AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું વાહનનો વીમો ક્લેમ કરવા PUC ફરજીયાત છે ? જાણો શું કહે છે નિયમ

PUC સર્ટિફિકેટ વાહન માટે ખુબ જરૂરી દસ્તાવેજ છે, આ પ્રમાણપત્ર દ્વારા જાણી શકાય કે તમારૂ વાહન પર્યાવરણ માટે સુરક્ષીત છે કે નુક્સાનકારક.

શું વાહનનો વીમો ક્લેમ કરવા PUC ફરજીયાત છે ? જાણો શું કહે છે નિયમ
is puc cerificate mandatory for vehicle insurance claim what rule says
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2022 | 4:40 PM
Share

PUC પ્રમાણપત્ર એટલે પ્રદૂષણ નિયંત્રણ. આનો અર્થ એવો થાય છે કે એક પ્રમાણપત્ર કે જે જણાવે છે કે તમારા વાહનથી પ્રદૂષણ થતું નથી અને તે પર્યાવરણને નુકસાન કરતું નથી. આ પ્રમાણપત્ર ઘણી રીતે મહત્વપૂર્ણ છે, ખાસ કરીને દિલ્હી જેવી જગ્યા માટે જ્યાં આખું શહેર ગેસ ચેમ્બરમાં ફેરવાઈ જાય છે. જો પીયુસી સર્ટીફિકેટ ફરજીયાત ન રહે તો દિલ્હી જેવા શહેરની હાલત શું થાય એ સમજી શકાય, આ સર્ટીફિકેટ એ દર્શાવે છે કે તમારુ વાહન રસ્તા પર ચલાવવા યોગ્ય છે કે નહીં. આજ કારણથી આ સર્ટીફિકેટને ટ્રાફિકના નિયમો માટે ખુબ મહત્વપુર્ણ છે. કારણ કે આના પરથી જાણી શકાય છે કે તમારૂ વાહન કેટલુ પ્રદુષણ ફેલાવે છે.

આ પ્રમાણપત્ર દરેક વાહન માલિક પાસે હોવું જોઈએ. કાયદા અનુસાર આ સર્ટિફિકેટ અપડેટ કરાવતા રહેવું જોઈએ કારણ કે જો તમે જૂના પ્રમાણપત્ર સાથે પકડાઈ જાઓ છો, તો તમારે ભારે દંડ ભરવો પડી શકે છે. આ સર્ટિફિકેટ લેવું કોઈ મોટું કામ નથી અને તમારા વિસ્તારની આસપાસ તેનું સેન્ટર પણ હશે. આ પ્રમાણપત્ર થોડા રૂપિયા ચૂકવીને બનાવી શકાય છે અને ભારે ઝંઝટમાંથી મુક્તિ મેળવી શકાય છે. આ પ્રમાણપત્ર એટલું મહત્વનું છે કે તમારી પાસે વાહનના તમામ દસ્તાવેજો છે અને સરખામણીમાં જો આ સર્ટિફિકેટ ન હોય તો તમે ભારે દંડના પાત્ર બની શકો છો.

સુપ્રીમ કોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટે પણ તેના એક ચુકાદામાં આ પ્રમાણપત્રને બહાલી આપી છે અને તેને મોટર વાહન નિયમ, 1989 મુજબ ફરજિયાત પ્રમાણપત્ર ગણાવ્યું છે. શું વાહન ચલાવવા માટે PUC પ્રમાણપત્ર ફરજિયાત છે? શું તે વીમા માટે પણ જરૂરી છે? આ બંને પ્રશ્નોના જવાબ હા છે. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે IRDAI એ વીમા કંપનીઓને PUC પ્રમાણપત્ર ન ધરાવતા વાહનોનો વીમો ન લેવા જણાવ્યું છે.

નિયમ શું કહે છે

IRDAI અનુસાર, વાહન માલિકોએ તેમનો વીમો રિન્યૂ કરતી વખતે માન્ય PUC પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. કાયદો જણાવે છે કે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ વિના કોઈપણ વાહન ચલાવી શકાય નહીં. પરંતુ આ નિયમનું પાલન કરવામાં મોટી ખામી છે. Irdaiનો નિર્ણય સુપ્રીમ કોર્ટના ચુકાદા પર આધારિત છે જેમાં કહેવામાં આવ્યું છે કે વીમા કંપની પોલિસી રિન્યુઅલની તારીખે માન્ય PUC પ્રમાણપત્ર ન હોય ત્યાં સુધી કારનો વીમો લઈ શકતી નથી. આ માહિતી બજાજ કેપિટલ લિમિટેડના જોઈન્ટ ચેરમેન અને એમડી સંજીવ બજાજે ‘પ્રમુખ’ મડિયાને આપી હતી. જો કે, આનો અર્થ એ નથી કે જો તમારી પાસે માન્ય PUC પ્રમાણપત્ર ન હોય તો તમારો વીમા દાવો નકારવામાં આવશે.

નવેમ્બર મહિનામાં જ, વીમા દાવાને સરળતાથી સેટલ કરવા માટે નવો KYC નિયમ દાખલ કરવામાં આવ્યો છે. તેનો નિયમ કહે છે કે વાહનોના વીમા દાવાની પતાવટ કરવા માટે પીયુસી પ્રમાણપત્ર હોવું જરૂરી નથી. PUC સર્ટિફિકેટના આધારે કોઈ કંપની ક્લેમ આપવો કે નહીં તે નક્કી કરી શકતી નથી. જોકે, Irdaiએ કારનો વીમો ખરીદવા માટે PUC પ્રમાણપત્ર ફરજિયાત બનાવ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">