AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: પાકિસ્તાનમાં રાજકીય સ્થિતિ ખરાબ, ઈમરાન ખાને શરૂ કર્યું જેલ ભરો આંદોલન

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને જેલ ભરો આંદોલન શરૂ કર્યુ છે. આ અંતર્ગત પંજાબ પ્રાંતની રાજધાની લાહોરમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના કાર્યકરો રસ્તા પર ઉતરશે. આ દરમિયાન ઈમરાનના 200થી વધુ સમર્થકોની અટકાયત થઈ શકે છે.

Pakistan: પાકિસ્તાનમાં રાજકીય સ્થિતિ ખરાબ, ઈમરાન ખાને શરૂ કર્યું જેલ ભરો આંદોલન
Imran KhanImage Credit source: TV9 Digital
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2023 | 7:44 PM
Share

પાકિસ્તાનમાં ઈમરાન ખાને વડાપ્રધાન શાહબાઝ સરકાર વિરુદ્ધ જેલ ભરો આંદોલન શરૂ કર્યું છે. આ આંદોલન લાહોરથી શરૂ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે 8 દિવસ સુધી ચાલનારા પીટીઆઈના આ આંદોલનમાં દરરોજ 200 લોકો તેમની ધરપકડ કરાવશે. પાકિસ્તાનની પીટીઆઈ પાર્ટીની મહિલા નેતા શિરીન મજારીએ ટીવી 9 ભારતવર્ષને જણાવ્યું કે ઈમરાન ખાનનો પગ સાજા થવાની રાહ જોવાઈ રહી છે. આ પછી ઈમરાન ખાન પોતે ધરપકડ કરાવશે.

આ પણ વાંચો: ઝેલેન્સકીના અધિકારીએ NSA ડોભાલને કર્યો ફોન, ભારતને પાસે કરી આ માગણી

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની જેલ ભરો તહરીક આજથી શરૂ થઈ રહી છે. આ અંતર્ગત પંજાબ પ્રાંતની રાજધાની લાહોરમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના કાર્યકરો રસ્તા પર ઉતરશે. આ દરમિયાન ઈમરાનના 200થી વધુ સમર્થકોની અટકાયત થઈ શકે છે.

આ પહેલા પીટીઆઈ ચીફ ઈમરાન ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો મેસેજ પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે પોતાના સમર્થકોની ધરપકડ કરાવવા અને ભયનું વાતાવરણ ખતમ કરવાની અપીલ કરી હતી. પીટીઆઈ આ આંદોલન માનવાધિકાર ઉલ્લંઘન, વધતી મોંઘવારી અને આઈએમએફ સાથે દેવાની વાતચીતના મુદ્દે કરી રહી છે.

પીટીઆઈ સમર્થકો દેશના ફૈસલાબાદ, કાસુર અને શેખુપુરા જેવા વિવિધ શહેરોમાં રેલીઓ પણ કરશે. બીજી તરફ પીટીઆઈના જેલ ભરો આંદોલનને જોતા બુધવારે લાહોરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આંદોલનના પ્રથમ તબક્કા હેઠળ પંજાબના પૂર્વ ગવર્નર ઉમર સરફરાઝ ચીમા, સાંસદ વલીદ ઈકબાલ વગેરે સહિત પીટીઆઈના કેટલાક નેતાઓની ધરપકડ થઈ શકે છે.

આંદોલનના ભાગરૂપે, સેંકડો પીટીઆઈ કાર્યકરો બુધવારે લાહોરના ધ મોલ રોડથી જેલ રોડ સુધી કૂચ કરશે અને પોતાને ધરપકડ કરાવશે. સમાચાર અનુસાર જો પાકિસ્તાન સરકાર પીટીઆઈ કાર્યકર્તાઓની ધરપકડ નહીં કરે તો પીટીઆઈ કાર્યકર્તાઓ પંજાબ વિધાનસભાની બહાર પણ વિરોધ પ્રદર્શન કરશે.

લાહોર બાદ પીટીઆઈ સમર્થકો પેશાવર, રાવલપિંડી, મુલતાન, ગુંજાવાલા, સરગોધા, સાહિવાલમાં પણ જેલ ભરો આંદોલન કરશે. આ પહેલા ઈમરાન ખાને 22 ફેબ્રુઆરીથી જેલ ભરો આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી હતી. ઈમરાને સરકાર પર પંજાબ અને ખૈબર પખ્તુનખ્વામાં ચૂંટણીમાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે બંને જગ્યાએ પ્રાંતીય એસેમ્બલીઓનું વિસર્જન કરવામાં આવ્યું છે, જો 90 દિવસમાં ચૂંટણી નહીં થાય તો 91માં દિવસે કાર્યવાહક સરકાર ગેરકાયદેસર ગણાશે અને તે બંધારણની કલમ 6નું ઉલ્લંઘન કરશે.

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">