AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘પાકિસ્તાનમાં આતંકવાદીઓ હાજર છે, એર સ્ટ્રાઇક કરીને તેમને ખતમ કરવાનો અમને પૂરો હક છે’ : અમેરીકા

અમેરિકાના જણાવ્યા મુજબ અલ કાયદા જેવા ઘણા આતંકવાદી સંગઠનો હાલમાં પાકિસ્તાનમાં છે અને આ બાબત ખરેખર ચિંતાનો વિષય છે. ગુરુવારે પેન્ટાગોને કહ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન છે

'પાકિસ્તાનમાં આતંકવાદીઓ હાજર છે, એર સ્ટ્રાઇક કરીને તેમને ખતમ કરવાનો અમને પૂરો હક છે' : અમેરીકા
US is honestly concerned about Pakistan being a safe heaven for terrorists
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 9:53 AM
Share

અમેરિકા (US) ખરેખર એ હકીકતથી ચિંતિત છે કે પાકિસ્તાન આતંકવાદીઓ માટે સલામત સ્થળ છે. અમેરિકી (America) રાષ્ટ્રપતિ જો બાયડેનના  (US President Joe Biden) મતે, પાકિસ્તાન (Pakistan) માત્ર આતંકવાદી સંગઠનોને સ્થાન પૂરું પાડતું નથી પણ તેમની વૃદ્ધિનું કારણ પણ રહે છે.

અમેરિકાના જણાવ્યા મુજબ અલ કાયદા જેવા ઘણા આતંકવાદી સંગઠનો હાલમાં પાકિસ્તાનમાં છે અને આ બાબત ખરેખર ચિંતાનો વિષય છે. ગુરુવારે પેન્ટાગોને કહ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન છે અને ઘણા વર્ષો પહેલા ઉભી થયેલી આશંકાઓ આજ સુધી સાચી સાબિત થઈ રહી છે.

નિયમિત મીડિયા બ્રીફિંગમાં પેન્ટાગોનના પ્રેસ સેક્રેટરી જ્હોન કિર્બીએ કહ્યું કે પાકિસ્તાને ભૂલવું ન જોઈએ કે તે આજ સુધી વિશ્વના અન્ય ભાગોમાં ફેલાયેલા આતંકવાદ માટે જવાબદાર છે. જો કિર્બીની વાત માની લેવામાં આવે તો અમેરિકાને અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા દ્વારા આતંકવાદના ખતરાને ઘટાડવાનો હજુ પણ અધિકાર છે. કિર્બીએ કહ્યું કે ભલે અમેરિકાની સેનાઓ 20 વર્ષના યુદ્ધ પછી નીકળી ગઈ હોય, પણ આતંકવાદીઓ પર હુમલો કરવાનો અધિકાર હજુ અકબંધ છે.

કિર્બીના શબ્દોમાં, “અમે હંમેશા પાકિસ્તાન સાથેની અમારી ચિંતાઓ અંગે પ્રમાણિક રહ્યા છીએ અને તે સાચું છે કે તેમની સરહદ પર આતંકવાદીઓ માટે સલામત આશ્રયસ્થાનો આજે પણ છે.” આજ સુધી અમારી ચિંતા સાચી છે. કિર્બીએ કહ્યું કે અમેરિકન નેતાઓ જ્યારે પણ તેમના પાકિસ્તાની સમકક્ષો સાથે વાતચીત કરે છે ત્યારે આ મુદ્દો ઉઠાવે છે કે પાકિસ્તાને હંમેશા અફઘાનિસ્તાનના પડોશમાં તેની જવાબદારી નિશ્ચિત કરવી જોઈએ.

કિર્બીએ કહ્યું, “મને લાગે છે કે આ ખૂબ મહત્વનું છે કે પાકિસ્તાનના લોકોને પણ આ સરહદ પર આતંકવાદી સંગઠનો દ્વારા જોખમ છે .” પાકિસ્તાન છેલ્લા ઘણા વર્ષોથી આતંકવાદીઓનું આશ્રયસ્થાન બનવા માટે સમગ્ર વિશ્વના નિશાના પર છે. તે અલ કાયદા અને અન્ય આતંકવાદીઓને જગ્યા પૂરી પાડે છે, અને યુએસ સમર્થિત અશરફ ગની સરકાર દ્વારા આનો ઘણી વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો –

LPG Gas Cylinder Price : પેટ્રોલ – ડીઝલ બાદ હવે LPG Cylinder ના ભાવમાં પણ ભડકો, જાણો લેટેસ્ટ રેટ

આ પણ વાંચો –

Punjab Political Crisis: શું સિદ્ધુ કોંગ્રેસમાં જ રહેશે? પક્ષે વિવાદ ઉકેલવા માટે આ યોજના બનાવી, પંજાબની રાજકીય ઉથલપાથલ પર વાંચો આ 10 મોટા અપડેટ્સ

આ પણ વાંચો –

તમે બેંકમાં Auto Debit Payments ફીચર સેટ કર્યું છે? તો આજથી લાગુ પડેલા ફેરફારને ધ્યાન રાખજો નહીંતર પડશો મુશ્કેલીમાં

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">