Pakistan: પાકિસ્તાનમાં રાજકીય સ્થિતિ ખરાબ, ઈમરાન ખાને શરૂ કર્યું જેલ ભરો આંદોલન

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને જેલ ભરો આંદોલન શરૂ કર્યુ છે. આ અંતર્ગત પંજાબ પ્રાંતની રાજધાની લાહોરમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના કાર્યકરો રસ્તા પર ઉતરશે. આ દરમિયાન ઈમરાનના 200થી વધુ સમર્થકોની અટકાયત થઈ શકે છે.

Pakistan: પાકિસ્તાનમાં રાજકીય સ્થિતિ ખરાબ, ઈમરાન ખાને શરૂ કર્યું જેલ ભરો આંદોલન
Imran KhanImage Credit source: TV9 Digital
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2023 | 7:44 PM

પાકિસ્તાનમાં ઈમરાન ખાને વડાપ્રધાન શાહબાઝ સરકાર વિરુદ્ધ જેલ ભરો આંદોલન શરૂ કર્યું છે. આ આંદોલન લાહોરથી શરૂ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે 8 દિવસ સુધી ચાલનારા પીટીઆઈના આ આંદોલનમાં દરરોજ 200 લોકો તેમની ધરપકડ કરાવશે. પાકિસ્તાનની પીટીઆઈ પાર્ટીની મહિલા નેતા શિરીન મજારીએ ટીવી 9 ભારતવર્ષને જણાવ્યું કે ઈમરાન ખાનનો પગ સાજા થવાની રાહ જોવાઈ રહી છે. આ પછી ઈમરાન ખાન પોતે ધરપકડ કરાવશે.

આ પણ વાંચો: ઝેલેન્સકીના અધિકારીએ NSA ડોભાલને કર્યો ફોન, ભારતને પાસે કરી આ માગણી

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની જેલ ભરો તહરીક આજથી શરૂ થઈ રહી છે. આ અંતર્ગત પંજાબ પ્રાંતની રાજધાની લાહોરમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના કાર્યકરો રસ્તા પર ઉતરશે. આ દરમિયાન ઈમરાનના 200થી વધુ સમર્થકોની અટકાયત થઈ શકે છે.

શું જમતા પહેલા પાણી પીવાથી ખરેખર ઓછું થાય છે વજન? જાણો સત્ય
3.5 કરોડની કાર ખરીદનાર આ અભિનેતાનું કાર કલેક્શન છે ગજબનું, જુઓ ફોટો
Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય
કોઈ ચોરીછુપે સાભંળી તો નથી રહ્યું ને તમારા કોલ પર થતી વાત? આ રીતે કરો ચેક
આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?

આ પહેલા પીટીઆઈ ચીફ ઈમરાન ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો મેસેજ પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે પોતાના સમર્થકોની ધરપકડ કરાવવા અને ભયનું વાતાવરણ ખતમ કરવાની અપીલ કરી હતી. પીટીઆઈ આ આંદોલન માનવાધિકાર ઉલ્લંઘન, વધતી મોંઘવારી અને આઈએમએફ સાથે દેવાની વાતચીતના મુદ્દે કરી રહી છે.

પીટીઆઈ સમર્થકો દેશના ફૈસલાબાદ, કાસુર અને શેખુપુરા જેવા વિવિધ શહેરોમાં રેલીઓ પણ કરશે. બીજી તરફ પીટીઆઈના જેલ ભરો આંદોલનને જોતા બુધવારે લાહોરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આંદોલનના પ્રથમ તબક્કા હેઠળ પંજાબના પૂર્વ ગવર્નર ઉમર સરફરાઝ ચીમા, સાંસદ વલીદ ઈકબાલ વગેરે સહિત પીટીઆઈના કેટલાક નેતાઓની ધરપકડ થઈ શકે છે.

આંદોલનના ભાગરૂપે, સેંકડો પીટીઆઈ કાર્યકરો બુધવારે લાહોરના ધ મોલ રોડથી જેલ રોડ સુધી કૂચ કરશે અને પોતાને ધરપકડ કરાવશે. સમાચાર અનુસાર જો પાકિસ્તાન સરકાર પીટીઆઈ કાર્યકર્તાઓની ધરપકડ નહીં કરે તો પીટીઆઈ કાર્યકર્તાઓ પંજાબ વિધાનસભાની બહાર પણ વિરોધ પ્રદર્શન કરશે.

લાહોર બાદ પીટીઆઈ સમર્થકો પેશાવર, રાવલપિંડી, મુલતાન, ગુંજાવાલા, સરગોધા, સાહિવાલમાં પણ જેલ ભરો આંદોલન કરશે. આ પહેલા ઈમરાન ખાને 22 ફેબ્રુઆરીથી જેલ ભરો આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી હતી. ઈમરાને સરકાર પર પંજાબ અને ખૈબર પખ્તુનખ્વામાં ચૂંટણીમાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે બંને જગ્યાએ પ્રાંતીય એસેમ્બલીઓનું વિસર્જન કરવામાં આવ્યું છે, જો 90 દિવસમાં ચૂંટણી નહીં થાય તો 91માં દિવસે કાર્યવાહક સરકાર ગેરકાયદેસર ગણાશે અને તે બંધારણની કલમ 6નું ઉલ્લંઘન કરશે.

Latest News Updates

જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
"UAEમાં મંદિર નિર્માણમાં પીએમ મોદીનો સહકાર મહત્વપૂર્ણ સાબિત થયો"
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
g clip-path="url(#clip0_868_265)">