AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધીમાં 27 લાખથી વધુ લોકો અપંગ થયા, 19,800 રશિયન સૈનિકો પણ માર્યા ગયા

રશિયાના (Russia) રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમના કમાન્ડરને કહ્યું છે કે જો અમે 10 મે સુધીમાં યુક્રેન (Ukraine) પર કબજો નહીં કરીએ તો અમારે યુક્રેનમાં બધું જ જમીનદોસ્ત કરવું પડશે.

Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધીમાં 27 લાખથી વધુ લોકો અપંગ થયા, 19,800 રશિયન સૈનિકો પણ માર્યા ગયા
Russia Ukraine War
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 8:42 PM
Share

યુક્રેન (Ukraine) પર રશિયાના (Russia) હુમલાનો આજે 51મો દિવસ છે. દરરોજ રશિયન સેના યુક્રેન પર હુમલો કરી રહી છે. સ્થિતિ એવી છે કે યુક્રેનના ઘણા શહેરો સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે. યુક્રેન પર રશિયન હુમલા વચ્ચે સ્ટેટ બોર્ડર ગાર્ડ સર્વિસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા 50 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં 27 લાખથી વધુ લોકો અપંગ થયા છે. હુમલામાં ઘાયલોને દવા પણ નથી મળી રહી. આ જ કારણ છે કે મોટાભાગના લોકો હવે યુક્રેન છોડીને અન્ય દેશોમાં જવા લાગ્યા છે. યુક્રેન પર રશિયાના હુમલા દિવસેને દિવસે વધી રહ્યા છે. રશિયાએ તેના અધિકારીઓને 10 મે સુધીમાં યુક્રેન પર વિજય મેળવવા માટે કડક સૂચના આપી છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેના કમાન્ડરને કહ્યું છે કે જો અમે 10 મે સુધીમાં યુક્રેન પર કબજો નહીં કરીએ તો અમારે યુક્રેનમાં બધું જ જમીનદોસ્ત કરવું પડશે. યુક્રેનના શહેરોને કચડી નાખવા પડશે. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ સ્પષ્ટ કર્યું છે કે તેમની સેના અંત સુધી લડશે.

યુક્રેન મુજબ છેલ્લા સાત સપ્તાહથી ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 19,800 રશિયન સૈનિકો માર્યા ગયા છે. આ યુદ્ધ 24 ફેબ્રુઆરીએ શરૂ થયું હતું. આ દરમિયાન રશિયાએ દાવો કર્યો છે કે મારિયુપોલમાં યુક્રેનના 1000 સૈનિકોએ આત્મસમર્પણ કર્યું છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 45 દિવસથી યુક્રેનના દક્ષિણી બંદર શહેર મારિયુપોલમાં રશિયન સેનાના હુમલામાં અત્યાર સુધીમાં 10 હજારથી વધુ નાગરિકો માર્યા ગયા છે. મારિયુપોલના મેયર વાદિમ બોયચેન્કોએ દાવો કર્યો છે કે મારિયુપોલમાંથી ઘણા મૃતદેહો ગુમ છે.

પુતિન સૌપ્રથમ 9 મેના રોજ યુદ્ધનો અંત લાવવા માંગતા હતા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અગાઉ તેમના કમાન્ડરોને કહ્યું હતું કે તેઓ કોઈપણ ભોગે 9 મે સુધીમાં યુક્રેન પર કબજો કરી લે. રશિયામાં દર વર્ષે નાઝી સેનાના શરણાગતિની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી હેઠળ દર વર્ષે રશિયામાં 9 મેના રોજ રેડ સ્ક્વેરમાં વિજય પરેડ કાઢવામાં આવે છે. આ ઉજવણી બીજા વિશ્વ યુદ્ધના વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એટલા માટે પુતિન આ દિવસે યુક્રેન પર વિજયની ઉજવણી કરવા માંગતા હતા.

યુક્રેનનો દાવો છે કે બ્લેક સીમાં રશિયાનું યુદ્ધ જહાજ નાશ પામ્યું છે

રશિયાના સતત હુમલા વચ્ચે યુક્રેને દાવો કર્યો છે કે તેની સેનાએ મિસાઈલ હુમલાની મદદથી કાળા સમુદ્રમાં એક રશિયન યુદ્ધ જહાજને નષ્ટ કરી દીધું છે. જો કે રશિયાએ યુક્રેનના દાવાને નકારી કાઢતા કહ્યું કે મિસાઈલ સ્ટ્રાઈકમાં જહાજને નજીવું નુકસાન થયું છે. રાજધાની કિવ સહિત દેશના ઉત્તરીય ભાગમાંથી પીછેહઠ કર્યા બાદ હવે રશિયન સેના પૂર્વી યુક્રેન પર હુમલો કરવાની તૈયારી કરી રહી છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રઃ સીએમના સાળાની કંપનીમાં 30 કરોડનું મની લોન્ડરિંગ, ઉદ્ધવ ઠાકરેનો કંપની સાથે શું સંબંધ? ભાજપના નેતા કિરીટ સોમૈયાનો સવાલ

આ પણ વાંચો: મુંબઈમાં ભાજપના નેતા કિરીટ સોમૈયા પર 100 કરોડના શૌચાલય કૌભાંડનો શિવસેનાના સાંસદ સંજય રાઉતનો ગંભીર આરોપ

Follow Us
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
g clip-path="url(#clip0_868_265)">