Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

pakistan Latest News: ઈમરાન ખાનનો દાવો, વિપક્ષો સાથે મળીને સરકાર તોડી પાડવા માગે છે અમેરિકા, અમેરિકાએ આરોપોને નકાર્યા

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે બુધવારે સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાનની વર્તમાન રાજકીય પરિસ્થિતિને લઈને કોઈ પણ અમેરિકન સરકારી એજન્સી અથવા અધિકારીએ ઈસ્લામાબાદને કોઈ પત્ર મોકલ્યો નથી

pakistan Latest News: ઈમરાન ખાનનો દાવો, વિપક્ષો સાથે મળીને સરકાર તોડી પાડવા માગે છે અમેરિકા, અમેરિકાએ આરોપોને નકાર્યા
Imran Khan and Joe Biden (File)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 7:10 AM

Pakistan Latest News: પાકિસ્તાન(Pakistan)ના વડાપ્રધાન ઈમરાન ખાને દાવો કર્યો છે કે તેમની સરકારને તોડવા માટે બહારના દેશમાંથી ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેણે આ ષડયંત્રમાં અમેરિકાની સંડોવણી હોવાની વાત કરી છે. આવી સ્થિતિમાં હવે પાકિસ્તાની વડાપ્રધાનના આરોપો પર અમેરિકાનો જવાબ આવ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા (US State Department spokesman)એ કહ્યું, “આ આરોપોમાં કોઈ સત્ય નથી. અમે પાકિસ્તાનના વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.

આ પહેલા પણ અમેરિકાએ ઈમરાનના આવા આરોપોને નકારી કાઢ્યા હતા. અમેરિકાએ ઈમરાન ખાનની આગેવાની હેઠળની સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં અમેરિકાની સંડોવણીના આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેણે પાકિસ્તાનની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર કોઈ પત્ર મોકલ્યો નથી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે બુધવારે સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાનની વર્તમાન રાજકીય પરિસ્થિતિને લઈને કોઈ પણ અમેરિકન સરકારી એજન્સી અથવા અધિકારીએ ઈસ્લામાબાદને કોઈ પત્ર મોકલ્યો નથી. કથિત પત્રમાં યુએસની સંડોવણી અને પીટીઆઈ સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ વિશે પૂછવામાં આવતા, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું, “આ આરોપોમાં કોઈ સત્ય નથી.”

ઈમરાન ખાને શું કહ્યું?

ઈમરાન ખાને શુક્રવારે પાકિસ્તાનને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન ઈમરાને પહેલા અમેરિકાનું નામ લીધું, પછી કહ્યું કે કોઈ વિદેશી દેશે ધમકીભર્યો પત્ર મોકલ્યો છે, જે પાકિસ્તાન વિરુદ્ધ છે. ઈમરાને કહ્યું કે વિપક્ષ પહેલાથી જ અવિશ્વાસ પ્રસ્તાવને લઈને વિદેશના સંપર્કમાં છે. પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું કે આ પત્ર તેમની વિરુદ્ધ છે સરકાર વિરુદ્ધ નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે જો અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થશે તો પાકિસ્તાનને માફ કરી દેવામાં આવશે, જો તેમ કરવામાં નહીં આવે તો તેને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે. ઈમરાને કહ્યું કે આ એક “સત્તાવાર પત્ર” છે જેના વિશે પાકિસ્તાનના રાજદૂતને જાણ કરવામાં આવી હતી.

રિષભ પંત માટે ઉર્વશી રૌતેલાએ પોતાની ફેવરિટ ટીમ જ બદલી નાખી
શ્રેયસ અય્યર સાથે કારમાં ફરતી છોકરીની 10 સુંદર તસવીરો
Jioનું સૌથી સસ્તું 84 દિવસનું રિચાર્જ, મળશે કોલિંગ અને SMSનો લાભ
IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલરો
ટેરેન્સ લુઈસે કહ્યું, રિયાલિટી શો સ્ક્રિપ્ટેડ હોય છે
પુરુષોમાં HIV ના લક્ષણો કેવી રીતે દેખાય છે?

ઈમરાને ઈસ્લામાબાદમાં એક રેલીમાં કહ્યું હતું કે તેમની વિદેશ નીતિને કારણે તેમની સામે વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ “વિદેશી ષડયંત્ર”નું પરિણામ છે અને તેમને સત્તા પરથી હટાવવા માટે વિદેશમાંથી નાણાં આપવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ની આગેવાની હેઠળની સરકારે બુધવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન વિરુદ્ધ વિદેશી કાવતરાના તેના આરોપો વિદેશમાં દેશના એક દૂતાવાસમાંથી મળેલા ગોપનીય પત્ર પર આધારિત છે.

આ પણ વાંચો-Pakistan: રાષ્ટ્રને સંબોધતા ઈમરાન ખાને કહ્યું- રવિવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન, હું રાજીનામું નહીં આપું, હું છેલ્લા બોલ સુધી રમીશ

અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત
પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત
ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે
ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે
થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ
થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી
ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">