AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુસીબતોથી ઘેરાયેલા ઈમરાનખાને ઠાલવી વ્યથા, કહ્યું- ભારત રશિયા પાસેથી ઈંધણ ખરીદે તો કંઈ નહીં, અમેરિકા અમારાથી કેમ નારાજ ?

Pakistan Imran Khan: એક દિવસ પહેલા દેશને સંબોધન કર્યા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આજે ફરી એક ભાષણ આપ્યું છે. જેમાં તેમણે વિદેશ નીતિ અને રશિયાની મુલાકાત સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી છે.

મુસીબતોથી ઘેરાયેલા ઈમરાનખાને ઠાલવી વ્યથા, કહ્યું- ભારત રશિયા પાસેથી ઈંધણ ખરીદે તો કંઈ નહીં, અમેરિકા અમારાથી કેમ નારાજ ?
Imran Khan, Prime Minister of Pakistan (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 4:08 PM
Share

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને (Pakistan PM Imran Khan) શુક્રવારે ભાષણ આપતાં સ્વતંત્ર વિદેશ નીતિની જરૂરિયાત વિશે જણાવ્યું હતું અને આ દરમિયાન તેમણે ભારતનું નામ પણ લીધું હતું. પોતાની રાજકીય કારકિર્દીના સૌથી ખરાબ તબક્કાનો સામનો કરી રહેલા ઇમરાને કહ્યું, ‘સ્વતંત્ર વિદેશ નીતિ શા માટે જરૂરી છે? આપણી વિદેશ નીતિ (Imran Khan Speech) સ્વતંત્ર નથી રહી. શરૂઆતમાં તે સાચું હતું, જ્યારે પાકિસ્તાન બન્યું ત્યારે તે નાદાર થઈ ગયું હતું, શરણાર્થીઓ સહિત ઘણી સમસ્યાઓ હતી. પરંતુ વધતી નિર્ભરતાને કારણે સૌથી વધુ નુકસાન પાકિસ્તાનને (Pakistan) થયું છે. સમગ્ર એશિયામાં, 60ના દાયકામાં પાકિસ્તાનનો વિકાસ મોડલ તરીકે ઉપયોગ થતો હતો, પરંતુ તે તેની ક્ષમતા હાંસલ કરી શક્યું નથી.

ઈમરાન ખાને કહ્યું, ‘પાકિસ્તાન તેની ક્ષમતા હાંસલ કરી શક્યું નથી કારણ કે આપણામાં ડિપેન્ડન્સી સિન્ડ્રોમ આવી ગયો છે. આપણી અંદર જે શક્તિ આપવામાં આવી છે, તે માણસને શોધવાનો આપણે ક્યારેય પ્રયાસ કર્યો નથી. જ્યારે વ્યક્તિ પોતાની જાતને આગળ ધપાવે છે, ત્યારે જ તેની ક્ષમતા વધે છે. અને સમાજનું પણ એવું જ છે. જો શરૂઆતમાં એવું આવે કે જો અમને મદદ નહીં મળે, તો અમે નહીં ચાલીએ, તો પહેલા ક્ષમાથી શરૂઆત કરો. તો તે સમાજ નહીં બને. એક સમાજ ત્યારે જ રચાશે જ્યારે તેના કલ્યાણને પ્રાથમિકતા આપતી વિદેશ નીતિ હશે.

મારી રશિયાની મુલાકાતથી ગુસ્સો આવ્યોઃ ઈમરાન

ઈમરાન ખાને રશિયાની મુલાકાતથી નારાજ થયેલા અમેરિકા અંગે વાત કરી. તેણે કહ્યું, ‘આપણા સૌથી શક્તિશાળી દેશે કહ્યું કે તમે રશિયા કેમ ગયા. એક દેશને કહી રહ્યા છે કે તમે શા માટે રશિયાની મુલાકાત લીધી અને ગુસ્સે થઈ ગયા. ભારત દેશ કે જે ક્વોડની અંદર તેનો ભાગીદાર છે, તેને અમેરિકા તમામ રીતે મદદ કરી રહ્યું છે. જે રશિયા સાથે માત્ર તટસ્થ નથી પરંતુ તેની પાસેથી ઈંધણ પણ લઈ રહ્યું છે. આજે હું યુકેના વિદેશ મંત્રીનું નિવેદન વાંચી રહ્યો હતો, યુકેના વિદેશ મંત્રીએ કહ્યુ કે અમે ભારતને ના પાડી શકીએ નહીં, કારણ કે તેમની પાસે સ્વતંત્ર વિદેશ નીતિ છે. તે આઝાદ દેશ છે, તો આપણે (પાકિસ્તાન) શું છીએ ?’

‘વિપક્ષે અમેરિકાનુ ગાણું ગાઈને દેશને નામોશી અપાવી’

ઈમરાન ખાને વિપક્ષો પર વધુ નિશાન સાધતા કહ્યું કે, ‘હું આ માટે તેમને દોષ નથી આપતો, આ અમારી ભૂલ છે. જેમણે અચકન સિવડાવીને ઈન્ટરવ્યુ આપ્યા હતા તેઓ કહેતા હતા કે, અમેરિકાને નારાજ ના કરી શકાય. તેઓ કહી રહ્યા છે કે અમે અમેરિકા વિના પોતાના દેશનો ગુજારો શક્ય નથી. તેમના કારણે જ આજે આપણે અહીં સુધી પહોંચ્યા છીએ. તેઓએ ઉચ્ચ વર્ગના ખાતર આપણા દેશને બરબાદ કર્યો છે. અમેરિકા માટે તેઓએ વિશ્વમાં આપણા દેશને નામોશી અપાવી છે, જેમના પૈસા અને સંપત્તિ વિદેશમાં છે તેઓએ આપણા આર્થિક હિતોનું હનન કર્યુ છે. જે દેશ પોતાના પર ઊભો નથી થતો તે દેશનુ ક્યારેય સન્માન નથી કરાતુ.

આ પણ વાંચોઃ

pakistan Latest News: ઈમરાન ખાનનો દાવો, વિપક્ષો સાથે મળીને સરકાર તોડી પાડવા માગે છે અમેરિકા, અમેરિકાએ આરોપોને નકાર્યા

આ પણ વાંચોઃ

Israel Attack : ઇઝરાયેલની સેનાનો પેલેસ્ટાઈનના વેસ્ટ બેંકમાં રેફ્યુજી કેમ્પ પર હુમલો, બેના મોત, 15 ઈજાગ્રસ્ત 

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">