AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ છે ભારતનું અંતિમ રેલ્વે સ્ટેશન, મહાત્મા ગાંધી અને સુભાષચંદ્ર બોઝએ પણ કર્યો હતો આ રુટથી પ્રવાસ, જાણો તેની હાલની સ્થિતિ

અહીં કોઈ પેસેન્જર ટ્રેન રોકાતી નથી, જેના કારણે અહીં મુસાફરોની અવરજવર નથી. આવો જાણીએ સિંઘબાદ રેલવે સ્ટેશન (Singhabad Railway Station)સાથે જોડાયેલી ખાસ વાતો.

આ છે ભારતનું અંતિમ રેલ્વે સ્ટેશન, મહાત્મા ગાંધી અને સુભાષચંદ્ર બોઝએ પણ કર્યો હતો આ રુટથી પ્રવાસ, જાણો તેની હાલની સ્થિતિ
Singhabad Railway StationImage Credit source: file photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2022 | 11:15 PM
Share

ભારતીય રેલવે ભારતના ખૂણે ખૂણે વિસ્તરેલી છે. તે લાખો લોકોને અનેક સ્થળ સુધી પહોંચાડે છે. તે સમયે  યાત્રીઓની સુવિધામાં વધારો કરવા નવા  નિર્ણયો લેતી રહી છે. ભારતમાં અંગ્રેજોના સમયથી ટ્રેનો ચાલે છે. ભારતે કોલસાથી ચાલતી ટ્રેનોથી શરુઆત કરીને આજે મેટ્રો અને બુલેટ ટ્રેન સુધીની સફર જોઈ છે. તમે ઘણી વખત ટ્રેનમાં મુસાફરી કરી હશે, આ દરમિયાન તમારી ટ્રેન તમામ સ્ટેશનો પરથી પસાર થઈ હશે, પરંતુ શું તમારા મનમાં પ્રશ્ન આવ્યો છે કે દેશનું છેલ્લું સ્ટેશન કયું છે? ભારતનું છેલ્લું સ્ટેશન (Last Station of India) સિંઘબાદ છે જે બાંગ્લાદેશ સરહદને અડીને આવેલું છે. એવું કહેવાય છે કે આ અંગ્રેજોના જમાનાનું સ્ટેશન છે અને આજે પણ તે એવું જ છે જે રીતે અંગ્રેજોએ તેને છોડી દીધું હતું. પરંતુ દેશ આઝાદ થયો ત્યારથી આ સ્ટેશન સાવ નિર્જન રહે છે. અહીં કોઈ પેસેન્જર ટ્રેન રોકાતી નથી, જેના કારણે અહીં મુસાફરોની અવરજવર નથી. આવો જાણીએ સિંઘબાદ રેલવે સ્ટેશન (Singhabad Railway Station) સાથે જોડાયેલી ખાસ વાતો.

સિંઘબાદના રેલવે બોર્ડે લખ્યું છે ‘ભારતનું છેલ્લું સ્ટેશન’

અહીંના રેલ્વે બોર્ડ પર લખેલું છે ‘ભારતનું અતિંમ સ્ટેશન’. અહીં સિગ્નલ, કોમ્યુનિકેશન અને સ્ટેશનને લગતા તમામ સાધનો, ટેલિફોન અને ટિકિટો આજે પણ અંગ્રેજોના સમયના છે. સિગ્નલ માટે હેન્ડ ગિયર્સનો ઉપયોગ થાય છે. નોન-સ્ટોપ પેસેન્જર ટ્રેનને ના હોવાને કારણે અહીં ટિકિટ કાઉન્ટર હંમેશા બંધ રહે છે. સ્ટેશન પરનો સ્ટાફ ઓછો છે. સ્ટેશનના પર એક નાનકડી સ્ટેશન ઓફિસ દેખાય છે.

બાંગ્લાદેશની રચના બાદ થયો હતો કરાર

એવું કહેવાય છે કે 1971 પછી જ્યારે બાંગ્લાદેશની રચના થઈ ત્યારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુસાફરીની માંગ વધવા લાગી. આ પછી એક સમજૂતી થઈ, જે પછી ભારત અને બાંગ્લાદેશ જતી ટ્રેનો આ રૂટ પર માલગાડીઓ દોડવા લાગી. વર્ષ 2011માં નેપાળને પણ આ કરારમાં સુધારો કરીને સામેલ કરવામાં આવ્યું હતું. આજે બાંગ્લાદેશ સિવાય નેપાળ જતી માલગાડીઓ પણ આ સ્ટેશન પરથી પસાર થાય છે. રોહનપુર થઈને બાંગ્લાદેશ જતી અને ભારતથી નેપાળ જતી ગુડ્ઝ ટ્રેનો અહીં ઘણી વખત રોકાય છે અને સિગ્નલની રાહ જુએ છે.

આ પણ વાંચો

ગાંધી અને બોઝે પણ કરી હતી આ રુટની મુસાફરી

કહેવાય છે કે સિંઘબાદ રેલવે સ્ટેશન પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના હબીબપુર વિસ્તારમાં છે. એક સમયે સિંઘબાદ રેલ્વે સ્ટેશને કોલકાતા અને ઢાકા વચ્ચે જોડાણ સ્થાપિત કર્યું હતું. તે સમયે આ માર્ગનો ઉપયોગ થતો હતો. ઢાકા પહોંચવા માટે મહાત્મા ગાંધી અને સુભાષ ચંદ્ર બોઝ પણ આ માર્ગ પરથી ઘણી વખત પસાર થયા છે. એક સમય હતો જ્યારે દાર્જિલિંગ મેલ જેવી ટ્રેન અહીંથી પસાર થતી હતી, પરંતુ આજના સમયમાં અહીં કોઈ પેસેન્જર ટ્રેન રોકાતી નથી.

શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
g clip-path="url(#clip0_868_265)">