AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malegaon Bomb Blast case : શું છે સમગ્ર માલેગાંવ બ્લાસ્ટ કેસ ? જાણો ક્યારે શું થયુ

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવમાં લગભગ 17 વર્ષ પહેલાં 29 સપ્ટેમ્બર 2008ના રોજ બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 6 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા. રમઝાન દરમિયાન લોકો નમાઝ અદા કરવા જઈ રહ્યા હતા, ત્યારે આ વિસ્ફોટ થયો હતો. આ જ કારણ છે કે ઘાયલોની સંખ્યા વધુ હતી.

Malegaon Bomb Blast case : શું છે સમગ્ર માલેગાંવ બ્લાસ્ટ કેસ ? જાણો ક્યારે શું થયુ
| Updated on: Jul 31, 2025 | 1:14 PM
Share

17 વર્ષ પછી આખરે આજે મહારાષ્ટ્રના માલેગાંવમાં 2008માં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં ચુકાદો આવ્યો છે. NIA સ્પેશિયલ કોર્ટે આ કેસમાં ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં મુખ્ય આરોપી ભોપાલના ભૂતપૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર હતા. સાધ્વી ઉપરાંત, આ કેસમાં લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત 7 આરોપીઓ હતા, જેમના પર આતંકવાદી કાવતરું, હત્યા, ધાર્મિક ઉન્માદ ફેલાવવાનો આરોપ હતો. આ કેસમાં, સ્પેશિયલ જજ એકે લાહોટીએ તમામ આરોપીઓને 31 જુલાઈએ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.

શું છે આખો મામલો?

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવમાં લગભગ 17 વર્ષ પહેલાં 29 સપ્ટેમ્બર 2008ના રોજ બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 6 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા. રમઝાન દરમિયાન લોકો નમાઝ અદા કરવા જઈ રહ્યા હતા, ત્યારે આ વિસ્ફોટ થયો હતો. આ જ કારણ છે કે ઘાયલોની સંખ્યા વધુ હતી.

હુમલાના એક દિવસ પછી, 30 સપ્ટેમ્બર 2008ના રોજ, માલેગાંવના આઝાદનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. તે સમયે, 307, 302, 326, 324, 427, 153-A, 120B, વિસ્ફોટક અધિનિયમ અને શસ્ત્ર અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

બાઇક ભૂતપૂર્વ સાંસદના નામે હતી

શરૂઆતમાં, આ કેસની તપાસ પોલીસે કરી હતી, જોકે બાદમાં સમગ્ર તપાસ ATSને સોંપવામાં આવી હતી. એવું બહાર આવ્યું હતું કે વિસ્ફોટ LML ફ્રીડમ (MH15P4572) નંબરની બાઇકમાં થયો હતો. આ બાઇકમાં બોમ્બ મૂકવામાં આવ્યો હતો. જોકે, વાહન પર મળેલો નંબર ખોટો હતો અને તેનો ચેસિસ નંબર અને એન્જિન નંબર પણ ભૂંસી નાખવામાં આવ્યો હતો.

આ કેસની તપાસ કરતી વખતે, FSL ટીમને વાહનનો સાચો નંબર મળ્યો, જેનાથી જાણવા મળ્યું કે વાહન સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના નામે હતું. ઘટનાના લગભગ એક મહિના પછી, સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સાથે વધુ 2 લોકોની ધરપકડ કરવામાં આવી. સમગ્ર કેસમાં 11 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે સાધ્વી પ્રજ્ઞાને કેસમાં મુખ્ય આરોપી બનાવવામાં આવી હતી.

સાક્ષીઓના નિવેદનો બદલાવાને કારણે કેસ નબળો પડ્યો

માલેગાંવ બ્લાસ્ટ કેસની તપાસ પોલીસ, ATS અને NIA દ્વારા કુલ મળીને કરવામાં આવી હતી. સમગ્ર કેસની ટ્રાયલ દરમિયાન, 300 થી વધુ સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા, જે મુખ્ય કેસમાં સાક્ષી હતા તેઓ કોર્ટમાં નિવેદનો આપીને ફરી ગયા હતા. સમગ્ર કેસની સુનાવણીને લગભગ 17 વર્ષ થઈ ગયા છે. આ કેસમાં અત્યાર સુધીમાં 35 સાક્ષીઓ નિવેદનો આપી ચૂક્યા છે. સાક્ષીઓએ કોર્ટમાં ઘણી વખત કહ્યું છે કે બંદૂકની અણીએ ધમકી આપીને તેમના નિવેદનો લેવામાં આવ્યા હતા. કોર્ટે સાક્ષીઓના વિરોધ અને નિવેદનો પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. જોકે, આજે, 17 વર્ષ પછી, કોર્ટ આ મામલે પોતાનો ચુકાદો આવ્યો છે.

માલેગાંવ કેસની ટાઇમલાઇન

  • 29 સપ્ટેમ્બર 2008: માલેગાંવમાં બોમ્બ વિસ્ફોટ, 6 લોકોના મોત, 100 થી વધુ ઘાયલ
  • ઓક્ટોબર 2008: મહારાષ્ટ્ર ATS એ તપાસ શરૂ કરી, સાધ્વી પ્રજ્ઞા અને કર્નલ પુરોહિત સહિત અન્ય લોકોની ધરપકડ
  • 2009: તપાસ NIA ને સોંપવામાં આવી
  • 2011: NIA એ તેનું પ્રથમ ચાર્જશીટ દાખલ કર્યું.
  • ફેબ્રુઆરી અને ડિસેમ્બર 2012: NIA એ લોકેશ શર્મા અને ધન સિંહ ચૌધરીના નામના બે વધુ લોકોની ધરપકડ કરી. ત્યાં સુધીમાં, કુલ 14 ધરપકડો થઈ ચૂકી હતી.
  • ફેબ્રુઆરી 2016: NIA એ ખાસ કોર્ટને જણાવ્યું કે તેણે આ કેસમાં MCOCA જોગવાઈઓ લાગુ કરવા અંગે એટર્ની જનરલનો અભિપ્રાય લીધો છે.
  • 2016: NIA એ સાધ્વી પ્રજ્ઞા અને અન્ય 6 લોકો સામે નવી ચાર્જશીટ દાખલ કરી, પુરાવાના અભાવે MCOCA રદ કર્યો
  • 2017: સુપ્રીમ કોર્ટે કર્નલ પુરોહિતને જામીન આપ્યા
  • 25 એપ્રિલ, 2017: બોમ્બે હાઈકોર્ટે પ્રજ્ઞા ઠાકુરને જામીન આપ્યા. હાઈકોર્ટે પુરોહિતને જામીન આપવાનો ઇનકાર કર્યો.
  • 21 સપ્ટેમ્બર, 2017: પુરોહિતને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા. વર્ષના અંત સુધીમાં, ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ જામીન પર બહાર છે.
  • 27 ડિસેમ્બર, 2017: NIA સ્પેશિયલ કોર્ટે આરોપી શિવનારાયણ કલસાંગરા, શ્યામ સાહુ અને પ્રવીણ મુતાલિક નાઈકને કેસમાં નિર્દોષ જાહેર કર્યા.
  • 2018: મુંબઈની સ્પેશિયલ NIA કોર્ટે કેસમાં આરોપો ઘડ્યા
  • 2019: સાધ્વી પ્રજ્ઞા લોકસભા ચૂંટણી જીતી, ભોપાલથી સાંસદ બન્યા.
  • 3 ડિસેમ્બર, 2018: કેસના પ્રથમ સાક્ષીની જુબાની સાથે ટ્રાયલ શરૂ થાય છે.
  • 14સપ્ટેમ્બર, 2023: 323 ફરિયાદ પક્ષના સાક્ષીઓ (જેમાંથી ૩૭ સાક્ષીઓ વિરોધી બન્યા) ની જુબાની બાદ, ફરિયાદ પક્ષે તેમના પુરાવા બંધ કરવાનો નિર્ણય લીધો.
  • 19 એપ્રિલ, 2025: ખાસ કોર્ટે ચુકાદા માટે સુનાવણી બંધ કરી.
  • 31 જુલાઈ, 2025: ન્યાયાધીશ એ.કે. લાહોટી દ્વારા ચુકાદો સંભળાવવામાં આવ્યો.

આ પણ વાંચો- Breaking News: માલેગાંવ કેસમાં સાધ્વી પ્રજ્ઞા અને કર્નલ પુરોહિત સહિત તમામ આરોપીઓ નિર્દોષ જાહેર, NIA કોર્ટે કહ્યું – કોઈ પુરાવા મળ્યા નથી

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">