AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતને રશિયા પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમનું બીજું કન્સાઈનમેન્ટ મળ્યું, જાણો શું છે ખાસિયતો

ભારતને રશિયા પાસેથી S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનું (S-400 Missile Defence System) બીજું કન્સાઈનમેન્ટ મળ્યું છે. મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો પહેલો કન્સાઈનમેન્ટ ડિસેમ્બર 2021માં ડિલિવર કરવામાં આવ્યો હતો.

યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતને રશિયા પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમનું બીજું કન્સાઈનમેન્ટ મળ્યું, જાણો શું છે ખાસિયતો
S-400-missile-system Image Credit source: Wikipedia
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 3:52 PM
Share

યુક્રેન (Ukraine) સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે રશિયાએ (Russia) ભારતની સૈન્ય શક્તિમાં મોટો વધારો કર્યો છે. ભારતને રશિયા પાસેથી S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનું બીજું કન્સાઈનમેન્ટ (S-400 Missile Defence System) મળ્યું છે. ડિસેમ્બર 2021માં મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો પહેલો કન્સાઈનમેન્ટ ભારત પહોંચ્યો હતો. S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમના કુલ પાંચ કન્સાઇનમેન્ટ ઑક્ટોબર 2023 સુધીમાં પહોંચાડવાના છે. આ સાથે પાકિસ્તાન અને ચીન સાથેની સરહદો સુરક્ષિત રહેશે. રશિયા તરફથી ભારતને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની ડિલિવરી એવા સમયે આવી છે જ્યારે યુક્રેન સાથે યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધ પર ભારતના સ્ટેન્ડ પર પણ સવાલો ઉભા થયા છે.

S-400 વિશે એવી અટકળો પણ ચાલી રહી હતી કે રશિયા પાસેથી શસ્ત્રો ખરીદવા પર અમેરિકા CAATSA હેઠળ ભારત વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. જો કે, અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને જણાવ્યું હતું કે S-400 મિસાઇલ સંરક્ષણ પ્રણાલીની ખરીદી માટે CAATSA કાયદા હેઠળ ભારત પર પ્રતિબંધ અથવા છૂટ આપવા અંગે યુએસએ હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. બીજી તરફ ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે પ્રતિબંધોની ચિંતા કર્યા વગર પોતાની રક્ષા કરશે. યુએસની મુલાકાતે ગયેલા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારત પ્રતિબંધોની ચિંતા કર્યા વિના તેની સુરક્ષા માટે જે પણ કરી શકે તે કરશે.

S-400નું પ્રથમ કન્સાઈનમેન્ટ ડિસેમ્બરમાં આવ્યું હતું

અગાઉ ડિસેમ્બર 2021 માં, ભારતને રશિયા તરફથી S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમના પ્રથમ કન્સાઇનમેન્ટની ડિલિવરી મળી હતી. તેને પંજાબ સેક્ટરમાં તહેનાત કરવામાં આવ્યું હતું. તેના દ્વારા ચીન અને પાકિસ્તાનની દરેક હલનચલન પર નજર રાખી શકાય છે. અહીંથી તે પાકિસ્તાન અને ચીનના કોઈપણ પ્રકારના હવાઈ હુમલાને રોકી શકે છે અને દેશની રક્ષા કરી શકે છે. S-400 મિસાઇલ સિસ્ટમની ગણતરી વિશ્વની શ્રેષ્ઠ એર ડિફેન્સ સિસ્ટમમાં થાય છે. S-400 ઘણી રીતે અમેરિકાની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ કરતાં વધુ સારી છે. તેના દ્વારા મિસાઈલ, ફાઈટર એરક્રાફ્ટ, રોકેટ અને ડ્રોન હુમલા સામે પણ તેનો બચાવ કરી શકાય છે.

S-400 મિસાઈલ સિસ્ટમમાં કઈ વિશેષતાઓ છે?

S-400ને વિશ્વની સૌથી આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ માનવામાં આવે છે. રશિયાએ તેને નિકાસના હેતુ માટે તૈયાર કર્યું છે. જો કે, તે તેનો ઉપયોગ પણ કરે છે. તેની રેન્જ 400 કિમી છે, તેથી તે આ રેન્જમાં આવતા દુશ્મનના એરક્રાફ્ટ, મિસાઇલ અને ડ્રોનને પણ નષ્ટ કરી શકે છે. જો આપણે તેની ટ્રેકિંગ ક્ષમતા વિશે વાત કરીએ, તો તે 600 કિ.મી. છે. S-400ની સૌથી મોટી તાકાત એ છે કે આ મિસાઈલ સિસ્ટમ બેલેસ્ટિક મિસાઈલો અને હાઈપરસોનિક મિસાઈલોને પણ સ્ટેક કરી શકે છે.

આ પણ વાંચો: અજાન વિવાદ વારાણસી પહોંચ્યો, હિંદુ સંગઠનોએ ઘરની છત પરથી વગાડી હનુમાન ચાલીસા

આ પણ વાંચો: Corona Update: દેશમાં આજે કોરોનાના 1000 થી ઓછા કેસ, આટલા દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">