AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine War: રશિયાની સામે યુક્રેની સેનાનો જડબાતોડ જવાબ, શું રશિયાનું યુદ્ધ જહાજ ડૂબવામાં યુક્રેનનો હાથ ?

Russia Ukraine Crisis: યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમની સેનાએ યુદ્ધ જહાજ પર મિસાઈલ હુમલો (Missile Attack) કર્યો હતો, પરંતુ રશિયાએ યુદ્ધ જહાજ મોસ્કવાને આગથી નુકસાન થયું હતું.

Russia-Ukraine War: રશિયાની સામે યુક્રેની સેનાનો જડબાતોડ જવાબ, શું રશિયાનું યુદ્ધ જહાજ ડૂબવામાં યુક્રેનનો હાથ ?
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 11:48 AM
Share

Russia-Ukraine War: કાળા સમુદ્રમાં (Black Sea)  તહેનાત રશિયન ફાઇટર કાફલાનો એક ભાગ મોસ્કવા યુદ્ધ જહાજ, જેને ખરાબ રીતે નુકસાન થયું હતું. આ મામલે યુક્રેને કહ્યું છે કે તેની સેનાએ યુદ્ધ જહાજ પર મિસાઈલ હુમલો કર્યો હતો, જ્યારે રશિયા(Russia)  દાવો કર્યો છે કે મોસ્કવાને આગથી નુકસાન થયું છે અને તેના પર કોઈ મિસાઈલ હુમલો(Missile Attack)  થયો નથી. રાજધાની કિવ (Kyiv) સહિત દેશના ઉત્તરીય ભાગમાંથી પીછેહઠ કર્યા બાદ રશિયા પૂર્વી યુક્રેન પર હુમલાની તૈયારી કરી રહ્યું છે. આવી સ્થિતિમાં યુદ્ધ જહાજના ડૂબવાને રશિયા માટે મોટી સાંકેતિક હાર માનવામાં આવી રહી છે.

આ યુદ્ધમાં 50 દિવસ જીવતા રહેવા પર ખૂબ ગર્વ હોવો જોઈએ

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ ગુરુવારે રાત્રે રાષ્ટ્રને આપેલા વિડીયો સંબોધનમાં રશિયન યુદ્ધ જહાજના ડૂબવા તરફ ધ્યાન દોર્યું હતું. ઝેલેન્સકીએ યુક્રેનના લોકોને કહ્યું કે તેઓને આ યુદ્ધમાં 50 દિવસ જીવતા રહેવા પર ખૂબ ગર્વ હોવો જોઈએ, જ્યારે રશિયાએ તેમને માત્ર પાંચ દિવસનો સમય આપ્યો હતો. યુક્રેન કેવી રીતે રશિયન આક્રમણ સામે ટકી રહ્યું છે તેનો ઉલ્લેખ કરતા ઝેલેન્સકીએ કહ્યું કે જેઓ માનતા હતા કે રશિયન યુદ્ધ જહાજ સમુદ્રના તળિયે પહોંચ્યા પછી પણ ટકી શકે છે.

રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે યુદ્ધ જહાજ એક બંદર પર લઈ જતી વખતે તે ડૂબી ગયું હતું. મંત્રાલયના જણાવ્યા અનુસાર, યુદ્ધ જહાજમાં સામાન્ય રીતે 500 ખલાસીઓ હોય છે અને તે ડૂબતા પહેલા તમામ ક્રૂ મેમ્બર્સને(Crew Members)  સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમાં લાગેલી આગને પણ કાબૂમાં લેવામાં આવી હતી.

યુદ્ધ જહાજ ડૂબી જવાથી રશિયા પર પ્રતિકૂળ અસર થશે

આ યુદ્ધ જહાજ 16 લાંબા અંતરની મિસાઈલો લઈ જવા માટે સક્ષમ હતું. નિષ્ણાતોનું કહેવું છે કે યુદ્ધ જહાજ ડૂબી જવાથી કાળા સમુદ્રમાં રશિયાની સૈન્ય ક્ષમતા પર પ્રતિકૂળ અસર પડશે.ઉપરાંત આ ઘટના યુક્રેન યુદ્ધમાં રશિયાની પ્રતિષ્ઠાને પણ મોટો ફટકો છે, જે પહેલાથી જ એક મોટી ઐતિહાસિક ભૂલ તરીકે જોવામાં આવે છે. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમની સેનાએ યુદ્ધ જહાજ પર મિસાઈલ હુમલો કર્યો હતો, પરંતુ રશિયાનું કહેવું છે કે યુદ્ધ (Russia Ukraine war) જહાજ મોસ્કવાને આગથી નુકસાન થયું હતું, પરંતુ કોઈ હુમલો થયો ન હતો.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Russia Ukraine War 51મો દિવસ : કાળા સમુદ્રમાં ડૂબેલા રશિયન જહાજમાં પરમાણુ હથિયારો હતા, યુક્રેનના પૂર્વીય વિસ્તારોમાં રશિયાનો હુમલો તેજ બન્યો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">