AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ukraine-Russia: યુરોપમાં યુદ્ધનો ખતરો ટળ્યો, રશિયન સૈનિકોએ યુક્રેનની સરહદેથી સૈન્ય મથકો પર પાછા ફરવાનું શરૂ કર્યું

Russia-Ukraine Conflict: અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે સૈન્ય કવાયતમાં સામેલ કેટલા એકમોએ પરત ફરવાનું શરૂ કર્યું છે. જો કે, આનાથી ચોક્કસપણે તણાવ ઓછો થશે.

Ukraine-Russia: યુરોપમાં યુદ્ધનો ખતરો ટળ્યો, રશિયન સૈનિકોએ યુક્રેનની સરહદેથી સૈન્ય મથકો પર પાછા ફરવાનું શરૂ કર્યું
Russian troops began to return to military bases from the border of Ukraine
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 3:35 PM
Share

રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ (Russia-Ukraine Tensions) ઓછો થતો જણાય છે. રશિયાએ મંગળવારે કહ્યું કે તે યુક્રેનની સરહદ નજીક તૈનાત તેના કેટલાક સૈનિકોને તેમના સૈન્ય મથક પર પાછા મોકલી રહ્યું છે. યુક્રેન સહિત પશ્ચિમી દેશો સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે મડાગાંઠને ખતમ કરવાની દિશામાં આ પહેલું મોટું પગલું છે. યુક્રેન પર રશિયાના હુમલાને લઈને રાજદ્વારી પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે આ પગલું લેવામાં આવ્યું છે. જો કે, રશિયાએ હજુ પણ યુક્રેનની સરહદ પર દસ લાખથી વધુ સૈનિકો તૈનાત કર્યા છે.

યુક્રેન કટોકટી ચરમસીમાએ પહોંચી છે, કારણ કે યુએસ અધિકારીઓએ આ અઠવાડિયે ચેતવણી આપી હતી કે રશિયા યુક્રેનની રાજધાની કિવ પર થોડા દિવસોમાં હુમલો કરી શકે છે. મંગળવારે સવારે, રશિયાના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુક્રેનની સરહદ નજીક તૈનાત સુરક્ષા દળોએ તેમની સૈન્ય કવાયત પૂર્ણ કરી લીધી છે અને તેઓ પાછા જવાની તૈયારી કરી રહ્યા છે. મંત્રાલયના પ્રવક્તા ઇગોર કોનાશેન્કોવે જણાવ્યું હતું કે દક્ષિણ અને પશ્ચિમી સૈન્ય જિલ્લાઓના એકમોએ, તેમની સોંપણીઓ પૂર્ણ કર્યા પછી, ટ્રેનો અને કારમાં સવારી કરવાનું શરૂ કર્યું અને આજે તેમના લશ્કરી ગેરિસન તરફ જવાનું શરૂ કરશે.

અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે સૈન્ય કવાયતમાં સામેલ કેટલા એકમોએ પરત ફરવાનું શરૂ કર્યું છે. યુક્રેનની આસપાસ તૈનાત રશિયન સૈનિકોની સંખ્યા પર સૈનિકો પાછા ખેંચવાથી શું અસર થશે તે પણ જાણી શકાયું નથી. જો પશ્ચિમી અધિકારીઓ પણ પુષ્ટિ કરે છે કે રશિયાએ તેના સૈનિકો ઘટાડ્યા છે, તો તે યુરોપમાં મોટા યુદ્ધની સંભાવનાને ઘટાડશે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી તણાવ ચરમસીમાએ હતો, કારણ કે સેટેલાઇટ ઈમેજીસમાં યુક્રેન પર ત્રિ-પાંખીય હુમલો કરવાની રશિયાની યોજના જાહેર થઈ હતી.

ન્યૂઝ એજન્સી ‘એપી’ અનુસાર, ક્રેમલિન (રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય) એ સોમવારે સંકેત આપ્યો કે તે સુરક્ષા ફરિયાદોને લઈને પશ્ચિમી દેશો સાથે વાતચીત માટે તૈયાર છે, જેનાથી એવી આશા જાગી છે કે રશિયા હાલમાં યુક્રેન પર હુમલો કરશે નહીં. જો કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના હેતુઓ પર પ્રશ્નો રહે છે અને શીત યુદ્ધ પછીના સૌથી ખરાબ તણાવ વચ્ચે દેશો તેમના રાજદ્વારીઓને પાછા બોલાવી રહ્યા છે. અમેરિકાએ કિવમાંથી પોતાનું દૂતાવાસ સ્થાનાંતરિત કર્યું છે.

આ પણ વાંચો –

યુક્રેન સાથેના યુદ્ધની અટકળો વચ્ચે રશિયાએ અમેરિકા સહિત પશ્ચિમી દેશોને આપી ચેતવણી કહ્યું, ‘અમારા નાગરિકોની મોત થશે તો જડબાતોડ જવાબ મળશે’

આ પણ વાંચો –

Emergency In Canada :કેનેડામાં દેશવ્યાપી વિરોધને કાબૂમાં લેવામાં આવશે, પીએમ જસ્ટિન ટ્રુડોએ Emergency લાગુ કરી

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">