AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકા અને ચીન વચ્ચેના ટેરિફ યુદ્ધમાં શું ભારત ખરેખરમાં પિસાશે? જાણો ભારતને ફાયદો થશે કે નુકસાન?

અમેરિકા અને ચીન વચ્ચેનો વેપાર તણાવ વધી ગયો છે, બંને દેશોએ એકબીજા પર ભારે ટેરિફ લાદ્યા છે. બંને દેશો વચ્ચેની આ લડાઈને કારણે ટેસ્લા જેવી મોટી કંપનીઓને અસર થશે. બીજું કે, ભારતને આ ટેરિફ યુદ્ધમાંથી નવી-નવી સંભાવનાઓ મળી શકે છે.

અમેરિકા અને ચીન વચ્ચેના ટેરિફ યુદ્ધમાં શું ભારત ખરેખરમાં પિસાશે? જાણો ભારતને ફાયદો થશે કે નુકસાન?
| Updated on: Apr 10, 2025 | 1:17 PM
Share

અમેરિકા અને ચીન વચ્ચે જંગી યુદ્ધ છેડાઈ ગયું છે. હવે આ યુદ્ધથી ભારત પર તેની શું અસર પડશે, તે જાણવું મહત્ત્વનું બન્યું છે. તો ચાલો જાણીએ કે, આ યુદ્ધથી ભારતને ફાયદો થશે કે નુકસાન?

તાજેતરમાં જ અમેરિકા અને ચીન વચ્ચેનો વેપાર તણાવ વધી ગયો છે, બંને દેશોએ એકબીજા પર ભારે ટેરિફ લાદ્યા છે. અમેરિકાએ ચીની આયાત પર 104% સુધીનો ટેરિફ લાદ્યો હતો, જેના જવાબમાં ચીને અમેરિકન ઉત્પાદનો પર 84% સુધીનો ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. હવે એમાંય ફરી એકવાર અમેરિકાએ ચીન પર ટેરિફ વધારીને 125 ટકા કરી દીધો છે.

બે દેશો વચ્ચેની લડાઈમાં તૃતીય પક્ષને હંમેશા ફાયદો થાય છે પરંતુ હવે આ બે દેશો વચ્ચે તૃતીય પક્ષ કોણ છે કે જેને ફાયદો થઈ શકે છે અને ભારત પર તેની શું અસર પડશે તે પણ જાણવા જેવુ છે. તો ચાલો જાણીએ કે, આ યુદ્ધથી ભારતને ફાયદો થશે કે નુકસાન?

ચીન અને અમેરિકાના યુદ્ધની અસર

બંને દેશો વચ્ચેની આ લડાઈને કારણે ટેસ્લા જેવી મોટી કંપનીઓને અસર થશે. બીજું કે, ભારતને આ ટેરિફ યુદ્ધમાંથી નવી-નવી સંભાવનાઓ મળી શકે છે. આનું મુખ્ય કારણ એ છે કે, ચીની બજાર હવે અમેરિકન કંપનીઓ માટે મોંઘુ બનશે, જે તેના વેચાણને સીધી અસર કરશે. બીજીબાજુ, ચીન હવે યુરોપિયન અથવા સ્થાનિક બ્રાન્ડ્સને પ્રાધાન્ય આપી શકે છે, જે વિશ્વમાં અમેરિકાની સ્પર્ધાત્મકતાને નબળી પાડી શકે છે.

ભારત પર શું અસર થશે?

આયાત ખર્ચમાં વધારો: ભારત ઘણા ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો અને ઘટકો માટે ચીન પર નિર્ભર રહે છે. જો આ ઉત્પાદનોના ભાવ વધે છે, તો ભારતીય ગ્રાહકોને વધુ કિંમત ચૂકવવી પડી શકે છે.

નિકાસ પર દબાણ: વૈશ્વિક વેપારમાં અસ્થિરતાને કારણે ભારતીય નિકાસકારોને નવા બજારોમાં સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે નિકાસમાં ઘટાડો થઈ શકે છે.

આ એક ફાયદો થઈ શકે

નવી વ્યવસાયિક તકો: અમેરિકા અને ચીન વચ્ચે વધતા તણાવને કારણે ઘણી કંપનીઓ વૈકલ્પિક સપ્લાય ચેઇન શોધી રહી છે. ભારત આ તકનો લાભ લઈ શકે છે અને એક વિશ્વસનીય સપ્લાય હબ બની શકે છે.

રોકાણને આકર્ષવું: વિદેશી કંપનીઓ જે ચીનમાં રોકાણ કરતી હતી તે હવે ભારતમાં રોકાણ કરવાનું વિચારી શકે છે. આનાથી ભારતીય અર્થતંત્રને વેગ મળશે.

ચીનનું ભારતને આમંત્રણ

ચીને ભારતને અમેરિકાના “ટેરિફ દુરુપયોગ” સામે એક થવા વિનંતી કરી છે. ચીની દૂતાવાસના પ્રવક્તા યુ જિંગે જણાવ્યું હતું કે, “ચીન-ભારતના આર્થિક અને વેપાર સંબંધો પરસ્પર ફાયદાકારક છે. યુએસ ટેરિફના દુરુપયોગનો સામનો કરી રહેલા બે સૌથી મોટા વિકાસશીલ દેશોએ સંયુક્ત રીતે આ મુશ્કેલીઓનો સામનો કરવો જોઈએ.”

આ પણ વાંચો: 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના કાવતરાખોરને ભારત લવાશે, જાણો કોણ છે આ કાવતરાખોર?

Follow Us
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !
જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !
g clip-path="url(#clip0_868_265)">