AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PTIના વરિષ્ઠ નેતાનો દાવો, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના જીવને ખતરો, હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું

ઈમરાન ખાન પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. તાજેતરની માહિતી અનુસાર, ઈમરાન ખાનને 155 સભ્યોનું સમર્થન છે, જ્યારે વિપક્ષ પાસે 186 સભ્યોનું સમર્થન છે.

PTIના વરિષ્ઠ નેતાનો દાવો, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના જીવને ખતરો, હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું
Pakistan PM Imran Khan (File)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 7:29 AM
Share

 પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ(Pakistan Tehreek-e-Insaf)ના વરિષ્ઠ નેતા ફૈઝલ વાવડાએ દાવો કર્યો છે કે વડાપ્રધાન ઈમરાન ખાન(Prime Minister Imran Khan) ના જીવને ખતરો છે કારણ કે તેમની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. આ સમાચાર પાકિસ્તાનના ARY ન્યૂઝે ટાંક્યા છે. આ સાથે જ પાકિસ્તાન(Pakistan) માં રાજકીય ઉથલપાથલ તેજ થઈ ગઈ છે. બુધવારે વિપક્ષે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં સરકારના સહયોગી MQMએ વિપક્ષ સાથે જવાની જાહેરાત કરી હતી.

પાકિસ્તાનમાં ચાલી રહેલા અશાંતિ વચ્ચે આજે ઈમરાન ખાન દેશને સંબોધન કરવાના હતા, પરંતુ હવે તેમનું સંબોધન રદ કરવામાં આવ્યું છે. આ પહેલા સમાચાર આવ્યા હતા કે આ કાર્યક્રમમાં ઈમરાન ખાન પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. તાજેતરની માહિતી અનુસાર, ઈમરાન ખાનને 155 સભ્યોનું સમર્થન છે, જ્યારે વિપક્ષ પાસે 186 સભ્યોનું સમર્થન છે.

ઈમરાન ખાનને સત્તામાં રહેવા માટે 342 સભ્યોના ગૃહમાં 172 મતોની જરૂર છે. ગૃહમંત્રી શેખ રશીદે કહ્યું છે કે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન 3 એપ્રિલે થશે. પાકિસ્તાનની વિપક્ષી પાર્ટીઓ વડાપ્રધાન ઈમરાન ખાનની સરકારને તોડી પાડવા માટે જોરદાર પ્રયાસ કરી રહી છે. પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM), જેમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (PML-N) અને જમિયત ઉલેમા-એ-ઇસ્લામ ફઝલ (JUI-I) નો સમાવેશ થાય છે, એ સોમવારે રાત્રે ઇસ્લામાબાદમાં શ્રીનગર હાઇવે પર એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સાથી અને મુખ્ય ગઠબંધન ભાગીદાર મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન (MQM) વિપક્ષી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) સાથે કરાર કર્યા પછી પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન રાજીનામું આપે તેવી શક્યતા છે.

હું છેલ્લી ઓવર, છેલ્લા બોલ સુધી રમીશઃ ઈમરાન ખાન

વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવાના સમાચાર વચ્ચે ઈમરાન ખાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેઓ આ પદ છોડશે નહીં. કેબિનેટ બેઠકમાં ઈમરાને કહ્યું કે હું આજે રાજીનામું નહીં આપીશ, હું છેલ્લી ઓવર, છેલ્લા બોલ સુધી રમીશ. તે જ સમયે, વિપક્ષના નેતા શાહબાઝ શરીફે કહ્યું છે કે આજનો દિવસ પાકિસ્તાનની તારીખનો મહત્વપૂર્ણ દિવસ છે. ઈમરાન ખાનને સત્તા પરથી હટાવ્યા બાદ શરીફને દેશના નવા વડાપ્રધાન બનાવવામાં આવી શકે છે.

આ પણ વાંચો-Pakistan Imran Khan: ઈમરાન ખાન અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા રાજીનામું આપશે ! આજે પાકિસ્તાનને કરશે સંબોધન

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">