Russia Ukraine War Updates in Gujarati: NATOની ચેતવણી- રશિયા અમને હળવાશથી ન લે, યુક્રેન પર તાત્કાલિક કાર્યવાહી બંધ કરે
Russia Ukraine War news and updates: આંતરરાષ્ટ્રીય સમુદાયની ચિંતા છતાં રશિયાએ ગુરુવારે યુક્રેન પર આક્રમણ કર્યું હતું. હુમલામાં યુક્રેનને ઘણું નુકસાન થયું છે. પીએમ મોદીએ ગઈકાલે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ફોન કરીને સંકટના શાંતિપૂર્ણ ઉકેલ માટે વિનંતી કરી હતી.
યુક્રેન (Ukraine) અત્યારે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, કારણ કે રશિયાએ તેના પર હુમલો કર્યો છે (Russia Ukraine War). યુક્રેનની સરકારે ગુરુવારે કિવની બહારના ભાગમાં એક હવાઈ મથક પાછું લઈ લેવાનો દાવો કર્યો હતો જેને રશિયન હવાઈ દળોએ અગાઉ કબજે કર્યું હતું. આ કિસ્સામાં, રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ, દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ફરજિયાત ભરતીનો આદેશ આપ્યો અને 18-60 વર્ષની વય જૂથના તમામ પુરુષોને દેશ છોડવા પર પ્રતિબંધ મૂક્યો. યુક્રેનના સશસ્ત્ર દળોએ સ્થાનિક સમય મુજબ રાત્રે 8 વાગ્યે એક અપડેટમાં જણાવ્યું હતું કે તેઓ માને છે કે 60,000 સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે.
LIVE NEWS & UPDATES
-
NATO ની રશિયાને ચેતવણી
NATO એ કહ્યું છે કે રશિયા યુક્રેનની સરકારને ઉથલાવી દેવા માંગે છે. 100થી વધુ ફાઈટર જેટ એલર્ટ પર છે. રશિયાએ અમને હળવાશથી ન લેવું જોઈએ, અમે યુક્રેનને સંપૂર્ણ સમર્થન આપતા રહીશું. યુક્રેનને સૈન્ય અને નાણાકીય સહાય આપવાનું ચાલુ રાખશે. અમે દરેક ક્ષણે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ, યુક્રેનની સેના હિંમતથી લડી રહી છે. યુક્રેનમાં તે જ થઈ રહ્યું છે જેની અમને અપેક્ષા હતી. રશિયાએ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
-
રશિયા પર NATO નું નિવેદન
યુક્રેન પર રશિયાના હુમલા પર NATO દ્વારા કહેવામાં આવ્યું છે કે રશિયા પર પહેલાથી જ મોટા પાયે પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. નાટો યુરોપિયન યુનિયન સહિત સંબંધિત હિતધારકો અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે નજીકથી સંકલન કરવાનું ચાલુ રાખશે. નાટોએ કહ્યું કે અમે નાટો વિસ્તારમાં ગઠબંધન અને દરિયાઈ સંપત્તિના પૂર્વ ભાગમાં સંરક્ષણાત્મક જમીન અને હવાઈ દળોને તૈનાત કર્યા છે. અમે નાટો સંરક્ષણ યોજનાઓ સક્રિય કરી છે જેથી અમે સુરક્ષિત ગઠબંધન વિસ્તારને પ્રતિસાદ આપવા માટે અમારી જાતને તૈયાર કરી શકીએ.
-
-
યુક્રેનથી દિલ્હી પરત ફરી રહેલા 100 વિદ્યાર્થીઓને ગુજરાત લાવવા સરકારે વ્યવસ્થા કરી
આવતીકાલે ભારત પહોંચનારા આ વિદ્યાર્થીઓને ગુજરાતમાં પરત લાવવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. દિલ્હી આવતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતના રેસિડેન્ટ કમિશનરશ્રી તેમજ મુંબઈ આવતા વિદ્યાર્થીઓ માટે રાજ્યના જીયોલોજી અને માઇનિંગ વિભાગના કમિશનરશ્રીને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.
આવતીકાલે ભારત પહોંચનારા આ વિદ્યાર્થીઓને ગુજરાતમાં પરત લાવવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. દિલ્હી આવતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતના રેસિડેન્ટ કમિશનરશ્રી તેમજ મુંબઈ આવતા વિદ્યાર્થીઓ માટે રાજ્યના જીયોલોજી અને માઇનિંગ વિભાગના કમિશનરશ્રીને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.
— CMO Gujarat (@CMOGuj) February 25, 2022
-
પોલેન્ડ થઈને બહાર નીકળવા માંગતા યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે નવી એડવાઈઝરી
યુક્રેનમાં ચાલી રહેલા તણાવની વચ્ચે, યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે જે પોલેન્ડ થઈને જવા માગે છે, તેમના માટે પોલેન્ડ અને લિથુઆનિયામાં ભારતીય દૂતાવાસે એક નવી એડવાઈઝરી જાહેર કરી છે.
Latest advisory for Indians in Ukraine desiring to be evacuated via Poland: Embassy of India in Poland and Lithuania pic.twitter.com/uZ3w4tWTDG
— ANI (@ANI) February 25, 2022
-
યુક્રેનના 20 સૈનિકોએ રશિયન સેના સામે આત્મસમર્પણ કર્યું
યુક્રેન પર રશિયાનો હુમલો ચાલુ છે. વોરોનેઝમાં 20 યુક્રેનિયન સૈનિકોએ રશિયન સેના સામે આત્મસમર્પણ કર્યું છે, ત્યારે હવે રશિયન સૈનિકોએ એક હોસ્પિટલને નિશાન બનાવી છે. મળતી માહિતી મુજબ, રશિયન સૈનિકોએ મેલીપોટોની હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો છે.
-
-
યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે MEA ટીમોનું પડોશી સરહદી વિસ્તારોમાં વિસ્તરણ
વિદેશ મંત્રાલયે કહ્યુ કે, નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના કંટ્રોલ રૂમ અને કિવમાં ભારતીય દૂતાવાસ ઉપરાંત વિદેશ મંત્રાલયની ટીમોને પશ્ચિમ યુક્રેન અને તેના પડોશી સરહદી વિસ્તારોમાં વિસ્તારવામાં આવી છે.
-
પુતિનનું રાષ્ટ્રને સંબોધન
યુક્રેનના મુદ્દે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે.આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘યુક્રેન સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યું છે,કિવમાં રશિયાનું ઓપરેશન ચાલુ છે અને યુક્રેન વિરુદ્ધ ઓપરેશન ચાલુ જ રહેશે. રશિયન સેનાએ જે કર્યું તેની પ્રશંસા કરો.’
-
રશિયાએ ખૈરસન પર કર્યો કબજો
રશિયન સેના એક પછી એક યુક્રેનના શહેરો કબજે કરી રહી છે,હવે રશિયાએ ખૈરસોન પર કબજો કર્યો છે.
-
તુર્કીના રાષ્ટ્રપતિએ NATO અને યુરોપીયન યુનિયન પર આરોપ લગાવ્યો
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્ડોગાએ NATO અને યુરોપીયન યુનિયન પર યુક્રેન-રશિયા યુદ્ધ પર ‘નિશ્ચિત વલણ’ને લઈને આરોપ લગાવ્યો છે.
-
NATO ની મહત્વની બેઠક શરૂ
રશિયા વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે NATOની મહત્વપૂર્ણ બેઠક શરૂ થઈ ગઈ છે. સુત્રો અનુસાર, આ બેઠકમાં યુક્રેનની મદદને લઈને મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.
-
યુરોપિયન યુનિયનની બેઠકમાં મોટો નિર્ણય
યુરોપિયન યુનિયનની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. AFP અનુસાર, યુરોપિયન યુનિયન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને વિદેશ મંત્રી લવરોવની યુરોપીયન સંપત્તિઓ ફ્રીઝ કરવા માટે સંમત થયા છે.
European Union agrees to freeze European assets linked to Russian President Vladimir Putin and Foreign Minister Lavrov over Ukraine invasion, reports AFP
— ANI (@ANI) February 25, 2022
-
યુક્રેનમાં ફસાયેલા લોકોના પરિવારજનોએ દિલ્હીમાં કર્યુ વિરોધ પ્રદર્શન
યુક્રેનમાં ફસાયેલા લોકોના પરિવારજનોએ દિલ્હીમાં રશિયન ફેડરેશનના દૂતાવાસની નજીક વિરોધ પ્રદર્શન કર્યુ.જો કે પોલીસે હાલ પરિવારના સભ્યોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે.
-
રશિયા-યુક્રેન યુદ્ધમાં 1000 થી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા : યુક્રેન સંરક્ષણ મંત્રાલયનો દાવો
રોયટર્સે યુક્રેનના સંરક્ષણ મંત્રાલયને ટાંકીને જણાવ્યુ હતુ કે, અત્યાર સુધીમાં 1,000 થી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે.
-
પોલેન્ડ તરફથી રશિયાને મોટો ઝટકો
પોલેન્ડ તરફથી રશિયાને મોટો ઝટકો લાગ્યો છે. પોલેન્ડે રશિયા માટે એરસ્પેસ બંધ કરી દીધી છે.
-
યુરોપિયન યુનિયનની મહત્વપૂર્ણ બેઠક શરૂ
NATO ની બેઠક પહેલા યુરોપિયન યુનિયનની મહત્વપૂર્ણ બેઠક શરૂ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ યુરોપિયન યુનિયન રશિયા પર કડક પ્રતિબંધો લગાવવાની તૈયારી કરી રહ્યુ છે.આ પરિસ્થિતિમાં તે રશિયા સાથેનો તમામ વેપાર બંધ કરી શકે છે.
-
યુક્રેનના નાગરિકોની યુદ્ધ રોકવા અપીલ
એક તરફ યુક્રેન પર રશિયાનું સૈન્ય હુમલો કરી રહ્યું છે, તો બીજી તરફ યુક્રેનના નાગરિકો યુદ્ધ બંધ કરવાની અપીલ કરી રહ્યા છે.
-
Kyiv શહેરની રેડિસન બ્લુ હોટલમાં આશ્રય લેતા લોકો
(Photo & News Source – AP/PTI)
-
યુક્રેનની સશસ્ત્ર દળો તેમના હથિયારો નીચે મૂકે અમે ચર્ચા માટે તૈયાર: રશિયન વિદેશ પ્રધાન
મોસ્કોમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રશિયાના વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવ (Sergei Lavrov)એ કહ્યું કે, જો યુક્રેનિયન સૈન્ય શરણાગતિ સ્વીકારે તો મોસ્કો કિવ સાથે વાતચીત માટે તૈયાર છે. રશિયન આક્રમણકારી દળો રાજધાની પર આગળ વધે છે. “અમે કોઈપણ ક્ષણે વાટાઘાટો માટે તૈયાર છીએ, જલદી યુક્રેનની સશસ્ત્ર દળો અમારા કોલનો જવાબ આપે અને તેમના હથિયારો નીચે મૂકે.”
-
નાટો દેશોમાં 3,400 વધારાના સૈનિકો તૈનાત કરવા માટે ઇટાલી તૈયાર: ઇટાલીના વડા પ્રધાન
ઇટાલીના વડા પ્રધાન મારિયો ડ્રેઘીએ (Mario Draghi) કહ્યું કે, યુક્રેન પર રશિયન આક્રમણ બાદ નાટો દેશોમાં 3,400 વધારાના સૈનિકો તૈનાત કરવા માટે ઇટાલી તૈયાર છે.
-
40 ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓનું ગ્રુપ યુક્રેન-પોલેન્ડ સરહદ તરફ ચાલીને જઈ રહ્યું છે
Daynlo Halytsky Medical University, Lviv લગભગ 40 ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓનું એક ગ્રુપ બહાર નીકળવા માટે યુક્રેન-પોલેન્ડ સરહદ તરફ ચાલીને જઈ રહ્યું છે. બોર્ડર પોઈન્ટથી લગભગ 8 કિમી દૂર કોલેજ બસ દ્વારા તેમને ઉતારવામાં આવ્યા હતા.
-
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પુતિન સાથે ફોન પર કરી વાત
રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરી હતી.
-
આજે કોઈ નક્કર નિર્ણય લઈ શકે છે NATO
યુક્રેનમાં રશિયન હુમલા બાદ નાટો આજે કોઈ નક્કર નિર્ણય લઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે નાટો દેશોની એક મહત્વપૂર્ણ બેઠક થશે જેમાં રશિયા વિરુદ્ધ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી શકે છે.
-
ભારત સરકારની ચાર્ટર્ડ ફ્લાઈટ્સ તરીકે ઓપરેટ થશે વિમાનો – સૂત્રો
સરકારી સૂત્રોએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આજે રોમાનિયામાં બુખારેસ્ટ માટે બે ફ્લાઈટ અને કાલે હંગેરીના બુડાપેસ્ટ માટે એક ફ્લાઈટ ભારત સરકારની ચાર્ટર્ડ ફ્લાઈટ્સ ચલાવવાનું આયોજન છે.
-
ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે સરકારે 4 સ્થળો નક્કી કર્યા
આંધ્ર પ્રદેશના મુખ્ય સચિવ સમીર શર્માએ જણાવ્યું કે, વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે હંગેરી, પોલેન્ડ, સ્લોવાક રિપબ્લિક અને રોમાનિયામાં 4 સ્થળોની નક્કિ કર્યા છે. તેલંગાણા અને આંધ્રપ્રદેશના લગભગ 1000 લોકો યુક્રેનમાં છે. અમે વિદેશ મંત્રાલય સાથે વાત કરી રહ્યા છીએ.
-
યુક્રેનની રાજધાની કિવના કેટલાક ક્ષતિગ્રસ્ત વિસ્તારોની તસવીરો
AFP દ્વારા ટ્વિટર પર યુક્રેનની રાજધાની કિવના ઉપનગર, કોશિત્સા સ્ટ્રીટ ખાતે ક્ષતિગ્રસ્ત રહેણાંક સ્થળોની તસવીરો શેર કરવામાં આવી છે.
Pictures of damaged residential building at Koshytsa Street, a suburb of the Ukrainian capital Kyiv, where a military shell allegedly hit. 📸 Genya SAVILOV #AFP pic.twitter.com/A2ZkQcq6fx
— AFP Photo (@AFPphoto) February 25, 2022
-
લોકો યુક્રેનથી હંગેરિયન-યુક્રેનિયન સરહદ પર પહોંચ્યા
હંગેરીએ રશિયન આક્રમણમાંથી જીવ બચાવી ભાગી રહેલા લોકો માટે કાનૂની સુરક્ષા વિસ્તારી છે.
(Photo & News Source – AP/PTI)
-
મોસ્કોને સ્વિફ્ટ ઇન્ટરબેંક સિસ્ટમમાંથી દૂર કરવું એ છેલ્લો ઉપાય :ફ્રાન્સના નાણા પ્રધાન
AFP દ્વારા સમાચાર મળી રહ્યા છે કે, યુરોપિયન યુનિયન રશિયા અને વૈશ્વિક નાણાકીય પ્રણાલી વચ્ચેની તમામ કડીઓ કાપી નાખવા માંગે છે, ફ્રાન્સના નાણા પ્રધાન બ્રુનો લે મેરેએ (Bruno Le Maire) કહ્યું હતું કે, મોસ્કોને સ્વિફ્ટ ઇન્ટરબેંક સિસ્ટમમાંથી દૂર કરવું એ “છેલ્લો ઉપાય” છે.
-
રોમાનિયામાંથી ભારતીયોને પરત લાવવા આજે રાત્રે 2 વાગે ઉડાન ભરશે ફ્લાઈટ
રોમાનિયામાંથી ભારતીય નાગરીકોને પરત લાવવા માટે આજે રાત્રે 2 વાગે રોમાનિયા માટે ફ્લાઈટ ઉડાન ભરશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.
-
યુક્રેનની સેના લડવાનું બંધ કરી દે તો અમે મંત્રણા માટે તૈયાર: રશિયન વિદેશ પ્રધાન
રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે, રશિયાના વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવ (Sergey Lavrov) કહે છે કે, યુક્રેનની સેના લડવાનું બંધ કરી દે તો અમે મંત્રણા માટે તૈયાર છીએ.
We are ready for talks once Ukraine’s Army stops fighting, says Russian Foreign Minister Sergey Lavrov, reports Reuters
(file photo) pic.twitter.com/Vq4KjeWrNt
— ANI (@ANI) February 25, 2022
-
યુક્રેનમાં ભારતીય દૂતાવાસે માર્ગદર્શિકા જાહેર કરી
યુક્રેનમાં ભારતીય દૂતાવાસે યુક્રેનમાં તમામ ભારતીય નાગરિકો / વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. તે જણાવે છે કે, ભારત સરકાર રોમાનિયા અને હંગેરીમાંથી નીકાસનો માર્ગ સ્થાપિત કરવા માટે કામ કરી રહી છે.
-
આક્રમણ વિશ્વની સુરક્ષા માટે ખતરોઃ જીમી કાર્ટર
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરે પણ રશિયાના યુક્રેન પર આક્રમણની ટીકા કરી છે. તેમણે તેમના ટ્વિટમાં કહ્યું કે તે “યુરોપ અને વિશ્વભરમાં સુરક્ષા માટે ખતરો છે.”
-
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવશે સરકાર
યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે ભારત સરકાર ઈવેક્યુએશન ફ્લાઈટ્સની વ્યવસ્થા કરશે. આનો ખર્ચ ભારત સરકાર પોતે ઉઠાવશે.
-
ક્રેશ થયેલા એરક્રાફ્ટના ટુકડાઓ પાસે ઉભેલો યુક્રેનિયન ફાયર ફાઈટર
Kyiv: ફોટામાં એક યુક્રેનિયન ફાયર ફાઈટર ક્રેશ થયેલા એરક્રાફ્ટના ટુકડાઓ પાસે ઉભેલો જોવા મળે છે.
(ફોટો ક્રેડિટ – AP/PTI)
-
જ્યોર્જિયા રશિયા પર પ્રતિબંધ મૂકશે નહીં
જ્યોર્જિયાના વડા પ્રધાન ગેરીબાશવિલીએ (Garibashvili) કહ્યું કે, જ્યોર્જિયાને રશિયા સામેના પ્રતિબંધોમાં સામેલ કરવામાં આવશે નહીં.
-
પ્રતિબંધોને અમલમાં મૂકી રશિયન અર્થતંત્રને ઝુકાવવાનો ધ્યેય: ફ્રાન્સના નાણા પ્રધાન
AFPએ ફ્રાન્સના નાણા પ્રધાન બ્રુનો લે મેરે (Bruno Le Maire)ને ટાંકીને માહિતી આપી છે કે, યુક્રેન પર રશિયન આક્રમણ પછી રશિયા સામે નક્કી કરાયેલા પ્રતિબંધોને અમલમાં મૂકવા માટે યુરોપિયન નાણા પ્રધાનોની પેરિસમાં યોજાયેલી બેઠક પહેલાં તેમનો ધ્યેય “રશિયન અર્થતંત્રને ઝુકાવવાનો” છે.
(ફોટો ક્રેડીટ- AFP)
-
યુક્રેને રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરવા થયા તૈયાર
બે દિવસના યુદ્ધ પછી, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના સલાહકાર Mykhailo Podoliak કહ્યું કે, યુક્રેન સુરક્ષાની ખાતરી સાથે રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત કરવા માટે સંમત થયા છે.
-
રશિયાએ બ્રિટન પર નિયંત્રણો લાદ્યા
રશિયાએ બ્રિટિશ જહાજોને તેના પ્રદેશમાં ઉડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
BREAKING: Russia closes its airspace to all British planes
— BNO News (@BNONews) February 25, 2022
-
યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની મદદે મહારાષ્ટ્ર સરકાર
-
યુક્રેને બે ક્રુઝ મિસાઇલો વડે કિવ ઉપર એક વિમાન તોડી પાડ્યું
રોઇટર્સે યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકારને ટાંકીને કહ્યું છે કે, યુક્રેને બે ક્રુઝ મિસાઇલો, કિવ ઉપર એક વિમાન તોડી પાડ્યું છે.
Adviser to Ukraine’s President says Ukraine shot down two cruise missiles, one plane over Kyiv: Reuters #RussiaUkraineConflict
— ANI (@ANI) February 25, 2022
-
યુક્રેનમાં સૈનિકો મોકલવાની શક્યતા પર વિચાર નથી: પોલિશ ગુપ્તચર
પોલિશ ગુપ્તચર સેવાના વડાએ કહ્યું કે, નાટો યુક્રેનમાં સૈનિકો મોકલવાની સંભાવના પર વિચાર કરી રહ્યું નથી.
-
રશિયન દળોએ યુક્રેનમાં ઊંડે સુધી દબાણ કર્યું
AFPએ માહિતી આપી છે કે, રશિયન દળો કિવની બહાર પહોંચી ગયા છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી કહે છે કે આક્રમણકારી સૈનિકો નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે અને ઘેરાયેલા રાજધાનીમાં વિસ્ફોટો સાંભળી શકાય છે.
Invading Russian forces press deep into Ukraine.
Russian forces have reached the outskirts of Kyiv. Ukraine President Zelensky says invading troops are targeting civilians and explosions can be heard in the besieged capital
For latest on the invasion: https://t.co/EmSWiHqNd0 pic.twitter.com/gw2ALPLqXf
— AFP News Agency (@AFP) February 25, 2022
-
રશિયાએ ચેર્નોબિલ પાવર પ્લાન્ટ કબજે કર્યો
એક રશિયન અધિકારીએ પુષ્ટિ કરી છે કે, તેના પેરાટ્રૂપર્સે ચેર્નોબિલ પાવર પ્લાન્ટ પર નિયંત્રણ મેળવી લીધું છે.
-
કિવની બહાર રશિયન સેના સાથે લડાઈ ચાલુ છે: AFP
AFP ન્યૂઝ એજન્સીએ યુક્રેનની સેનાને ટાંકીને કહ્યું કે, તેઓ રાજધાની કિવની બહાર રશિયન સેના સાથે લડી રહ્યા છે.
-
ભારતે અમને મદદ કરવી જોઈએઃ યુક્રેન સાંસદ
યુક્રેનની સાંસદ સોફિયા ફેડિનાએ ભારત પાસે મદદ માંગી છે. તેમણે કહ્યું કે “યુક્રેનને માત્ર શસ્ત્રોની જ નહીં, પરંતુ માનસિક મદદની પણ જરૂર છે અને આપણે આક્રમણ કરનાર (મોસ્કો)ને સજા કરવાની જરૂર છે.” તેઓ શાંતિ પ્રેમી યુક્રેનના લોકોની હત્યા કરી રહ્યા છે. ઈન્ડિયા ટુડે સાથેના ઈન્ટરવ્યુમાં સાંસદ સોફિયાએ કહ્યું, ‘હું તમામ ભારતીય રાજનેતાઓને વિનંતી કરું છું કે તેઓ એક સાર્વભૌમ દેશના માનવ અધિકારોનું રક્ષણ કરે.’ તે યુક્રેનમાં બોમ્બ શેલ્ટરની અંદરથી બોલી રહી હતી.
-
આજે દિલ્હીમાં રશિયન દૂતાવાસની બહાર વિરોધ પ્રદર્શન
યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓના વાલીઓ અને તેમના પરિવારજનો આજે દિલ્હીમાં રશિયન દૂતાવાસની બહાર વિરોધ પ્રદર્શન કરશે. આ પ્રદર્શન સાંજે 6 વાગ્યાની આસપાસ થશે. તેના વતી રશિયા પાસેથી યુક્રેન સામે યુદ્ધ રોકવાની પણ માંગ કરવામાં આવશે. પ્રદર્શનને જોતા રશિયન દૂતાવાસની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
-
450 થી વધુ રશિયન લોકો મૃત્યુ પામ્યા: બ્રિટિશ સંરક્ષણ પ્રધાન
બ્રિટિશ સંરક્ષણ સચિવ વોલેસે અનુમાન લગાવ્યું હતું કે યુક્રેન પરના આક્રમણમાં રશિયાએ પહેલાથી જ 450 થી વધુ કર્મચારીઓ ગુમાવ્યા છે.
-
ઓડિશાના સીએમએ અમિત શાહ સાથે વાત કરી
ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે આજે સવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે ટેલિફોન પર વાત કરી અને તેમને યુક્રેનમાં ફસાયેલા ઓડિયા વિદ્યાર્થીઓ અને મજૂરોને બચાવવા વિનંતી કરી. ગૃહ પ્રધાન શાહે મુખ્ય પ્રધાનને ખાતરી આપી હતી કે સરકાર યુક્રેનની સરકારના સંપર્કમાં છે અને ઓડિયા વિદ્યાર્થીઓ અને મજૂરોને વહેલામાં વહેલી તકે પરત લાવવા માટે કામ કરી રહી છે.
-
લિવિવિ શહેરમાં સાયરન
યુક્રેનના લિવિવિ શહેરમાં, લોકોને લાઉડસ્પીકર દ્વારા આશ્રયસ્થાનમાં જવાની સલાહ આપવામાં આવી રહી છે.
WATCH: Loudspeakers urge people to seek shelter while sirens wail in Lviv, Ukraine pic.twitter.com/RGTZm9xaLP
— BNO News (@BNONews) February 25, 2022
-
રશિયામાં 1.5 લાખ પ્રવાસીઓ ફસાયા
યુદ્ધ શરૂ થયા બાદ લગભગ 1.5 લાખ સૈનિકો રશિયામાં ફસાયેલા છે. Rostourism ના સમાચાર અનુસાર, લગભગ 1.5 લાખ પ્રવાસીઓ રશિયાના પ્રદેશોમાં છે જ્યાં 2 માર્ચ સુધી હવાઈ ટ્રાફિક બંધ છે, તેમાંથી મોટાભાગના ક્રિમીઆ અને ક્રાસ્નોદર પ્રદેશમાં છે. આ સાથે એવા પ્રવાસીઓની યાદી પણ બનાવવામાં આવી રહી છે જેઓ વિદેશથી રશિયા પરત ફરી શકતા નથી.
-
યુક્રેન પ્રથમ વખત રશિયાની સરહદમાં
યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પ્રથમ વખત રશિયાની સરહદમાં પ્રવેશ્યું છે. રોસ્ટોવ પર યુક્રેન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.
-
રશિયન જહાજને નષ્ટ કરવા લાગી આગ
રોઇટર્સના જણાવ્યા અનુસાર, યુક્રેનિયન દળોએ આજે સવારે કિવમાં દુશ્મનના એક વિમાનનો નાશ કર્યો હતો, જે રહેણાંક મકાન સાથે અથડાયું હતું અને આગ લાગી હતી.
#RussiaUkraineConflict | Ukrainian forces downed an enemy aircraft over Kyiv in the early hours on Friday, which then crashed into a residential building and set it on fire: Reuters
(Visuals: Reuters) pic.twitter.com/6bwUieODEY
— ANI (@ANI) February 25, 2022
-
78 લોકોની માહિતી મળી: ડીજીપી, ઉત્તરાખંડ
ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે આજે દેહરાદૂનમાં જણાવ્યું હતું કે ઉત્તરાખંડની સામાન્ય હેલ્પ લાઇન નંબર 112ને યુક્રેનમાં ફસાયેલા ઉત્તરાખંડના લોકો વિશે માહિતી આપવા માટે કહેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં અમને 78 લોકોની માહિતી મળી છે.
-
યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની મદદે મહારાષ્ટ્ર સરકાર, મુંબઈમાં કંટ્રોલ રૂમ શરૂ
મુંબઈના જિલ્લા કલેક્ટર રાજીવ નિવતકરે યુક્રેનમાં ફસાયેલા મુંબઈના નાગરિકો અને વિદ્યાર્થીઓને સિટી ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરી છે.
-
ચેર્નોબિલ પ્લાન્ટ પર રશિયન કબજો: પ્રમુખ ઝેલેન્સકી
રશિયન હુમલાઓ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે રશિયાએ ચેર્નોબિલ પ્લાન્ટ પર નિયંત્રણ મેળવી લીધું છે. તેમણે કહ્યું કે રશિયા આગામી 96 કલાકમાં રાજધાની કિવને પણ કબજે કરી લેશે.
-
સરકારે સુરક્ષિત વાપસી માટે પ્રયાસ કરવો જોઈએ: સાંસદ વિશ્વમ
સીપીઆઈના રાજ્યસભાના સાંસદ બિનોય વિશ્વમે યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સલામત વાપસી માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માટે વિદેશ પ્રધાન ડૉ. એસ જયશંકરને પત્ર લખ્યો છે.
CPI Rajya Sabha MP Binoy Viswam writes to EAM Dr S Jaishankar for immediate intervention for the safe return of Indian nationals stranded In Ukraine.#RussiaUkraineConflict pic.twitter.com/IWNZDtpohG
— ANI (@ANI) February 25, 2022
-
રશિયા-યુક્રેન યુદ્ધ: પંજાબ સરકારે યુક્રેનમાં અટવાયેલા ભારતીયો માટે હેલ્પલાઇન જાહેર કરી
પંજાબ સરકારે યુક્રેનમાં અટવાયેલા જાલંધરના લોકો માટે એક હેલ્પલાઇન (0181-2224417) જાહેર કરી છે, જેથી ફસાયેલા લોકોની માહિતી સંકલિત કરવામાં આવે. લોકો ડીસી ઓફિસની મુલાકાત લઈ શકે છે, રૂમ નં. 22, ઓફિસ સમય દરમિયાન, તેમના પરિવારના સભ્યો વિશે માહિતી પ્રદાન કરવા માટે, જલંધર વહીવટીતંત્રે જણાવ્યું હતું.
-
ન્યુયોર્કમાં પુતિનના હુમલા સામે લોકોનો વિરોધ
-
EU રશિયાની બેંક પર પ્રતિબંધો લાદશે
લગભગ છ કલાક ચાલેલી બેઠક બાદ યુરોપિયન યુનિયનના નેતાઓ રશિયા પર વધુ આર્થિક અને નાણાકીય પ્રતિબંધો લાદવા સંમત થયા છે. યુરોપિયન યુનિયન કાઉન્સિલના પ્રમુખે રશિયા પર યુક્રેન પરના તેના આક્રમણને યોગ્ય ઠેરવવા માટે “ખોટા અને નકામા બહાના” બનાવવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે પ્રતિબંધો તેમની સરકારને નુકસાન પહોંચાડશે.
-
શિબિરમાં બાળકો સાથે આશ્રય લેતી માતા
-
13 સૈનિકોની હત્યા
BONO સમાચાર અનુસાર, રશિયન દળોને આત્મસમર્પણ કરવાનો ઇનકાર કર્યા પછી એક ટાપુ પર 13 યુક્રેનિયન સૈનિકો રશિયન યુદ્ધ જહાજ દ્વારા માર્યા ગયા.
-
હુમલાથી કિવમાં એક એપાર્ટમેન્ટ તબાહ થઈ ગયું
BREAKING: Apartment complex in Kyiv hit by debris from falling plane; no word on casualties pic.twitter.com/jufAnGFeql
— BNO News (@BNONews) February 25, 2022
-
જાપાને રશિયા પર વધારાના પ્રતિબંધો લાદ્યા
જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ ટોક્યોમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને એક કોન્ફરન્સમાં યુક્રેન પર રશિયાના હુમલાના વિરોધમાં રશિયા સામે વધારાના પ્રતિબંધોની જાહેરાત કરી હતી.
-
એક લાખ યુક્રેનિયનો વિસ્થાપિત: UNHCR
UNHCRના અંદાજ મુજબ, રશિયન હુમલાના પરિણામે લગભગ એક લાખ જેટલા યુક્રેનિયનો વિસ્થાપિત થયા છે.
-
રાજધાની કિવમાં ઘણા ધમાકેદાર અવાજો
યુક્રેન પર રશિયાના હુમલાના એક દિવસ બાદ શુક્રવારે રાજધાની કિવમાં અનેક વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા. રશિયન સૈનિકોએ બીજા દિવસે પણ તેમના હુમલા ચાલુ રાખ્યા. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ કહ્યું છે કે રશિયાના હુમલામાં અત્યાર સુધીમાં 137 નાગરિકો અને સૈન્ય કર્મચારીઓ માર્યા ગયા છે.
-
કિવ પર 40 મિનિટમાં 3 ડઝન મિસાઇલો છોડવામાં આવી
અમેરિકી સેનેટર રુબિયોએ કહ્યું કે છેલ્લા 40 મિનિટમાં રાજધાની કિવ પર ઓછામાં ઓછી ત્રણ ડઝન મિસાઇલો છોડવામાં આવી છે.
Appears at least three dozen missiles have been fired at #Kyiv area in the last 40 minutes
— Marco Rubio (@marcorubio) February 25, 2022
-
Russia Ukraine War news and updates: યુક્રેન સાથે એકતા દર્શાવવા વોશિંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસ બહાર લોકો ભેગા થયા
Russia Ukraine War news and updates: યુક્રેન પર હુમલા બાદ યુક્રેન સાથે એકતા દર્શાવવા વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસની બહાર ડઝનબંધ વિરોધીઓ એકત્ર થયા હતા. હુમલાના પહેલા દિવસે 130 યુક્રેનિયનો માર્યા ગયા હતા. એક યુક્રેનિયન વિરોધકર્તા કહે છે, ‘તે અસહ્ય છે. મેં વિચાર્યું હતું કે આ દિવસ ક્યારેય નહીં આવે, પરંતુ તે ખરેખર આવી ગયો છે અને તેને જોવો ખૂબ જ મુશ્કેલ છે.
-
Russia Ukraine War news and updates: રશિયાનું લક્ષ્ય હજુ હાંસલ થયું નથીઃ બ્રિટન
Russia Ukraine War news and updates: બ્રિટનના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે રશિયા યુક્રેનમાં “હજી સુધી તેના વ્યૂહાત્મક લક્ષ્યો હાંસલ કરી શક્યું નથી”. તે કહે છે કે સ્થાનિક સૈનિકો “જબરદસ્ત” જવાબ આપી રહ્યા છે.
-
યુક્રેનિયન લોકોએ વ્હાઇટ હાઉસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું
રશિયા અને યુક્રેન વચ્ચેના સંકટ વચ્ચે મોટી સંખ્યામાં દેખાવકારોએ અમેરિકાના વ્હાઇટ હાઉસની બહાર કલાકો સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
USA | Demonstrators protest outside the White House for hours, amid #RussiaUkraineCrisis. Visuals from Lafayette Square Park. pic.twitter.com/QAGSnVJhlX
— ANI (@ANI) February 25, 2022
-
યુક્રેનિયન લોકોએ વ્હાઇટ હાઉસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું
રશિયા અને યુક્રેન વચ્ચેના સંકટ વચ્ચે મોટી સંખ્યામાં દેખાવકારોએ અમેરિકાના વ્હાઇટ હાઉસની બહાર કલાકો સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
USA | Demonstrators protest outside the White House for hours, amid #RussiaUkraineCrisis. Visuals from Lafayette Square Park. pic.twitter.com/QAGSnVJhlX
— ANI (@ANI) February 25, 2022
Published On - Feb 25,2022 8:12 AM