AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Bee Day: શું તમે મધમાખીઓ વિશે જાણો છો આ રસપ્રદ બાબતો? જાણીને રહી જશો દંગ

માનવ પ્રવૃત્તિઓથી મધમાખીઓ પર તોળાતા જોખમ વિશે ચેતવણી આપવા માટે વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ચાલો આજે જાણીએ મધમાખી વિશે અજાણી વાતો.

World Bee Day: શું તમે મધમાખીઓ વિશે જાણો છો આ રસપ્રદ બાબતો? જાણીને રહી જશો દંગ
વિશ્વ મધમાખી દિવસ (તસ્વીર - રાહુલ વેગડા)
| Updated on: May 20, 2021 | 3:57 PM
Share

બહુ ઓછા લોકો જાણે છે કે જો મધમાખીનો આ પૃથ્વી પરથી નાશ થઇ જાય, તો ગ્રહની આખી ઇકોસિસ્ટમ નાશ પામશે. કમનસીબે મધમાખીની ઘણી જાતો પર જમીન માટે વપરાતા જંતુનાશક દવા, સઘન કૃષિ અને હવામાન પલટાના બદલાવના કારણે જોખમ વધ્યું છે. પરંતુ ઘણાં પગલાં દ્વારા તમે મધમાખીના વિકાસ માટે મદદ કરી શકો છો.

માનવ પ્રવૃત્તિઓથી મધમાખીઓ પર તોળાતા જોખમ વિશે ચેતવણી આપવા માટે વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ લોકોને ઇકોલોજીકલ સિસ્ટમમાં મધમાખીની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે જાગૃત કરવાનો છે. આજે વિશ્વ મધમાખી દિવસ નિમિત્તે, પ્રકૃતિના સખત મહેનતુ પોલિનેટર મધમાખી વિશે કેટલીક આશ્ચર્યજનક વસ્તુઓ જણાવીએ.

મધમાખી વિશે અમેઝિંગ વાતો

જ્યારે મધમાખી નવા માળાની શોધ કરે છે અને તેનું નિરીક્ષણ કરે છે, ત્યારે તે તેની લાક્ષણિકતાઓની ચર્ચા અને પ્રચાર કરવા માટે વેગલ ડાન્સનો ઉપયોગ કરે છે. મધમાખીનું નૃત્ય તેના રહેઠાણ જેટલું સારું હોય છે, તેમજ તેટલું લાંબું અને મુશ્કેલ નૃત્ય કરતી હોય છે. મધમાખી ડાંસ દ્વારા વાતચીત કરી શકે છે અને નિર્ણય લઈ શકે છે. વેગલ નૃત્યની ગતિશીલતા લગભગ 20-30 મધમાખીને માળા માટેના શ્રેષ્ઠ સ્થાનને લઈને રાજી કરે છે, અને બાકીના ઝુંડ અને પંખોથી બીજી મધમાખીઓ વચ્ચે તેમના નિર્ણયને પહોંચાડે છે.

વિયેતનામ અને એશિયાના અન્ય ભાગોમાં મધની મધમાખીના વસાહતો પર હોર્નેટની શિકારી જાતિઓ દ્વારા હુમલો કરવાનો ભય હોય છે. આ સમયગાળા દરમિયાન તેમના મધપુડાનું રક્ષણ કરી રહેલી પુખ્ત મધમાખીને મારી નાખે છે અને યુવાન મધમાખીઓનો શિકાર કરે છે. આવા હુમલાઓથી બચવા માટે મધમાખીઓ પ્રાણીઓના તાજા મળ એકત્રિત કરે છે અને તેમના મધપૂડોના પ્રવેશદ્વારને તેનાથી બંધ કરતી જોવા મળે છે.

વિશ્વમાં મધમાખીની લગભગ 20,000 પ્રજાતિઓ અસ્તિત્વમાં છે.

મધમાખીના વસાહત એટલે મધપૂડામાં તેમની એક રાણી, કાર્યકર્તા અને ડ્રોન હોય છે.

ડ્રોનમાં તમામ નર મધમાખી હોય છે, કાર્યકર્તા મધમાખી મધપૂડોને સાફ કરે છે.

કાર્યકર્તા પરાગ અને અમૃત ભેગા કરે છે અને બાળકોની સંભાળ રાખે છે.

ડ્રોન મધમાખી માત્ર રાણી મધમાખી સાથે સમાગમ માટે જ હોય છે.

રાણી મધમાખી માત્ર ઇંડા આપવાનું કામ કરે છે.

એક મધમાખી તેના સમગ્ર જીવનકાળમાં 12 ચમચી મધ બનાવે છે.

મધમાખીઓ લોકશાહીને અનુસરે છે. નવું મકાન પસંદ કરવા માટે તેમના ગ્રુપમાં ચર્ચા કરવામાં આવે છે.

અંતમાં મતદાન પણ થાય છે અને આ સમય દરમિયાન રાણી મધમાખી તટસ્થ રહે છે.

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">