કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.
પુસ્તકના પાનેથીની આ નવી સીરીઝમાં વીર સાવરકરના વિચારો અંગે આપણે જાણીશું. વીર સાવરકર ભારતની આઝાદી સાથે જોડાયેલું અભિન્ન અંગ છે. ત્યારે જાણીએ કે વીર સાવરકરે મુસ્લિમોના કટ્ટરવાર અંગે સું મોટી વાત કરી. પુસ્તક સાવરકરના પેજ નંબર 401માંથી આપણે આ મહત્વની વાત જાણીશું કે સાવરકરે જણાવ્યું હતું કે કેટલાક રિત રીવાજો એવા છે જેને માત્ર ધર્મના નામે જ કરીએ છીએ . પુસ્તકમાં તેઓ કહે છે કે કટ્ટરવાદ માટે જો હું હિન્દુઓને કહેતો હોઉં તો મારે મુસ્લિમોને પણ ટકોર કરવી પડશે. કારણ કે કટ્ટરવાદ એ તમારા જ સમાજને નુકસાન કરે છે. આ પુસ્તકમાં કટ્ટરવાદ અંગે વીર સાવરકરના વિચારો રજૂ કર્યા છે તેમજ તેમના અંગે અન્ય માહિતી પણ આપેલી છે.
Published On - 10:20 am, Wed, 1 March 23