AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: યુક્રેન સામેના જંગમાં અત્યાર સુધી 15 હજાર રશિયન સૈનિકોના મોત, 45 હજારથી વધુ ધાયલ થયા હોવાનો અમેરિકાનો દાવો

Russia Ukraine War: અમેરિકન એજન્સી સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (CIA)ના ડિરેક્ટર વિલિયમ્સ બર્ન્સે બુધવારે આ દાવો કર્યો છે. આ યુદ્ધમાં લગભગ 45 હજાર રશિયન સૈનિકો પણ ઘાયલ થયા છે.

Russia Ukraine War: યુક્રેન સામેના જંગમાં અત્યાર સુધી 15 હજાર રશિયન સૈનિકોના મોત, 45 હજારથી વધુ ધાયલ થયા હોવાનો અમેરિકાનો દાવો
યુક્રેન જંગથી અત્યારસુધીમાં 15 હજાર રશિયન સૈનિકો માર્યા ગયાImage Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 11:01 AM
Share

Russia Ukraine War : રશિયા અને યુક્રેન (Ukraine) વચ્ચે ચાલી રહેલા જંગના અંદાજે 5 મહિનાનો સમય થઈ ગયો છે, આ જંગમાં બંન્ને દેશોને ખુબ નુકસાન થયું છે તેનો રિપોર્ટ પણ સામે આવી ચૂક્યો છે. આ વચ્ચે અમેરિકાની ઈન્ટેલીજન્સ (United States) એજન્સીએ યુદ્ધમાં માર્યા ગયા રશિયાના સૌનિકોની સંખ્યા જણાવી છે, અમેરિકાના દાવા અનુસાર યુક્રેન જંગ દરમિયાન અત્યારસુધી રશિયાના અંદાજે 15 હજાર સૌનિકો માર્યા ગયા છે, આ સાથે યુદ્ધમાં અંદાજે 45 હજાર રશિયન સૌનિકો (Russians) ધાયલ થઈ ચૂક્યા છે, આ દાવો સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીએ એટલે કે, સીઆઈએના ડાયરેક્ટર વિલિયમ્સ બનર્સે બુધવારે કર્યો છે.

સીઆઈએ ડાયરેક્ટરે અમેરિકાના કોલોરાડોમાં દાવો કર્યો કે, યુક્રેનમાં પણ મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા છે, તેમણે કહ્યું કે, યુક્રેનના લોકોની માર્યા જવાની સંખ્યા રશિયન લોકોની સંખ્યા કરતા ઓછી છે, તમને જણાવી દઈએ કે, વર્ષ ફ્રેબુઆરીમાં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો. રશિયન સૈનિકો અને યુક્રેનના અન્ય શહેરો પર હુમલો કર્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ યુક્રેનથી નાસી છુટ્યા હતા.

યુક્રેનની સેનાએ પુલનો નાશ કર્યો

યુક્રેનિયન સૈન્યએ રશિયન-અધિકૃત દક્ષિણ યુક્રેનમાં સપ્લાય માર્ગ માટે મહત્વપૂર્ણ પુલ પર હુમલો કર્યો અને નુકસાન પહોંચાડ્યું. તે જ સમયે યુક્રેનના પૂર્વોત્તર ભાગમાં રશિયા દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં 13 વર્ષીય કિશોર સહિત ઘણા નાગરિકો માર્યા ગયા છે. રશિયાના કબજા હેઠળના દક્ષિણ યુક્રેનના ખેરસન ક્ષેત્રમાં મોસ્કો સમર્થિત વહીવટના વડા કિરીલ સ્ટ્રેમોસોવે જણાવ્યું હતું કે ,યુક્રેનિયન દળોએ ડિનીપર નદી પરના પુલ પર મિસાઇલો છોડી હતી, જેમાંથી 11 પુલ પર પડી હતી.

1.4-કિમી-લાંબા પુલને ભારે નુકસાન થયું

ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીએ તેમને ટાંકીને કહ્યું કે, અંદાજે 1.4-કિમી-લાંબા પુલને ભારે નુકસાન થયું છે, પરંતુ તેને ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો નથી. સ્ટ્રેમોસોવે જણાવ્યું હતું કે યુક્રેનિયન સૈન્યએ યુએસ દ્વારા પૂરા પાડવામાં આવેલા HIMARS મલ્ટી-રોકેટ લોન્ચર્સ સાથે હુમલો કર્યો હતો, જેને રશિયાની હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા નિષ્ક્રિય કરવામાં આવી હતી. બ્રિજને વાહનો માટે બંધ કરવામાં આવ્યો નથી, પરંતુ પરિસ્થિતિ ગંભીર છે, એમ તેમણે જણાવ્યું હતું.

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
g clip-path="url(#clip0_868_265)">