PM તરીકે ચૂંટાયા બાદ શાહબાઝ શરીફે ઈમરાન પર કટાક્ષ કર્યો, કહ્યું- વિદેશી શક્તિઓ સાથે ષડયંત્રના પુરાવા મળશે તો હું તરત જ રાજીનામું આપીશ

શાહબાઝે કહ્યું, હું પાકિસ્તાનના નાગરિકને સત્યની સાથે ઊભા રહેવા બદલ અભિનંદન આપું છું. આપણે પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયની ઉજવણી કરવી જોઈએ. પત્રના સંબંધમાં વિદેશી ષડયંત્ર વિશે ઘણું જુઠ્ઠું ફેલાવવામાં આવ્યું છે.

PM તરીકે ચૂંટાયા બાદ શાહબાઝ શરીફે ઈમરાન પર કટાક્ષ કર્યો, કહ્યું- વિદેશી શક્તિઓ સાથે ષડયંત્રના પુરાવા મળશે તો હું તરત જ રાજીનામું આપીશ
Shehbaz Sharif
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 8:09 PM

પાકિસ્તાન (Pakistan) મુસ્લિમ લીગ-નવાઝના પ્રમુખ શાહબાઝ શરીફ (Shahbaz Sharif) દેશના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. પીએમ તરીકે ચૂંટાયા બાદ શાહબાઝ શરીફે નેશનલ એસેમ્બલીમાં કહ્યું કે “અલ્લાહે પાકિસ્તાનને બચાવ્યું અને પસંદ કરેલા પીએમને ઘરની બહારનો રસ્તો બતાવ્યો”. પાકિસ્તાનના નવા ચૂંટાયેલા પીએમ શાહબાઝ શરીફે કહ્યું, આજે અલ્લાહે પાકિસ્તાન અને દેશના 22 કરોડ લોકોને બચાવ્યા છે. આ પ્રથમ વખત છે જ્યારે અવિશ્વાસનો મત સફળતાપૂર્વક પસાર થયો છે. દેશના લોકો આ દિવસની ઉજવણી કરશે.

શાહબાઝે કહ્યું, હું પાકિસ્તાનના નાગરિકને સત્યની સાથે ઊભા રહેવા બદલ અભિનંદન આપું છું. આપણે પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયની ઉજવણી કરવી જોઈએ. પત્રના સંબંધમાં વિદેશી ષડયંત્ર વિશે ઘણું જુઠ્ઠું ફેલાવવામાં આવ્યું છે જે હજુ સુધી બહાર આવ્યું નથી. મેં તેને જોયો નથી. હું કહેવા માંગુ છું કે ન કોઈ દેશદ્રોહી હતું અને ન કોઈ દેશદ્રોહી છે.

‘પત્રને લઈને નાટક કરવામાં આવી રહ્યું છે’

રહસ્યમય પત્ર પર શાહબાઝે કહ્યું, પત્રને લઈને ડ્રામા કરવામાં આવી રહ્યો છે. આ બધી છેતરપિંડી છે. હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ. ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે પાકિસ્તાનમાં અવિશ્વાસ પ્રસ્તાવ સફળ થયો છે. ઈમરાન ખાનના અમેરિકાના નિવેદનો પર પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફે નેશનલ એસેમ્બલીમાં કહ્યું કે જો પત્ર કેસમાં અમારી સહેજ પણ સંડોવણી સાબિત થશે તો હું પોતે અહીંથી રાજીનામું આપીને ઘરે જઈશ.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

‘બુરાઈ પર અચ્છાયની જીત’

શાહબાઝે કહ્યું કે પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિને કહેવાતા વિદેશી ષડયંત્ર સાથે જોડાયેલા વિવાદિત પત્ર અંગે જાણ કરવામાં આવશે. ઈમરાન ખાનના વિદેશ વિવાદને ડ્રામા ગણાવતા તેમણે કહ્યું કે બુરાઈ પર અચ્છાયની જીત થઈ છે. નેશનલ એસેમ્બલીમાં કુરેશીના ચૂંટણીના બહિષ્કાર બાદ 70 વર્ષીય શાહબાઝ જ આ પદના દાવેદાર હતા. જીત માટે 342 સભ્યોના ગૃહમાં 172 સાંસદોના સમર્થનની જરૂર હતી. ત્રણ વખતના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ શાહબાઝને 174 મત મળ્યા, જે 172ની સાદી બહુમતી કરતાં બે વધુ છે.

આ પણ વાંચો: PM મોદીએ ભરૂચ ફેક્ટરી દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી, ઇજાગ્રસ્તોને 50 હજારની મદદ

આ પણ વાંચો: Rajkot: 90 વર્ષના દાદી યુવાનોને શરમાવે તે રીતે ફેરવી રહ્યાં છે તલવાર, યુવતીઓને કહે છે હિંમતથી આગળ વધો

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">