AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“PM મોદીનું પોલિટિકલ કરિયર બરબાદ કરવા નથી માગતો”, ટ્રમ્પના આ નિવેદન પર ભારતની પ્રતિક્રિયા

ગત વર્ષે ઓક્ટોબરમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલા એક નિવેદન ફરી સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યુ છે. હવે ભારતના વિદેશ મંત્રાલયે ટ્રમ્પના આ નિવેદન પર સત્તાવાર જવાબ આપ્યો છે. MEA એ કહ્યુ- આ વીડિયો પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

PM મોદીનું પોલિટિકલ કરિયર બરબાદ કરવા નથી માગતો, ટ્રમ્પના આ નિવેદન પર ભારતની પ્રતિક્રિયા
| Updated on: Feb 12, 2026 | 7:46 PM
Share

ભારતના વિદેશ મંત્રાલયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિવાદાસ્પદ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પનું અગાઉનું નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય કારકિર્દી અંગે આપવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું હતું કે આ મામલે “યોગ્ય કાર્યવાહી” કરવામાં આવશે.

ટ્રમ્પે ગયા વર્ષે ઓક્ટોબરમાં આ વિચિત્ર ટિપ્પણી કરી હતી. આ એવા સમયે હતું જ્યારે રશિયા પાસેથી ભારતની તેલ ખરીદીને લઈને અમેરિકા-ભારતના સંબંધો તણાવપૂર્ણ હતા.

વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું હતું કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દી પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણીનો વીડિયો જોયો નથી. વિદેશ મંત્રાલય (MEA) એ કહ્યું હતું કે તે આ મામલે યોગ્ય કાર્યવાહી કરશે.

અમે તેના પર યોગ્ય કાર્યવાહી કરશુ

વિદેશ મંત્રાલયની સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં, પ્રવક્તા રણધીર જયસ્વાલને ટ્રમ્પની ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યું હતું.

આનો જવાબ આપતા જયસ્વાલે કહ્યું હતું કે, “મેં વીડિયો જોયો નથી… જોકે, જો આવો કોઈ વીડિયો હશે, પછી ભલે તે સાચો હોય કે ખોટો, અમે તેના પર યોગ્ય કાર્યવાહી કરીશું.”

પોતાના વિચિત્ર અને બેબાક નિવેદનો માટે જાણીતા અમેરિકન રાષ્ટ્રપતિએ 15 ઓક્ટોબર, 2025 ના રોજ આ નિવેદન આપ્યું હતું. જોકે, આ વીડિયો સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થઈ રહ્યો છે. તેમણે પીએમ મોદીની પ્રશંસા પણ કરી હતી અને દાવો કર્યો હતો કે ભારતે અમેરિકાને ખાતરી આપી હતી કે તે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે. આ વાતચીત દરમિયાન ટ્રમ્પ સામાન્ય રીતે બડાઈ મારતા હતા, જોકે ભારતે આવી કોઈ પણ ખાતરીનો ઇનકાર કર્યો હતો.

ભારતે હંમેશા કહેતુ આવ્યુ છે કે તેના 140 અબજ ભારતીયોની ઊર્જા સુરક્ષા તેના માટે મહત્વપૂર્ણ છે, અને તે આને ધ્યાનમાં રાખીને કામ કરશે.

વ્હાઇટ હાઉસમાં બોલતા, ટ્રમ્પે પીએમ મોદીની પ્રશંસા કરી, તેમને “મહાન માણસ” અને સમયની કસોટી પર ખરા ઉતરેલા નેતા ગણાવ્યા. પછી તેમણે ભાર મૂક્યો કે પીએમ મોદી “ટ્રમ્પને પ્રેમ કરે છે”.

યુએસ રાષ્ટ્રપતિ એક ક્ષણ માટે અટક્યા અને થોડુ વિચારીને બોલ્યા કે . ટ્રમ્પે તરત જ એ વાત પર ભાર મૂક્યો કે “પ્રેમ” શબ્દને નકારાત્મક રીતે ન લેવો જોઈએ, કારણ કે તેઓ પીએમ મોદીની રાજકીય કારકિર્દી બગાડવા માંગતા ન હતા.

“મોદી એક મહાન માણસ છે. તેઓ ટ્રમ્પને પ્રેમ કરે છે… હું નથી ઇચ્છતો કે તમે ‘પ્રેમ’ શબ્દને અલગ રીતે લો. હું તેમની રાજકીય કારકિર્દી બગાડવા માંગતો નથી,” ટ્રમ્પે પોતાની લાક્ષણિક શૈલીમાં હસતાં કહ્યું.

ટ્રમ્પની આ ટિપ્પણી 17 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદીને તેમના જન્મદિવસ પર અભિનંદન આપ્યાના થોડા દિવસો પછી આવી, જ્યારે ભારત-અમેરિકા સંબંધો ધીમે ધીમે પાટા પર પાછા આવી રહ્યા હતા.

ICC T20 WC 2026: આ પાકિસ્તાની બોલર તેની બોલિંગ સ્ટાઈલને લઈને થયો ટ્રોલ, લોકોએ કહ્યુ પથ્થરબાજી કરે છે ગેંદબાજી?

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા
સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના છોડ પકડાયા
સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના છોડ પકડાયા
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે
રાજુ કરપડાનો દાવો: ગોપાલ ઇટાલિયાને કારણે AAP આગળ નહીં આવે
રાજુ કરપડાનો દાવો: ગોપાલ ઇટાલિયાને કારણે AAP આગળ નહીં આવે
“48 ઘરો, એક ચોર અને મોંઘા બુટ…ચોરનો તરખાટ”
“48 ઘરો, એક ચોર અને મોંઘા બુટ…ચોરનો તરખાટ”
ભારત બંધનું એલાન સુપર ફ્લોપ રહ્યું
ભારત બંધનું એલાન સુપર ફ્લોપ રહ્યું
આજનો દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે સફળતાનો દિવસ
આજનો દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે સફળતાનો દિવસ
વર્ષો જૂના દબાણો પર ડિમોલિશન; 20થી વધુ મકાન અને ગલ્લા તોડી પડાયા
વર્ષો જૂના દબાણો પર ડિમોલિશન; 20થી વધુ મકાન અને ગલ્લા તોડી પડાયા
જામનગરમાં પાણીજન્ય રોગચાળો વકાર્યો મનપાની 27 ટીમો ક્લોરીનેશન કામગીરીમા
જામનગરમાં પાણીજન્ય રોગચાળો વકાર્યો મનપાની 27 ટીમો ક્લોરીનેશન કામગીરીમા
g clip-path="url(#clip0_868_265)">