પ્રધાનમંત્રી આવાસ યોજના માટે કોણ, ક્યારે અને કેવી રીતે અરજી કરી શકે છે? જાણો દરેક સવાલના જવાબ

મોદી કેબિનેટે તેની બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ ગ્રામીણ અને શહેરી ગરીબો માટે 3 કરોડ ઘર બનાવવાની યોજનાને મંજૂરી આપી છે. આ નિર્ણય નવી નરેન્દ્ર મોદી સરકારની પ્રથમ બેઠકમાં લેવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે કોણ, ક્યારે અને કેવી રીતે અરજી કરી શકે છે? જાણો દરેક સવાલના જવાબ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2024 | 6:12 AM

મોદી કેબિનેટે તેની બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ ગ્રામીણ અને શહેરી ગરીબો માટે 3 કરોડ ઘર બનાવવાની યોજનાને મંજૂરી આપી છે. આ નિર્ણય નવી નરેન્દ્ર મોદી સરકારની પ્રથમ બેઠકમાં લેવામાં આવ્યો હતો જે તેમના નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી.

રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહમાં શપથ લીધાના એક દિવસ બાદ નવનિયુક્ત મંત્રીઓ વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને બેઠકમાં હાજરી આપી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છેલ્લા 10 વર્ષમાં ગરીબ પરિવારો માટે કુલ 4.21 કરોડ મકાનો પૂર્ણ કરવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના શું છે?

પ્રધાનમંત્રી આવાસ યોજના એ ભારત સરકારનો સામાજિક કલ્યાણ માટેનો મુખ્ય કાર્યક્રમ છે.આ યોજનાને વર્ષ  2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કર્યું હતું. વચગાળાના બજેટ 2024માં નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે આગામી 5 વર્ષમાં 2 કરોડ વધુ મકાનો બનાવવામાં આવશે. આ યોજના હેઠળ સરકાર 3 કરોડ મકાનોના લક્ષ્યાંકને હાંસલ કરવાની નજીક છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

પ્રધાનમંત્રી આવાસ યોજના સમાજના નબળા વર્ગો, ઓછી આવક ધરાવતા વર્ગના લોકો, શહેરી ગરીબો અને ગ્રામીણ ગરીબોને ઓછી કિંમતે મકાનો આપવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી. આ યોજનામાં પોષણક્ષમ ભાવે લગભગ 20 મિલિયન મકાનોનું નિર્માણ સામેલ છે. બજેટ 2023માં પ્રધાનમંત્રી આવાસ યોજના માટેનો ખર્ચ 66 ટકા વધીને રૂપિયા 79,000 કરોડથી વધુ થયો હતો.

યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?

આર્થિક રીતે નબળા વર્ગો જેમાં ઓછી આવક જૂથ (LIG), મધ્યમ આવક જૂથ (MIG) અને EWSનો સમાવેશ થાય છે તે તમામને આવાસ યોજના માટે લાભાર્થી ગણવામાં આવે છે. EWS માટે વાર્ષિક આવક મર્યાદા 3 લાખ રૂપિયા, LIG ​​રેન્જ 3 થી 6 લાખ રૂપિયા અને MIG રેન્જ 6 થી 18 લાખ રૂપિયા છે.

અરજી કેવી રીતે કરવી ?

  1. પ્રધાનમંત્રી આવાસ યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmaymis.gov.in/ પર લોગ ઇન કરો.
  2. સીટીઝન એસેસમેન્ટ ડ્રોપ-ડાઉન હેઠળ નીચે બતાવ્યા પ્રમાણે ત્રણ ઘટકો હેઠળ લાભો પસંદ કરો.
  3. આગળ વધવા માટે આધાર વિગતો દાખલ કરો
  4. આધાર વિગતો ભર્યા પછી તમને અરજી ફોર્મના સ્ટેજ પર નિર્દેશિત કરવામાં આવશે જ્યાં તમારે વિગતો યોગ્ય રીતે ભરવાની રહેશે.
  5.  ‘Save’ પર ક્લિક કરો અને કેપ્ચા કોડ દાખલ કરો.
  6. હવે એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને પ્રિન્ટ આઉટ લઈ શકાય છે.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">