બ્રિટનમાં ખાલિસ્તાનીઓએ મચાવ્યો હંગામો, લંડન સ્થિત ભારતીય કમિશનની બિલ્ડિંગ પરથી ઉતાર્યો રાષ્ટ્રધ્વજ

TV9 GUJARATI

|

Updated on: Mar 19, 2023 | 11:59 PM

અંગેજોની ધરતી એવા બ્રિટન દેશમાંથી એક ચોંકવાનારા સમાચાર સામે આવ્યા છે. લંડન સ્થિત ભારતીય કમિશનની બિલ્ડિંગ પરથી કેટલાક ખાલિસ્તાનીઓના જૂથે ભારતનો તિરંગો ઝંડો ઉતાર્યો હતો. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

બ્રિટનમાં ખાલિસ્તાનીઓએ મચાવ્યો હંગામો, લંડન સ્થિત ભારતીય કમિશનની બિલ્ડિંગ પરથી ઉતાર્યો રાષ્ટ્રધ્વજ
Khalistanis

અંગેજોની ધરતી એવા બ્રિટન દેશમાંથી એક ચોંકવાનારા સમાચાર સામે આવ્યા છે. લંડન સ્થિત ભારતીય કમિશનની બિલ્ડિંગ પરથી કેટલાક ખાલિસ્તાનીઓના જૂથે ભારતનો તિરંગો ઝંડો ઉતાર્યો હતો. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં કેટલાક ખાલિસ્તાની તરફી જૂથોએ ત્રિરંગાને બદલી નાખ્યા પછી ભારતે રવિવારે મોડી સાંજે નવી દિલ્હીમાં યુકેના સૌથી વરિષ્ઠ રાજદ્વારીને મજબૂત વિરોધ નોંધાવવા માટે બોલાવ્યા.

આ ઘટના પાછળ ખાલિસ્તાન સહાનુભૂતિ ધરાવતા અમૃતપાલ સિંહ અને તેના સહયોગીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધ હોવાનું સામે આવ્યુ છે. પોલીસે રવિવારે કટ્ટરપંથી ઉપદેશક અમૃતપાલ સિંઘની શોધમાં સમગ્ર પંજાબમાં ફ્લેગ માર્ચ અને શોધખોળ હાથ ધરી હતી, વધુ 34 સમર્થકોની ધરપકડ કરી હતી.

આ રહ્યો એ વાયરલ વીડિયો

ઓસ્ટ્રેલિયામાં પણ ખાલિસ્તાનીઓની દાદાગીરી

ખાલિસ્તાન સમર્થકો ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ભારતના માનદ વાણિજ્ય દૂતાવાસની નજીક અનધિકૃત રીતે એકઠા થયા હતા અને ઓફિસમાં પ્રવેશ પર રોક લગાવી દીધી હતી, સુરક્ષા કારણોસર બુધવારે એમ્બેસીને બંધ રાખવાની ફરજ પડી હતી. આના થોડા દિવસો પહેલા ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આશ્વાસન આપ્યું હતું કે તેમની સરકાર ઉગ્રવાદી કાર્યવાહીને સહન નહીં કરે.

ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાય વિરુદ્ધ કટ્ટરપંથી પ્રવૃત્તિઓની શ્રેણીમાં આ બીજી ઘટના છે. ખાલિસ્તાન સમર્થકોએ બ્રિસ્બેનના તારિંગા ઉપનગરમાં સ્વાન રોડ પર માનદ કોન્સ્યુલેટના પ્રવેશદ્વારને અવરોધિત કર્યા, દૂતાવાસને બંધ કરવાની ફરજ પડી. ક્વીન્સલેન્ડ પોલીસે કહ્યું કે આ લોકો અનધિકૃત રીતે ભેગા થયા હતા.

કેનેડામાં પણ ખાલિસ્તાનીઓના ઉધામા

ભારત સરકાર કેનેડા (Canada)માં ખાલિસ્તાન સમર્થિત આંદોલન (Pro-Khalistan Movement)ને  લઈને એલર્ટ મોડ પર આવી ગઈ છે અને સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યુ છે. કેનેડામાં, આ ચળવળ એક નવા ચરણમાં શરૂ થઈ ગઈ છે. ભારતની સૌથી મોટી ચિંતા કેનેડા અને ભારતમાં કાર્યરત સંગઠિત ગુનાહિત ગેંગ વચ્ચેના વધતા સંબંધો છે. આ ચિંતા એટલા માટે પણ છે કારણ કે કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીય (Indian) લોકો રહે છે.

ભારતીય અધિકારીઓએ વેબસાઈટ હિન્દુસ્તાન ટાઈમ્સને જણાવ્યું હતું કે હાલ કેનેડામાં ઓછામાં ઓછા આવા આઠ અગ્રણી ગેંગ લીડર રહે છે અને તેઓ ત્યાંથી ગુનાહિત ગતિવિધિઓને અંજામ આપી રહ્યા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે કેનેડા સ્થિત કેટલાક ઉગ્રવાદીઓ અને ગેંગસ્ટરો વચ્ચેની આ સાંઠગાંઠ ભારતમાં ફુટ સોલ્જર્સની સુવિધા આપે છે, જે તે પહેલાં ન હતી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati