Knowledge : ચાલતી ટ્રેનમાંથી મોબાઈલ જેવા સામાન પડી જાય તો કરો આ કામ, ભારતીય રેલવે પાસેથી પાછો મળશે સામાન

Indian Railways: ટ્રેનમાં યાત્રા કરતી વખતે જો તમારો મોબાઈલ કે પર્સ પડી જાય તો ગભરાવવાની જરુર નથી, તમે સરળતાથી આ રીતે ભારતીય રેલવે પાસેથી તમારો સામાન પરત મેળવી શકો છો.

Knowledge : ચાલતી ટ્રેનમાંથી મોબાઈલ જેવા સામાન પડી જાય તો કરો આ કામ, ભારતીય રેલવે પાસેથી પાછો મળશે સામાન
Indian RailwaysImage Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2023 | 8:17 PM

ભારતીય રેલવે ભારતના લોકો માટે એક લાઈફલાઈન સમાન છે. ભારતીય રેલવે નેટવર્ક દેશના ખૂણે ખૂણે પઠરાયેલું છે. આ ભારતીય રલવે નેટવર્ક દુનિયામાં ચોથા નંબર પર છે. ઘણાં લોકો ભારતીય રેલવેમાં રોજ યાત્રા કરતા હોય છે. કેટલાક લોકો રોજ દૂર ઓફિસ જવા માટે, કેટલાક લોકો એક રાજયમાંથી બીજા રાજ્યમાં જવા માટે, કેટલાક લોકો લાંબા વેકેશન પર જવા માટે ભારતીય રેલવેનો ઉપયોગ કરતા હોય છે. ભારતીય રેલવે અનેક ફેરિયાઓ માટે પર રોજગારી પૂરી પાડે છે.

ભારતીય રેલવેમાં મુસાફરી કરતી વખતે દરેક યાત્રા સારી જાય તેવું જરુરી નથી. ઘણીવાર ભારતીય રેલવે ટ્રેનમાં મુસાફરી કરતા સમયે અનિચ્છનીય ઘટનાઓ પણ બનતી હોય છે. ઘણા લોકોના સામાન ચાલતી ટ્રેનમાંથી પડી જતા હોય છે. જો તમારા ફોન કે પર્સ જેવા સામાન ચાલતી ટ્રેનમાંથી પડી જાય તો તમારે ગભરાવવાની જરુર નથી, તમે સરળતાથી તે સામાન પાછો મેળવી શકો છો.

ઘણા લોકો પોતાનો કિંમત સામાન પડી જાય તો ટ્રેનની ચેન ખેંચીને ટ્રેન રોકી લેતા હોય છે. તેના કારણે અનેક લોકોની મુસાફરી અટકે છે. આવી ઘટનામાં ચેન ખેંચવાની જરુર નથી, તમારે તેના માટે દંડ પણ ભરવો પડી શકે છે. ચાલો જાણીએ કે ભારતીય રેલવે પાસેથી આવા સામાન પાછા કઈ રીતે મેળવી શકાય.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ચાલતી ટ્રેનમાંથી પડી ગયેલો સામાન આ રીતે મેળવો

ટ્રેનમાં યાત્રા કરતા સમયે જો તમારો કિંમતી સામાન ચાલતી ટ્રેનમાંથી રેલવે ટ્રેક પર પડી જાય તો તમારે તમારુ ધ્યાન કિનારા પર લગાવેલા પોલ પર કેન્દ્રીત કરવું જોઈએ. રેલવે ટ્રેકના કિનારે લાગેલા પોલ અને સાઈડ ટ્રેક પર લાગેલા નંબરને નોંધી લો. જો તમારો ફોન પડી ગયો હોય તો અન્ય યાત્રીનો ફોન લઈને RPF અને 182 નંબર પર સૂચના આપવી જોઈએ.

જો તમે આ નંબર પર તરત તે પોલ કે સાઈટ ટ્રેકના નંબરની માહિતી આપશો તો તમારો સામાન મળવાની સંભાવના વધી જશે. પોલીસ તરત તે જગ્યાએ પહોંચી જશે. જણાવી દઈએ કે ત્યારબાદ તમે રેલવે પોલીસનો સંપર્ક કરીને કાયદાકીય પ્રક્રિયા પતાવીને તમારો સામાન મેળવી શકો છો.

ભારતીય રેલવેના હેલ્પલાઈન નંબર

  1. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) નંબર – 182
  2. સિક્યોરિટી માંગવા માટે (GRP)નંબર – 1512
  3. રેલ પેસેન્જર હેલ્પ લાઈન નંબર – 138

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">