AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine War: યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની વ્હારે આવી BAPS સંસ્થા, PM મોદીએ સંસ્થાને ભોજન-રહેઠાણની વ્યવસ્થા કરવા અનુરોધ કર્યો

BAPS સંસ્થા યુક્રેનમાં યુદ્ધની સ્થિતિમાં ફસાયેલા ભારતીયોની વ્હારે આવી છે. ત્યારે બીએપીએસ સંસ્થા દ્વારા યુક્રેન-પોલેન્ડ બોર્ડર પરથી આવનારા ભારતીયો માટે વ્યવસ્થા કરવાની તૈયારી દર્શાવી છે. અને, બોર્ડર નજીક આવેલા ભારતીયો માટે ભોજન, રહેઠાણની વ્યવસ્થા ઊભી કરાશે.

Russia-Ukraine War: યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની વ્હારે આવી BAPS સંસ્થા, PM મોદીએ સંસ્થાને ભોજન-રહેઠાણની વ્યવસ્થા કરવા અનુરોધ કર્યો
Russia-Ukraine War: PM Modi urges BAPS organization to provide food and accommodation to Indians trapped in Ukraine
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 11:33 PM
Share

Russia Ukraine War:  યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને હેમખેમ પરત લાવવા કેન્દ્ર સરકારે (Central Government)કવાયત હાથ ધરી છે. આ મામલે કેન્દ્ર સરકારે ધાર્મિક સંસ્થાઓની પણ મદદ માગી છે. PM મોદીએ BAPS સંસ્થાના પ્રતિનિધિઓ સાથે ફોન પર આ મામલે વાતચીત કરી છે. જેમાં પીએમ મોદીએ સંસ્થા સાથે ફસાયેલા ભારતીયો માટે ભોજન, રહેઠાણની વ્યવસ્થા કરવા અંગે વાત કરી છે.

નોંધનીય છેકે BAPS સંસ્થા યુક્રેનમાં યુદ્ધની સ્થિતિમાં ફસાયેલા ભારતીયોની વ્હારે આવી છે. ત્યારે બીએપીએસ સંસ્થા દ્વારા યુક્રેન-પોલેન્ડ બોર્ડર પરથી આવનારા ભારતીયો માટે વ્યવસ્થા કરવાની તૈયારી દર્શાવી છે. અને, બોર્ડર નજીક આવેલા ભારતીયો માટે ભોજન, રહેઠાણની વ્યવસ્થા ઊભી કરાશે. આ સાથે જ બીએપીએસ સંસ્થા દ્વારા પેરિસથી મોબાઈલ કિચન પોલેન્ડ મોકલાયું છે. અને, યુક્રેનમાં ફસાયેલા ભારતીયો સહિતના અનેક વિદ્યાર્થીઓ માટે ભોજન મળી રહેશે. જેમાં રોજ બેથી ત્રણ હજાર લોકોને ગરમ ભોજન મળે તેવી વ્યવસ્થા ઊભી કરાશે.

યુક્રેનથી ભારત આવતા મુસાફરોને છૂટ

જો કોઈ મુસાફરોના આગમન પહેલાં RTPCR ટેસ્ટ રજૂ કરવામાં સક્ષમ ન હોય અથવા તેમનું COVID-19 રસીકરણ પૂર્ણ ન કર્યું હોય, તેઓ ભારતમાં તેમના આગમન પછી 14 દિવસ સુધી તેમના COVID-19 નમૂનાઓ સબમિટ કરી શકે છે. 28 ફેબ્રુઆરી સુધીમાં 1,156 ભારતીયો યુક્રેનથી ભારત આવ્યા છે, જેમાંથી એકપણ મુસાફરોને આઈસોલેશનમાં (Isolation) રાખવામાં આવ્યા નથી.

યુક્રેનમાં હજુ પણ હજારોની સંખ્યામાં ભારતીયો ફસાયેલા

ભારતે પોલેન્ડ, રોમાનિયા, હંગેરી અને સ્લોવાકિયામાં પહેલાથી જ 24 કલાકના કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે, જેથી કરીને ભારતીયોને આ દેશો સાથેની યુક્રેનની સરહદેથી બહાર કાઢી શકાય. આ અંગે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે લગભગ 13,000 ભારતીયો હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે અને સરકાર તેમને વહેલામાં વહેલી તકે પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો : પ્રધાનમંત્રી મોદીએ કરી રોમાનિયાના પીએમ નિકોલાઈ સિઉકા સાથે ફોન પર વાત, યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની મદદ માટે વ્યક્ત કર્યો આભાર

આ પણ વાંચો : રાજકોટ કમિશનકાંડમાં મોટી કાર્યવાહી, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરમાં બદલી

Follow Us
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
g clip-path="url(#clip0_868_265)">