પાકિસ્તાનમાં છ દિવસ માટે સોશિયલ મીડિયા રહેશે બંધ, જાણો શુ છે કારણ ?

ધર્મ અને સંસ્કૃતિને લઈને નફરત ફેલાવવા અને સાંપ્રદાયિક હિંસાથી બચવા માટે પાકિસ્તાન સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં યુટ્યુબ, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 6 દિવસ માટે પ્રતિબંધ લાદવામાં આવશે.

પાકિસ્તાનમાં છ દિવસ માટે સોશિયલ મીડિયા રહેશે બંધ, જાણો શુ છે કારણ ?
Image Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2024 | 1:05 PM

આ વર્ષે જુલાઈથી શરૂ થઈ રહેલા મોહરમ મહિનામાં પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા ક્ષેત્રે એક મોટો ફેરફાર જોવામાં આવશે છે. પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાઝે સમગ્ર પાકિસ્તાનમાં એક નવી પહેલ કરી રહ્યાં છે. ખરેખર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર છેલ્લા ચાર મહિનાથી બ્લોક કરી દેવાયું છે. જેની સફળતા બાદ હવે પાકિસ્તાન અન્ય સોશિયલ મીડિયા ઉપર પણ છ દિવસ માટે પાબંદી લગાવવા જઈ રહ્યું છે.

યુટ્યુબ, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક જેવી ઘણી એપ પાકિસ્તાનમાં મહોરમ મહિના દરમિયાન 6 દિવસ માટે પ્રતિબંધિત રહેશે. પાકિસ્તાન સરકાર આ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, આ પ્રતિબંધનો મુખ્ય ઉદ્દેશ્ય મોહરમ મહિના દરમિયાન તમામ નફરત ફેલાવે તેવી સામગ્રી અને ખોટી માહિતી પર પ્રતિબંધ મૂકવાનો છે. આ પ્રતિબંધ 13 જુલાઈથી 18 જુલાઈ સુધી લાગુ કરવામાં આવશે.

નફરત અને ખોટી માહિતી પર પ્રતિબંધ

સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાદવાનો પ્રસ્તાવ પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝની કેબિનેટ કમિટિ ઓન લો એન્ડ ઓર્ડર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. આની ભલામણ કરતાં એવું કહેવામાં આવ્યું હતું કે આના દ્વારા સંસ્કૃતિ વિશે નફરત ફેલાવવા અને કોઈપણ ખોટી માહિતીને પ્રોત્સાહન આપવાને ઘણી હદ સુધી રોકી શકાય છે. જેના કારણે સાંપ્રદાયિક હિંસાથી બચી શકાય છે. મરિયમ નવાઝે દેશના વડાપ્રધાન અને તેમના કાકા શાહબાઝ શરીફની સરકારને આ પ્રસ્તાવ અંગે નોટિફિકેશન બહાર પાડવા કહ્યું છે.

Emirates કંપનીએ ફ્લાઇટમાં પોતાના પોડકાસ્ટમાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીને કર્યા સામેલ, જુઓ Video
મીઠો લીમડો કઇ બીમારીમાં ઉપયોગી છે?
હાર્દિક સાથે છૂટાછેડાની ચર્ચા વચ્ચે નતાશા ભાભી થયા ગુસ્સે ! વીડિયો થયો વાયરલ
વરસાદમાં ભીના થયા પછી આંખોમાં થાય છે બળતરા, જાણો ઘરેલુ ઉપચાર
Travel Tips : કોઈ ફરવા માટે તૈયાર નથી તો એકલા આ સ્થળોની મુલાકાત લઈ આવો
ડાન્સ ફ્લોર પર મુકેશ અંબાણીનો અલગ અંદાજ, જમાઈ આનંદને ગળે લગાવ્યા...સાથે કર્યો ડાન્સ

સોશિયલ મીડિયા સામે અનેક અધિકારીઓ

આ પ્રસ્તાવ પહેલા પણ પાકિસ્તાનના ઘણા અધિકારીઓ સોશિયલ મીડિયા વિરુદ્ધ બોલતા રહ્યા છે, જેમાં પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરનું નામ પણ સામેલ છે. તેમણે સોશિયલ મીડિયાનું નામ ‘ભ્રષ્ટ મીડિયા’ અને ડિજિટલ ટેરરિઝમ જેવા રાખ્યા છે અને હંમેશા તેની સામે લડવા માટે પ્રેરિત કર્યું છે. આર્મી ચીફ સિવાય પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક ડારે સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધની વાત કરી હતી, ઈશાક ડાર હાલમાં વિદેશ મંત્રીનો હવાલો પણ સંભાળી રહ્યા છે.

તમામ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ પહેલા જ પાકિસ્તાનમાં છેલ્લા ચાર મહિનાથી X ઉપર પ્રતિબંધ લદી દેવામાં આવ્યો છે. આનુ કારણ એવુ કહેવામાં આવી રહ્યું છે કે, સોશિયલ મીડિયા X દ્વારા પાકિસ્તાનમાં થયેલ સામાન્ય ચૂંટણીના પરિણામોમાં વ્યાપકપણે ઘાલમેલ અને ગરબડ થવા ઉપરાંત પરિણામો બદલી દેવાયા હોવા સહિતની ખોટી વિગતોને હવા આપવામાં આવી રહી હતી. જેના કારણે ગત ફેબ્રુઆરી મહિનામાં X ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

Latest News Updates

અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
g clip-path="url(#clip0_868_265)">