UNSCમાં ભારતે ચીનને ફટકાર લગાવી, કહ્યું- ડ્રેગન સરહદી કરારનું ઉલ્લંઘન કરી રહ્યું છે
ભારતે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં આતંકવાદના મુદ્દે ચીનના બેવડા પાત્રનો પર્દાફાશ કર્યો હતો.
ભારતે (india)સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની (unsc) બેઠકમાં આતંકવાદના મુદ્દે ચીનના (china) બેવડા પાત્રનો પર્દાફાશ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે રાજ્યોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના આદરને ધ્યાનમાં રાખીને એકપક્ષીય કાર્યવાહી જેવા મુદ્દાઓ પર ચીનને નિશાન બનાવ્યું. તેમણે કહ્યું કે કોઈપણ બળજબરી અથવા એકપક્ષીય કાર્યવાહી યથાસ્થિતિને બદલવાનો પ્રયાસ કરે છે અને તે સામાન્ય સુરક્ષાનું અપમાન છે. આ સિવાય તેમણે કહ્યું કે સામાન્ય સુરક્ષા ત્યારે જ શક્ય છે જ્યારે દેશો એકબીજાની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતાનું સન્માન કરે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સહિયારી સુરક્ષા ત્યારે જ શક્ય છે, જ્યારે દેશો અન્ય લોકો (દ્વિપક્ષીય અથવા બહુપક્ષીય) સાથે થયેલા કરારોનું સન્માન કરે અને જે કરારોમાં તેઓ પક્ષકારો હતા તેને રદ કરવા માટે એકપક્ષીય પગલાં ન લે.
આતંકવાદ સામે તમામ દેશો એકસાથે ઊભા રહીએ
ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે કહ્યું કે ચીન 2020ની શરૂઆતથી LAC પર તેનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ચીન વારંવાર LAC પાસે સરહદ પર પોતાના સૈનિકોને એકઠા કરી રહ્યું છે. આ મડાગાંઠે દ્વિપક્ષીય સંબંધોને સૌથી નીચા સ્તરે પહોંચાડ્યા છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વી લદ્દાખમાં ચીન અને ભારતીય સૈનિકો વચ્ચે લાંબા સમયથી અથડામણ ચાલી રહી છે. પેંગોંગ લેક વિસ્તારોમાં હિંસક અથડામણને પગલે 5 મે, 2020 ના રોજ સર્જાયેલી મડાગાંઠને ઉકેલવા માટે બંને પક્ષોએ અત્યાર સુધીમાં કોર્પ્સ કમાન્ડર-સ્તરની વાટાઘાટોના 16 રાઉન્ડ યોજ્યા છે. કંબોજે કહ્યું, “સામાન્ય સુરક્ષા પણ ત્યારે જ શક્ય છે જ્યારે તમામ દેશો આતંકવાદ સામે એકસાથે ઉભા હોય અને તેમાં કોઈ બેવડા ધોરણો ન હોય.”
ચીન સરહદી કરારોનું ઉલ્લંઘન કરે છે
તાજેતરમાં, ભારત-ચીન સંબંધો પર એક પ્રશ્નના જવાબમાં, વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે ચીને ભારત સાથેના સીમા કરારનું ઉલ્લંઘન કર્યું છે, જેનાથી દ્વિપક્ષીય સંબંધો પર અસર પડી રહી છે. તેમણે કહ્યું કે કાયમી સંબંધો એકતરફી ન હોઈ શકે અને પરસ્પર સન્માન હોવું જોઈએ. ભારત અને ચીન વચ્ચે 1990ના દાયકાથી કરાર થયા છે. તેમણે કહ્યું, ‘ચીને તેની અવગણના કરી છે. તમે જાણો છો કે થોડા વર્ષો પહેલા ગલવાન ખીણમાં શું થયું હતું. તે સમસ્યા હલ થઈ નથી અને તે સ્પષ્ટપણે અસર કરી રહી છે.
ચીને આતંકવાદીઓના પ્રતિબંધ પર અડચણ ઊભી કરી હતી
નોંધનીય છે કે તાજેતરમાં જ ચીને પાકિસ્તાન સ્થિત આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને સુરક્ષા પરિષદની 1267 અલકાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ સૂચિબદ્ધ કરવાના ભારત અને અમેરિકાના પ્રસ્તાવને અવરોધિત કર્યો હતો. આ સિવાય ચીને સંયુક્ત રાષ્ટ્રમાં જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ અબ્દુલ રઉફ અઝહરને બ્લેકલિસ્ટ કરવાના પ્રસ્તાવ પર પણ તકનીકી રોક લગાવી દીધી હતી. આ સમયે ભારતે કહ્યું હતું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે જ્યારે આતંકવાદ સામે સામૂહિક લડાઈની વાત આવે છે ત્યારે આંતરરાષ્ટ્રીય સમુદાય એક અવાજમાં બોલી શકતો નથી. આંતરરાષ્ટ્રીય સમાચારો અહીં વાંચો.