દતનો સમય છે.

મહિલાઓને ઇદ્દત દરમિયાન મળે છે આ છૂટ

ઇદ્દત દરમિયાન સ્ત્રીને તેના પતિનું ઘર છોડવાની મંજૂરી નથી, પરંતુ જો તે એકમાત્ર કમાણી કરતી હોય અને તેની આજીવિકા માટે આવકનો બીજો કોઈ સ્ત્રોત ન હોય, તો તેને ફક્ત દિવસ દરમિયાન જ ઘરની બહાર જવાની છૂટ છે અને કામ કરવાની છૂટ છે અને રાત પડતા પહેલા ઘરે પરત ફરવું પડશે. તેને પોતાને રૂમમાં બંધ રાખવાની અથવા મૌન રહેવાની જરૂર નથી, તે ઘરનું કામ કરી શકે છે અથવા પોતે સત કાર્યોમાં જોડાઈ શકે છે.

પતિના મૃત્યુ પછી મહિલાની જવાબદારી

પતિના મૃત્યુ પછી તેની મિલકત પર સ્ત્રીનો અધિકાર છે. જો કોઈ મહિલા ઈદ્દત પછી બીજી વખત લગ્ન કરે તો પણ મહિલાને તેના પહેલા પતિના હિસ્સાનો હક રહેશે. તો જો પત્ની તેના પતિના મૃત્યુ દરમિયાન ગર્ભવતી હોય અને ઇદ્દતના સમયગાળા દરમિયાન બાળકને જન્મ આપે, તો તેની સાથે ઇદ્દત પૂર્ણ થશે.

ઇદ્દતના ઘણા પ્રકારો છે, જેમાંથી કેટલાક નીચે મુજબ છે.

વિધવા મહિલા માટે ઇદ્દત

જો કોઈ સ્ત્રી વિધવા બને છે, તો તેને 4 મહિના અને 10 દિવસનો સમયગાળો પૂરો થાય તે પહેલાં લગ્ન કરવા પર પ્રતિબંધ છે. જો મહિલા ગર્ભવતી હોય, તો બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી ઇદ્દતનો સમયગાળો સમાપ્ત થતો નથી.

તલાક પછીની ઇદ્દત

જો તલાક લીધેલ સ્ત્રીને માસિક ધર્મ આવે છે, તો ઇદ્દતનો સમયગાળો ત્રણ માસિક સ્રાવ સુધીનો હોય છે. જો માસિક સ્રાવ ન આવે તો આ સમયગાળો ત્રણ મહિના સુધી ચાલે છે.

ગેરકાયદેસર લગ્નના કિસ્સામાં

ગેરકાયદેસર લગ્નના કિસ્સામાં ઇદ્દતનું પાલન કરવું જરૂરી નથી. પરંતુ જો કાયદેસર લગ્ન થયા હોય અથવા બીજા શબ્દોમાં કહીએ તો સમાજના નીતિનિયમો પ્રમાણે લગ્ન થયા હોય તો ઈદ્દત પાળવી ફરજિયાત રહેશે.

ઈદ્દતનો સમયગાળો કોઈ ખાસ પરિસ્થિતિમાં બદલાઈ શકે છે. તેનું પાલન ધાર્મિક રીતે કરવામાં આવે છે.

લગ્નને લઈને શું છે મુસ્લિમ લો ?

મુસ્લિમ લગ્ન બે મુસ્લિમો વચ્ચે જ થાય છે. જો કોઈ મુસ્લિમ પુરુષ બીજા ધર્મની સ્ત્રી સાથે લગ્ન કરે તો તે માન્ય ગણાય છે, પરંતુ સ્ત્રીઓ સાથે આવું નથી. આવી સ્થિતિમાં મુસ્લિમ લો મહિલાઓને ખ્રિસ્તી અથવા યહૂદી પુરુષ સાથે લગ્ન કરવાથી રોકે છે. જો કોઈ સ્ત્રી બીજા ધર્મના પુરુષ સાથે લગ્ન કરે અને પછી તે પુરુષ મુસ્લિમ બને તો લગ્ન માન્ય ગણાય છે.

મુસ્લિમ ધર્મમાં કોઈ અન્યની પત્ની સાથે લગ્ન અથવા પરિણીત સ્ત્રીના અન્ય પુરુષ સાથે લગ્ન માન્ય નથી. મુસ્લિમ લો હેઠળ જ્યાં સુધી પ્રથમ લગ્ન માન્ય છે ત્યાં સુધી પરિણીત મહિલા ફરીથી લગ્ન કરી શકતી નથી. કોઈ પણ સંજોગોમાં લગ્ન થઈ શકતા નથી. જેમ કે, સગર્ભા સ્ત્રી સાથે લગ્ન, તલાક પછી તે જ બે લોકો વચ્ચે ફરીથી લગ્ન માન્ય નથી. હજ યાત્રા દરમિયાન કરવામાં આવતા લગ્ન પણ અમાન્ય છે. જો કે, સુન્ની હનાફી હજ યાત્રા દરમિયાન કરવામાં આવતા લગ્નોને માન્ય ગણે છે.

આ પણ વાંચો શિયા-સુન્ની મુસ્લિમ વચ્ચે શું છે વિવાદ, કયા દેશ શિયા અને કયા દેશ છે સુન્ની ?

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">