AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM તરીકે ચૂંટાયા બાદ શાહબાઝ શરીફે ઈમરાન પર કટાક્ષ કર્યો, કહ્યું- વિદેશી શક્તિઓ સાથે ષડયંત્રના પુરાવા મળશે તો હું તરત જ રાજીનામું આપીશ

શાહબાઝે કહ્યું, હું પાકિસ્તાનના નાગરિકને સત્યની સાથે ઊભા રહેવા બદલ અભિનંદન આપું છું. આપણે પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયની ઉજવણી કરવી જોઈએ. પત્રના સંબંધમાં વિદેશી ષડયંત્ર વિશે ઘણું જુઠ્ઠું ફેલાવવામાં આવ્યું છે.

PM તરીકે ચૂંટાયા બાદ શાહબાઝ શરીફે ઈમરાન પર કટાક્ષ કર્યો, કહ્યું- વિદેશી શક્તિઓ સાથે ષડયંત્રના પુરાવા મળશે તો હું તરત જ રાજીનામું આપીશ
Shehbaz Sharif
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 8:09 PM
Share

પાકિસ્તાન (Pakistan) મુસ્લિમ લીગ-નવાઝના પ્રમુખ શાહબાઝ શરીફ (Shahbaz Sharif) દેશના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. પીએમ તરીકે ચૂંટાયા બાદ શાહબાઝ શરીફે નેશનલ એસેમ્બલીમાં કહ્યું કે “અલ્લાહે પાકિસ્તાનને બચાવ્યું અને પસંદ કરેલા પીએમને ઘરની બહારનો રસ્તો બતાવ્યો”. પાકિસ્તાનના નવા ચૂંટાયેલા પીએમ શાહબાઝ શરીફે કહ્યું, આજે અલ્લાહે પાકિસ્તાન અને દેશના 22 કરોડ લોકોને બચાવ્યા છે. આ પ્રથમ વખત છે જ્યારે અવિશ્વાસનો મત સફળતાપૂર્વક પસાર થયો છે. દેશના લોકો આ દિવસની ઉજવણી કરશે.

શાહબાઝે કહ્યું, હું પાકિસ્તાનના નાગરિકને સત્યની સાથે ઊભા રહેવા બદલ અભિનંદન આપું છું. આપણે પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયની ઉજવણી કરવી જોઈએ. પત્રના સંબંધમાં વિદેશી ષડયંત્ર વિશે ઘણું જુઠ્ઠું ફેલાવવામાં આવ્યું છે જે હજુ સુધી બહાર આવ્યું નથી. મેં તેને જોયો નથી. હું કહેવા માંગુ છું કે ન કોઈ દેશદ્રોહી હતું અને ન કોઈ દેશદ્રોહી છે.

‘પત્રને લઈને નાટક કરવામાં આવી રહ્યું છે’

રહસ્યમય પત્ર પર શાહબાઝે કહ્યું, પત્રને લઈને ડ્રામા કરવામાં આવી રહ્યો છે. આ બધી છેતરપિંડી છે. હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ. ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે પાકિસ્તાનમાં અવિશ્વાસ પ્રસ્તાવ સફળ થયો છે. ઈમરાન ખાનના અમેરિકાના નિવેદનો પર પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફે નેશનલ એસેમ્બલીમાં કહ્યું કે જો પત્ર કેસમાં અમારી સહેજ પણ સંડોવણી સાબિત થશે તો હું પોતે અહીંથી રાજીનામું આપીને ઘરે જઈશ.

‘બુરાઈ પર અચ્છાયની જીત’

શાહબાઝે કહ્યું કે પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિને કહેવાતા વિદેશી ષડયંત્ર સાથે જોડાયેલા વિવાદિત પત્ર અંગે જાણ કરવામાં આવશે. ઈમરાન ખાનના વિદેશ વિવાદને ડ્રામા ગણાવતા તેમણે કહ્યું કે બુરાઈ પર અચ્છાયની જીત થઈ છે. નેશનલ એસેમ્બલીમાં કુરેશીના ચૂંટણીના બહિષ્કાર બાદ 70 વર્ષીય શાહબાઝ જ આ પદના દાવેદાર હતા. જીત માટે 342 સભ્યોના ગૃહમાં 172 સાંસદોના સમર્થનની જરૂર હતી. ત્રણ વખતના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ શાહબાઝને 174 મત મળ્યા, જે 172ની સાદી બહુમતી કરતાં બે વધુ છે.

આ પણ વાંચો: PM મોદીએ ભરૂચ ફેક્ટરી દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી, ઇજાગ્રસ્તોને 50 હજારની મદદ

આ પણ વાંચો: Rajkot: 90 વર્ષના દાદી યુવાનોને શરમાવે તે રીતે ફેરવી રહ્યાં છે તલવાર, યુવતીઓને કહે છે હિંમતથી આગળ વધો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">