Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુદ્ધ વચ્ચે પુતિન પરમાણુ પરીક્ષણ કરવાની કરી રહ્યા છે તૈયારી, રશિયન વૈજ્ઞાનિકે સિક્રેટ પ્લાનનો કર્યો ખુલાસો

રશિયાએ 1990 પછી એક પણ પરમાણુ પરીક્ષણ કર્યું નથી. પરંતુ પશ્ચિમી અને રશિયન સંરક્ષણ નિષ્ણાતો માને છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કોઈપણ સમયે પરમાણુ પરીક્ષણનો આદેશ આપી શકે છે. તો બીજી તરફ નોર્વેની સરહદ પાસે રેડિયોએક્ટિવ તત્વ સીઝિયમ-137ના કણો મળી આવ્યા છે.

યુદ્ધ વચ્ચે પુતિન પરમાણુ પરીક્ષણ કરવાની કરી રહ્યા છે તૈયારી, રશિયન વૈજ્ઞાનિકે સિક્રેટ પ્લાનનો કર્યો ખુલાસો
nuclear test
Follow Us:
| Updated on: Sep 19, 2024 | 7:51 PM

રશિયન પરમાણુ પરીક્ષણ સાઇટના વડાએ ખુલાસો કર્યો છે કે તેમની સિક્રેટ ટેસ્ટિંગ ફેસિલિટી કોઈપણ સમયે પરમાણુ પરીક્ષણ કરવા માટે તૈયાર છે. તેઓ માત્ર મોસ્કોના ઓર્ડરની રાહ જોઈ રહ્યા છે. સામાન્ય રીતે આવા નિવેદનો આવતા નથી. આ એક એવું નિવેદન છે, જેના કારણે વિશ્વમાં ખળભળાટ મચી શકે છે. આ નિવેદન સાઇટના વડા રીઅર એડમિરલ આંદ્રે સિનિસિન દ્વારા રશિયાના સત્તાવાર અખબાર સાથેની ઈન્ટરવ્યુમાં આપવામાં આવ્યું હતું.

રશિયાએ 1990 પછી એક પણ પરમાણુ પરીક્ષણ કર્યું નથી. પરંતુ પશ્ચિમી અને રશિયન સંરક્ષણ નિષ્ણાતો માને છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કોઈપણ સમયે પરમાણુ પરીક્ષણનો આદેશ આપી શકે છે. તો બીજી તરફ નોર્વેની સરહદ પાસે રેડિયોએક્ટિવ તત્વ સીઝિયમ-137ના કણો મળી આવ્યા છે.

રેડિયોએક્ટિવ કણોની શોધને કારણે એવી ચર્ચા વધી છે કે રશિયા ટૂંક સમયમાં પરમાણુ પરીક્ષણ કરી શકે છે. પરમાણુ પરીક્ષણ થશે કે નહીં તે અંગે મોસ્કોમાં ચર્ચા ચાલી રહી છે. કારણ કે આ ટેસ્ટ બાદ ચીન અને અમેરિકાને પણ પ્રોત્સાહન મળશે. તેઓ પણ ટેસ્ટ કરશે. આનાથી પરમાણુ હથિયાર ધરાવતા દેશો વચ્ચે નવી રેસ શરૂ થશે. આ ત્રણેય દેશોએ સોવિયત સંઘના અંત પછી પરીક્ષણો કર્યા નથી.

હરમનપ્રીત T20માં આ સિદ્ધિ મેળવનાર બીજી ભારતીય બની
ઇતિહાસના સૌથી અમીર ક્રિમિનલ Pablo Escobar નું આવું હતું અજેય સામ્રાજ્ય
મરઘી કેટલા દિવસમાં ઈંડા મૂકે છે?
સુનિતા વિલિયમ્સને લઈ મોટા સમાચાર ! પૃથ્વી પર પાછા ફરવાને લઈ આવી માહિતી
Elaichi water Benefits : ડાયાબિટીસ માટે મળી ગયો રામબાણ ઈલાજ, આ રીતે બનાવો એલચીનું પાણી
Alum and Turmeric Benefits : ફટકડી અને હળદરના મિશ્રણથી દુર થશે શરીરની આ 7 સમસ્યા

રશિયાનું પરમાણુ પરીક્ષણ સ્થળ ક્યાં છે ?

આર્કટિક સમુદ્રમાં રહેલા નોવાયા ઝેમલ્યા દ્વીપસમૂહ એ એક ટાપુ સમૂહ છે જ્યાં કોઈ માણસ રહેતો નથી. સોવિયત સંઘ અને રશિયાએ અહીં 200 થી વધુ પરમાણુ પરીક્ષણો કર્યા છે. અહીં 1961માં વિશ્વનું સૌથી મોટું પરમાણુ પરીક્ષણ થયું હતું. જેને પશ્ચિમી દેશોના સેટેલાઇટ દ્વારા ગુપ્ત રીતે પકડી પાડવામાં આવ્યું હતું.

પુતિને પશ્ચિમી દેશોને ચેતવણી આપી છે કે જો તેઓ યુક્રેનને પશ્ચિમી દેશો પાસેથી મળેલા લાંબા અંતરના શસ્ત્રોનો ઉપયોગ કરવા દેશે તો તે દેશો રશિયા સાથે સીધી લડાઈ કરશે. આ દરમિયાન રીઅર એડમિરલ આંદ્રેએ કહ્યું કે પરમાણુ પરીક્ષણ સ્થળ પરીક્ષણ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અમારી ટીમ તૈયાર છે. જ્યારે ઓર્ડર આવશે ત્યારે અમે તેનું પરીક્ષણ કરીશું.

g clip-path="url(#clip0_868_265)">