શું 5 વર્ષથી નીચેની વયના બાળકોને મળશે વેક્સિન ? Pfizer અને BioNTechએ ઇમરજન્સી ઉપયોગની કરી ડિમાન્ડ

BioNTech MD, CEO અને સહ-સ્થાપક ઉગુર સાહિને જણાવ્યું હતું કે, “જો 6 મહિનાથી વધુ ઉંમરના બાળકો માટે રસીકરણની મંજૂરી આપવામાં આવે તો અમે 6 મહિનાથી 4 વર્ષની વયના બાળકોને COVID-19 થી સુરક્ષિત કરવામાં માટે ઉત્સાહિત છે."

શું 5 વર્ષથી નીચેની વયના બાળકોને મળશે વેક્સિન ? Pfizer અને BioNTechએ ઇમરજન્સી ઉપયોગની કરી ડિમાન્ડ
Corona Vaccine (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2022 | 8:36 AM

કોરોનાના (Corona) વધતા જતા  સંક્ર્મણ વચ્ચે ફાર્માસ્યુટિકલ કંપનીઓ ફાઈઝર (Pfizer) અને બાયોએનટેકે (BioNTech) 6 મહિનાથી 5 વર્ષની વયના બાળકો માટે તેમની કોરોના વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે માંગ કરી છે. મંગળવારે બંને ફાર્માસ્યુટિકલ કંપનીઓએ જણાવ્યું હતું કે, ‘ફાઇઝર ઇન્ક. અને બાયોએનટેક SE એ જાહેરાત કરી હતી કે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ની વિનંતીને પગલે કંપનીઓએ Pfizer-BioNTech COVID-19 રસીના ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન (EUA)માં ફેરફાર કરવા માટે રોલિંગ સબમિશન શરૂ કરી દીધું છે.

Pfizer અને BioNTech એ જણાવ્યું હતું કે, “આ વસ્તીમાં જાહેર આરોગ્યની તાકીદની જરૂરિયાત મુજબ જો 6 મહિનાથી 5 વર્ષ સુધીના વયના બાળકોને રસી આપવાની મંજૂરી આપવામાં આવે તો Pfizer-BioNTech રસી 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઉપલબ્ધ પ્રથમ COVID-19 રસી હશે. Pfizer અને BioNTech જણાવ્યું હતું કે તેઓ આગામી દિવસોમાં EUA સબમિશન પૂર્ણ કરવાની અપેક્ષા રાખે છે.

વધતા સંક્ર્મણને કારણે બાળકોની હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં વધારો

Pfizer ના પ્રમુખ અને CEO આલ્બર્ટ બૌરલાએ જણાવ્યું હતું કે, “કોરોનાથી 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં વધારો કર્યો છે. એફડીએ સાથે અમારું પરસ્પર ધ્યેય ભવિષ્યના વિવિધ વેરિઅન્ટ માટે રસી વિકસાવવાનું અને બાળકોને વાયરસથી બચાવવા માટે માતાપિતા માટે વિકલ્પ પૂરો પાડવાનો છે.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

તેમણે કહ્યું, ‘અમારું માનવું છે કે કોરોનાના વર્તમાન અને સંભવિત ભવિષ્યના વેરિએન્ટ સામે લડવા માટે 6 મહિનાથી 4 વર્ષની વયના બાળકો માટે રસીના ત્રણ ડોઝની જરૂર પડશે. જો બે ડોઝની મંજૂરી આપવામાં આવે તો માતાપિતાને ત્રીજા ડોઝની રાહ જોતી વખતે રસીકરણ શરૂ કરવાની તક મળશે. BioNTech MD, CEO અને સહ-સ્થાપક ઉગુર સાહિને જણાવ્યું હતું કે, વૈક્સિન પહેલાથી જ 5 વર્ષની ઉંમરથી શરૂ થાય છે બધા આયુના સભ્યો માટે દવાની તપાસ અને ઘણા અભ્યાસો માટે અનુકૂળ સુરક્ષા, સહનશીલતા સાથે પ્રભાવશાળી પ્રદર્શન કરવામાં આવે છે.

સાહિને જણાવ્યું હતું કે, “જો 6 મહિનાથી વધુ ઉંમરના બાળકો માટે રસીકરણની મંજૂરી આપવામાં આવે તો અમે 6 મહિનાથી5 વર્ષની વય સુધીના બાળકોને કોરોનાથી સુરક્ષિત કરવામાં માટે ઉત્સાહિત છે.”

આ પણ વાંચો : Corona : કોરોના પર જીત જાહેર કરવી ઉતાવળ ભર્યું, ઘણા દેશોએ આપેલી ઢીલ પર WHOની ચેતવણી

આ પણ વાંચો : કોઈ પ્રયોગ નહીં, હવે એરફોર્સમાં મહિલા ફાઈટર પાઈલટ કાયમી થશે, રક્ષા મંત્રાલયનો મોટો નિર્ણય

Latest News Updates

અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
g clip-path="url(#clip0_868_265)">