AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ દેશમાં મેદસ્વી કે Over Weight હોવું ગેરકાયદેસર, જો જાડિયા થઈ ગયા તો શું મળે છે સજા?

આ દેશમાં અજીબોગરીબ કાયદાને કારણે વિશ્વમાં સૌથી ઓછો સ્થૂળતા દર અહીં જ જોવા મળે છે. કાયદા ઉપરાંત, અહીંના લોકોનો આહાર અને ત્યાંની પરિવહન વ્યવસ્થા પણ અમુક અંશે લોકોને પાતળા થવામાં ભૂમિકા ભજવે છે. અહીંના લોકોના આહારમાં માછલી, શાકભાજી અને ભાતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે પગપાળા ચાલવાનુ કલ્ચર છે. પણ જો આમ છત્તા પણ જાડીયા થઈ ગયા તો..

આ દેશમાં મેદસ્વી કે Over Weight હોવું ગેરકાયદેસર, જો જાડિયા થઈ ગયા તો શું મળે છે સજા?
Being obese or overweight is illegal in this country
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2023 | 1:16 PM
Share

દુનિયાના અલગ-અલગ દેશોમાં કેટલાક એવા કાયદા છે, જેને જાણીને ચક્કર આવી જાય છે. આ કાયદાઓ જાણ્યા પછી, આપણે આપણી જાતને પૂછવાનું શરૂ કરીએ છીએ કે શું ખરેખર આવું છે? જાપાનમાં આવો જ એક કાયદો છે, જે ખૂબ જ વિચિત્ર છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જાપાની લોકો જાડા કેમ નથી લાગતા? દરેક વ્યક્તિ પાતળા દેખાય છે. ખરેખર, તેની પાછળનું કારણ છે જાપાનનો કાયદો, જે લોકોને જાડા થવા દેતો નથી. જાપાનમાં, વધુ વજન (over weight)અથવા મેદસ્વી કે જાડું હોવું ગેરકાયદેસર છે.

જાપાનના આ અજીબોગરીબ કાયદાને કારણે વિશ્વમાં સૌથી ઓછો સ્થૂળતા દર અહીં જ જોવા મળે છે. કાયદા ઉપરાંત, જાપાનના લોકોનો આહાર અને ત્યાંની પરિવહન વ્યવસ્થા પણ અમુક અંશે લોકો પાતળા થવામાં ભૂમિકા ભજવે છે. અહીંના લોકોના આહારમાં માછલી, શાકભાજી અને ભાતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે પગપાળા ચાલવાનુ કલ્ચર છે જેના કારણે પણ લોકો મેદસ્વી થતા નથી પણ તેમ છત્તા પણ કોઈ વ્યક્તિ મેદસ્વી કે ઓવર વેટ થઈ જાય છે તો કાયદા મુજબ તેના પર કાર્યવાહી થઈ શકે છે.

સ્થૂળતા અંગે લાવવામાં આવેલા કાયદાને શું છે?

સ્થૂળતા અંગે જાપાનમાં લાવવામાં આવેલા કાયદાને Metabo Law કહેવામાં આવે છે. તે 2008 માં જાપાનના આરોગ્ય, શ્રમ અને કલ્યાણ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ કાયદા દ્વારા 40 થી 74 વર્ષની વયના પુરૂષો અને મહિલાઓની કમરનું વાર્ષિક માપન લેવામાં આવે છે. પુરુષોની કમરનું કદ 33.5 ઇંચ છે અને સ્ત્રી માટે તે 35.4 ઇંચ છે.

જાપાનમાં આ કાયદો શા માટે લાવવામાં આવ્યો?

મેટાબો કાયદો લાવવામાં આવ્યો હતો કારણ કે જાપાનમાં વૃદ્ધ લોકોની મોટી વસ્તી છે. આ તમામની સારવાર કરવાની જવાબદારી સરકારની છે. આવી સ્થિતિમાં સરકાર ઈચ્છતી નથી કે મેદસ્વીતાને કારણે કોઈને ડાયાબિટીસ જેવી બીમારી થાય. જો આવું થાય, તો સારવારમાં ઘણો ખર્ચ થશે. તેથી જ આ કાયદો લાવવામાં આવ્યો છે.

ઓવર વેટ હોવાની સજા શું છે?

જો કે, જાપાનમાં મેદસ્વી હોવા માટે કોઈ સત્તાવાર સજા નથી. પરંતુ આ સિવાય પણ એવી ઘણી વસ્તુઓ છે જે લોકોને પાતળા બનાવે છે. જો કોઈ જાડું હોય તો તેણે સ્લિમ બનવા માટે ક્લાસ લેવા પડે છે. આ વર્ગનું આયોજન આરોગ્ય વીમા કંપની દ્વારા કરવામાં આવે છે. આ સિવાય મેદસ્વી વ્યક્તિ જે કંપનીમાં કામ કરે છે ત્યાંથી પણ અલગ થઈ જાય છે. આ વ્યક્તિ પર માનસિક દબાણ બનાવે છે.

Follow Us
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
g clip-path="url(#clip0_868_265)">