AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનનું સુકાન સંભાળનાર શાહબાઝ શરીફને PM મોદીની શુભેચ્છા, શું ઉકેલાશે ભારત-પાકિસ્તાનના સમીકરણો ?

શહેબાઝ શરીફને (Shehbaz Sharif) વિશ્વભરના દેશોના ટોચના નેતાઓ તરફથી શુભેચ્છા મળી રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પણ પાડોશી દેશના નવા વઝીર-એ-આઝમને અભિનંદન પાઠવ્યા છે.

પાકિસ્તાનનું સુકાન સંભાળનાર શાહબાઝ શરીફને PM મોદીની શુભેચ્છા, શું ઉકેલાશે ભારત-પાકિસ્તાનના સમીકરણો ?
PM Modi Congratulated to shehbaz sharif
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 8:05 AM
Share

પાકિસ્તાનમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા રાજકીય મતભેદ(Pakistan Political Crisis)  બાદ આખરે શાહબાઝ શરીફને (PM Shehbaz Sharif)  દેશના નવા વડાપ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PMLN) ના પ્રમુખ શરીફે આજે PM તરીકે શપથ લીધા. ઈમરાન ખાનને સત્તા પરથી હટાવ્યા બાદ શરીફ દેશના નવા PM તરીકે ચૂંટાયા છે. શાહબાઝ શરીફને વિશ્વભરના દેશોના ટોચના નેતાઓ તરફથી શુભેચ્છા મળી રહી છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પણ પાડોશી દેશના નવા વઝીર-એ-આઝમને અભિનંદન આપ્યા છે અને તેમના ‘કાશ્મીર રાગ’ પર જવાબ પણ આપ્યો છે.

કાશ્મીર મુદ્દા પર શાંતિપૂર્ણ ઉકેલ ન આવે ત્યાં સુધી શાંતિ શક્ય નથી

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને પાકિસ્તાનના નવા ચૂંટાયેલા વડાપ્રધાન શાહબાઝને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું, “મિયાં મોહમ્મદ શાહબાઝ શરીફને પાકિસ્તાનના વડાપ્રધાન(Pakistan new PM)  તરીકે ચૂંટાવા બદલ અભિનંદન. ભારત આ ક્ષેત્રમાં આતંકવાદ મુક્ત શાંતિ અને સ્થિરતા ઈચ્છે છે, જેથી આપણે દેશના વિકાસ સામેના પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ અને આપણા લોકોની સુખાકારી અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરી શકીએ.તમને જણાવી દઈએ કે, આ પહેલા શાહબાઝ શરીફે કહ્યું હતુ કે અમે ભારત સાથે વધુ સારા સંબંધો ઈચ્છીએ છીએ, પરંતુ જ્યાં સુધી કાશ્મીર મુદ્દા પર શાંતિપૂર્ણ ઉકેલ ન આવે ત્યાં સુધી શાંતિ શક્ય નથી.

પાકિસ્તાનની ડૂબતી નાવડીના નવા સુકાની

શાહબાઝ શરીફે સોમવારે પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમના શપથ ગ્રહણ સાથે, 8 માર્ચે ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યા બાદ દેશમાં અનિશ્ચિતતાની સ્થિતિનો અંત આવ્યો છે. રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વીની ગેરહાજરીમાં સેનેટ પ્રમુખ સાદિક સંજરાણીએ 70 વર્ષીય શાહબાઝને પદના શપથ લેવડાવ્યા હતા.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : India-USA : યુએસ પ્રેસિડેન્ટ જો બાઈડને યુક્રેનમાં ભારતીય મદદની પ્રશંસા કરી, પીએમ મોદીએ કહ્યું- વાટાઘાટોથી સમસ્યાનો ઉકેલ આવશે

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">