AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UNમાં રશિયન રાજદૂત કહ્યુ, યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા રશિયા તૈયાર, બોર્ડર પર તૈયાર છે 130 બસ

રશિયાના હુમલાને કારણે ભારત સિવાયના તમામ દેશોના નાગરિકો યુક્રેનમાં ફસાયેલા છે. રશિયાએ સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું છે કે તેઓ યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે તૈયાર છે.

UNમાં રશિયન રાજદૂત કહ્યુ, યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા રશિયા તૈયાર, બોર્ડર પર તૈયાર છે 130 બસ
Indian students in Ukraine
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 2:46 PM
Share

રશિયાએ (Russia) સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને (United Nations Security Council) જાણ કરી છે કે પૂર્વી યુક્રેનના ખાર્કિવ અને સુમી શહેરમાં તેની સૈન્ય કાર્યવાહીથી ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ (Indian Students in Ukraine) અને અન્ય વિદેશીઓને બહાર કાઢવાના તેના પ્રયાસો ચાલુ છે. સરહદ પર બસો તૈયાર છે. યુક્રેનના ઝાપોરિઝ્ઝ્યામાં યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલા બાદ અલ્બેનિયા, ફ્રાન્સ, આયર્લેન્ડ, નોર્વે, બ્રિટન અને અમેરિકાની માંગ પર શુક્રવારે સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી.

બેઠક દરમિયાન, રશિયાના સ્થાયી પ્રતિનિધિ અને સંયુક્ત રાષ્ટ્રમાં રાજદૂત વેસિલી નેબેન્ઝિયાએ કહ્યું કે રશિયન સૈનિકો યુક્રેનમાં ફસાયેલા વિદેશી નાગરિકોને શાંતિપૂર્ણ રીતે બહાર કાઢવાની ખાતરી કરવા માટે શક્ય તેટલું બધું કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે યુક્રેનિયન રાષ્ટ્રવાદીઓએ પૂર્વ યુક્રેનના ખાર્કિવ અને સુમી શહેરોમાં 3700 ભારતીય વિદ્યાર્થીઓને “બળજબરીથી” બંધક બનાવી રાખ્યા હતા.

વિદેશીઓ ઉપર પણ પડી રહી છે અસર

નેબેન્ઝિયાએ કહ્યું, ‘સામાન્ય લોકોને શહેર છોડવા દેતા નથી. આની અસર માત્ર યુક્રેનના લોકો જ નહીં પરંતુ વિદેશીઓ પર પણ પડી રહી છે. યુક્રેનિયન નાગરિકો દ્વારા ઘણા વિદેશીઓની બળજબરીથી અટકાયત કરવામાં આવી હોવાની બાબત આઘાતજનક છે. ખાર્કિવમાં 3,189 ભારતીયો, 2700 વિયેતનામના, અને 202 ચીનના નાગરિકો છે. એ જ રીતે સુમીમાં 507 ભારતીયો, 101 ઘાનાના અને 121 ચીનના નાગરિકો છે.

બોર્ડર પોસ્ટ પર લોકો માટે ઉભી છે 130 બસ

“ખાર્કિવ અને સુમી જવા માટે અને ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય વિદેશીઓને બહાર કાઢવા માટે આજે સવારે 6 વાગ્યાથી રશિયાના બેલગોરોડ વિસ્તારમાં 130 આરામદાયક બસો ‘નેખોટીવકા’ અને ‘સુડઝા’ બોર્ડર પોસ્ટ પર પાર્ક કરવામાં આવી છે,” તેમણે કહ્યું. તે અસ્થાયી આવાસ ચેકપોઇન્ટ પર આરામ કરવા માટે અને ગરમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે દવાઓ સાથે મોબાઈલ મેડિકલ સેન્ટરની પણ સ્થાપના કરવામાં આવી છે.

લોકોને બેલગોરોડ લાવવામાં આવશે

તેમણે કહ્યું કે, ‘બધા જ ખાલી કરાયેલા લોકોને બેલગોરોડ લઈ જવામાં આવશે અને ત્યાંથી તેમને તેમના દેશોમાં મોકલવામાં આવશે’. યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવવામાં આવ્યા હોવાના અહેવાલો પર, નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે કોઈ ભારતીય વિદ્યાર્થીને બંધક બનાવ્યાના સમાચાર નથી.

આ પણ વાંચોઃ

રશિયાએ યુક્રેનમાં યુદ્ધવિરામની કરી જાહેરાત, યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા ભારતીયો સહીતના લોકોને બહાર કાઢવાનો નિર્ણય

આ પણ વાંચોઃ

કિવમાં ફાયરિંગ શરૂ થયું અને સૌરભે યુક્રેન છોડવાનો નિર્ણય લીધો, સૌરભની ચાર દિવસના સંઘર્ષ ગાથા જાણી તમે દ્રવી ઉઠશો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">