AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રશિયાને અવળચંડાઈ ભારે પડશે ! માનવ અધિકાર પરિષદમાંથી બાકાત રાખવા માટે આજે UN માં મતદાન

યુનાઈટેડ નેશન્સ (United Nations) જનરલ એસેમ્બલી ગુરુવારે મતદાન કરશે કે શું રશિયાને (Russia) યુએન માનવાધિકારની મુખ્ય સંસ્થામાંથી સસ્પેન્ડ કરવું કે નહીં. સંયુક્ત રાષ્ટ્રમાં યુએસ એમ્બેસેડર લિન્ડા થોમસ-ગ્રીનફિલ્ડે રશિયાને 47 સભ્યોની માનવ અધિકાર પરિષદમાંથી હટાવવાની હાકલ કરી હતી.

રશિયાને અવળચંડાઈ ભારે પડશે ! માનવ અધિકાર પરિષદમાંથી બાકાત રાખવા માટે આજે UN માં મતદાન
Russia Ukraine War
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 11:29 AM
Share

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (Russia Ukraine War) ચાલુ છે, યુએસ અને પશ્ચિમના ઘણા પ્રતિબંધો અને ચેતવણીઓ છતાં રશિયન બાજુથી હુમલાઓ બંધ થઈ રહ્યા નથી. આ દરમિયાન યુક્રેનના બુચા શહેરમાં (Bucha city) રશિયા દ્વારા કરાયેલી હત્યાની વૈશ્વિક નિંદા થઈ રહી છે.ઉલ્લેખનીય છે કે, ભારતે પણ રશિયાની (Russia)  નિંદા કરી છે અને સ્વતંત્ર તપાસની માંગ કરી છે. આ ઘટના બાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ગુરુવારે સંયુક્ત રાષ્ટ્રની મુખ્ય માનવાધિકાર સંસ્થામાંથી (United Nations)  રશિયાને સસ્પેન્ડ કરવા કે કેમ તેના પર મતદાન કરવા જઈ રહી છે.

મારીયુપોલમાં 5 હજારથી વધુ નાગરિકોના મોત: મેયર

યુક્રેનના મેરીયુપોલના મેયર વાદિમ બોઇચેન્કોએ કહ્યું છે કે રશિયન હુમલા (Russia Attack) દરમિયાન શહેરમાં 5,000 થી વધુ નાગરિકો માર્યા ગયા હતા. યુક્રેન હવે કિવની બહારના વિસ્તારમાં રશિયન અત્યાચારના પુરાવા એકત્ર કરી રહ્યું છે. મેયરે જણાવ્યું હતું કે માર્યા ગયેલાઓમાં 210 બાળકોનો સમાવેશ થાય છે. તેમના મતે રશિયન દળોએ પણ હોસ્પિટલો પર બોમ્બમારો કર્યો હતો,જેમાં માત્ર એક હોસ્પિટલમાં જ 50 લોકોના મોત થયા હતા. તેમણે કહ્યું કે આ શહેરનું 90 ટકા ઈન્ફ્રાસ્ટ્રક્ચર રશિયન હુમલામાં નાશ પામ્યું છે.

અમેરિકા ક્રેમલિન પર નવા નિયંત્રણો લાદવાની તૈયારીમાં

યુ.એસ. અને તેના પશ્ચિમી સાથીઓએ ક્રેમલિન પર યુદ્ધ અપરાધોનો આરોપ લગાવીને નવા પ્રતિબંધો લાદવાની દિશામાં આગળ વધ્યું છે.એક યુએસ સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, રશિયાએ ઉત્તરમાં કિવ અને ચેર્નિહિવ પ્રદેશોમાંથી લગભગ 24,000 કે તેથી વધુ સૈનિકોને બોલાવ્યા છે અને તેમને બેલારુસ મોકલી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, યુએસ રિપબ્લિકન પાર્ટીના પ્રભાવશાળી સેનેટરે બુધવારે યુક્રેનના બુચામાં રશિયન સૈન્ય(Russian Army)  દ્વારા લોકોની હત્યાની ભારતની નિંદાને આવકારી હતી અને તેને દેશનું “કઠોર વલણ” ગણાવ્યું હતું. સેનેટમાં ઈન્ડિયા કોકસના સહ-અધ્યક્ષ સેનેટર જ્હોન કોર્નીને આ મુદ્દે ભારતની ટિપ્પણીઓની પ્રશંશા કરી હતી. જો કે તેઓએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મતદાનમાંથી ભારતની દૂર રહેવાની ટીકા પણ કરી હતી.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Jeetendra Birthday : જીતેન્દ્રને ‘પરિચય’નું સોંગ નહોતુ ગમ્યું, પણ આ વ્યક્તિની ભીની આંખો જોઈને રાજી થયા હતા અભિનેતા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">