પુસ્તકના પાનેથીઃ રાજકારણની એવી ભવિષ્યવાણી જેણે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના જીવનમાં આણ્યું પરિવર્તન!
Pustak na Pane thi: અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading)ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.
કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે.આજના અતિવ્યસ્ત જીવનમાં (Book Reading) પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.
તો ચાલો આજે જાણીએ પુસ્તકના પાનેથીમાં એવી રસપ્રદ વિગતો રાજકારણની એવી ભવિષ્યવાણી જેણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના જીવનમાં મોટું પરિવર્તન આણ્યું હતું. આ બાબત રજૂ થઈ છે પુસ્તક પાર્લામેન્ટ સ્ટ્રીટમાં જેના લેખક દેવેન્દ્ર પટેલ છે, જેમાં પ્રથમ પ્રકરણમાં વાત કરવામાં આવી છે કે એક ભવિષ્ય વેતાએ કરેલી આગાહી પ્રતિભા પાટીલના જીવનમાં કેટલી બંધબેસતી સાબિત થઈ? ડુંગરપુર જિલ્લામાં આવેલા મંદિરમાં ભવિષ્યવેતા બેઠા હતા, તેમણે આ આગાહી કરી હતી. આ ભવિષ્યવેતાની ભવિષ્યવાણી વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી માટે પણ સાચી સાબિત થઈ હતી. તો જાણો કે એ ભવિષ્યવાણી શું હતી.