યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતને રશિયા પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમનું બીજું કન્સાઈનમેન્ટ મળ્યું, જાણો શું છે ખાસિયતો

ભારતને રશિયા પાસેથી S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનું (S-400 Missile Defence System) બીજું કન્સાઈનમેન્ટ મળ્યું છે. મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો પહેલો કન્સાઈનમેન્ટ ડિસેમ્બર 2021માં ડિલિવર કરવામાં આવ્યો હતો.

યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતને રશિયા પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમનું બીજું કન્સાઈનમેન્ટ મળ્યું, જાણો શું છે ખાસિયતો
S-400-missile-system Image Credit source: Wikipedia
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 3:52 PM

યુક્રેન (Ukraine) સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે રશિયાએ (Russia) ભારતની સૈન્ય શક્તિમાં મોટો વધારો કર્યો છે. ભારતને રશિયા પાસેથી S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનું બીજું કન્સાઈનમેન્ટ (S-400 Missile Defence System) મળ્યું છે. ડિસેમ્બર 2021માં મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો પહેલો કન્સાઈનમેન્ટ ભારત પહોંચ્યો હતો. S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમના કુલ પાંચ કન્સાઇનમેન્ટ ઑક્ટોબર 2023 સુધીમાં પહોંચાડવાના છે. આ સાથે પાકિસ્તાન અને ચીન સાથેની સરહદો સુરક્ષિત રહેશે. રશિયા તરફથી ભારતને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની ડિલિવરી એવા સમયે આવી છે જ્યારે યુક્રેન સાથે યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધ પર ભારતના સ્ટેન્ડ પર પણ સવાલો ઉભા થયા છે.

S-400 વિશે એવી અટકળો પણ ચાલી રહી હતી કે રશિયા પાસેથી શસ્ત્રો ખરીદવા પર અમેરિકા CAATSA હેઠળ ભારત વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. જો કે, અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને જણાવ્યું હતું કે S-400 મિસાઇલ સંરક્ષણ પ્રણાલીની ખરીદી માટે CAATSA કાયદા હેઠળ ભારત પર પ્રતિબંધ અથવા છૂટ આપવા અંગે યુએસએ હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. બીજી તરફ ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે પ્રતિબંધોની ચિંતા કર્યા વગર પોતાની રક્ષા કરશે. યુએસની મુલાકાતે ગયેલા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારત પ્રતિબંધોની ચિંતા કર્યા વિના તેની સુરક્ષા માટે જે પણ કરી શકે તે કરશે.

S-400નું પ્રથમ કન્સાઈનમેન્ટ ડિસેમ્બરમાં આવ્યું હતું

અગાઉ ડિસેમ્બર 2021 માં, ભારતને રશિયા તરફથી S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમના પ્રથમ કન્સાઇનમેન્ટની ડિલિવરી મળી હતી. તેને પંજાબ સેક્ટરમાં તહેનાત કરવામાં આવ્યું હતું. તેના દ્વારા ચીન અને પાકિસ્તાનની દરેક હલનચલન પર નજર રાખી શકાય છે. અહીંથી તે પાકિસ્તાન અને ચીનના કોઈપણ પ્રકારના હવાઈ હુમલાને રોકી શકે છે અને દેશની રક્ષા કરી શકે છે. S-400 મિસાઇલ સિસ્ટમની ગણતરી વિશ્વની શ્રેષ્ઠ એર ડિફેન્સ સિસ્ટમમાં થાય છે. S-400 ઘણી રીતે અમેરિકાની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ કરતાં વધુ સારી છે. તેના દ્વારા મિસાઈલ, ફાઈટર એરક્રાફ્ટ, રોકેટ અને ડ્રોન હુમલા સામે પણ તેનો બચાવ કરી શકાય છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

S-400 મિસાઈલ સિસ્ટમમાં કઈ વિશેષતાઓ છે?

S-400ને વિશ્વની સૌથી આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ માનવામાં આવે છે. રશિયાએ તેને નિકાસના હેતુ માટે તૈયાર કર્યું છે. જો કે, તે તેનો ઉપયોગ પણ કરે છે. તેની રેન્જ 400 કિમી છે, તેથી તે આ રેન્જમાં આવતા દુશ્મનના એરક્રાફ્ટ, મિસાઇલ અને ડ્રોનને પણ નષ્ટ કરી શકે છે. જો આપણે તેની ટ્રેકિંગ ક્ષમતા વિશે વાત કરીએ, તો તે 600 કિ.મી. છે. S-400ની સૌથી મોટી તાકાત એ છે કે આ મિસાઈલ સિસ્ટમ બેલેસ્ટિક મિસાઈલો અને હાઈપરસોનિક મિસાઈલોને પણ સ્ટેક કરી શકે છે.

આ પણ વાંચો: અજાન વિવાદ વારાણસી પહોંચ્યો, હિંદુ સંગઠનોએ ઘરની છત પરથી વગાડી હનુમાન ચાલીસા

આ પણ વાંચો: Corona Update: દેશમાં આજે કોરોનાના 1000 થી ઓછા કેસ, આટલા દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">