AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi japan Visit: જાપાનમાં પીએમ મોદીને મળી ‘ચાયવાલી’, કહ્યું- હું ચાનો વેપાર કરું છું, જાણો આના પર વડાપ્રધાને શું કહ્યું?

વડાપ્રધાન મોદીએ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે વેપાર, અર્થવ્યવસ્થા સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. પીએમ મોદી અને કિશિદાએ બંને દેશો વચ્ચેની મિત્રતા વધુ જાળવવા અંગે પણ ચર્ચા કરી હતી.

PM Modi japan Visit: જાપાનમાં પીએમ મોદીને મળી 'ચાયવાલી', કહ્યું- હું ચાનો વેપાર કરું છું, જાણો આના પર વડાપ્રધાને શું કહ્યું?
PM Modi met 'Chaiwali' in Japan
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2023 | 8:40 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જાપાનના હિરોશિમા શહેરમાં છે. તેઓ G-7 સમિટમાં ભાગ લેવા માટે ત્યાં પહોંચ્યા છે. શનિવારે પીએમ મોદીએ જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી. આ પછી તેમણે હિરોશિમા શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ દરમિયાન ત્યાં હાજર એક મહિલાએ વડાપ્રધાન મોદીને કહ્યું, ‘મોદીજી, હું ચાવાલી છું, અહીં ચાનો બિઝનેસ કરું છું.

જેના જવાબમાં પીએમએ કહ્યું- વાહ! પીએમ મોદી 21 મે સુધી હિરોશિમામાં રહેશે. આજે તેઓ અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને સાંજે ક્વાડ દેશોની બેઠકમાં ભાગ લેશે. પીએમ મોદી આજે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીને મળશે. આ સિવાય તેઓ દક્ષિણ કોરિયા અને વિયેતનામના રાષ્ટ્રપતિઓને પણ મળશે.

પીએમ મોદીએ મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું

પીએમ મોદીએ હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે આ પ્રતિમા અહિંસાના વિચારને આગળ વધારશે. અનાવરણ બાદ તેઓ ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે આજે પણ હિરોશિમાનું નામ સાંભળીને દુનિયા ડરી જાય છે. બાપુની પ્રતિમા સમગ્ર વિશ્વમાં શાંતિનો સંદેશ આપશે.

પીએમ મોદી જાપાનના પીએમ કિશિદાને મળ્યા

આ પહેલા વડાપ્રધાન મોદીએ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે વેપાર, અર્થવ્યવસ્થા સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. પીએમ મોદી અને કિશિદાએ બંને દેશો વચ્ચેની મિત્રતા વધુ જાળવવા અંગે પણ ચર્ચા કરી હતી.

આ પહેલા વડાપ્રધાન મોદી તેમના જાપાની સમકક્ષ ફુમિયો કિશિદાને મળ્યા હતા. બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે વેપાર, અર્થવ્યવસ્થા સહિત અનેક મુદ્દાઓ પર ભારત અને જાપાન વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા પર વાતચીત થઈ હતી. તેમણે G7 ના સફળ અધ્યક્ષપદ માટે કિશિદાને અભિનંદન આપ્યા અને ભારતને આમંત્રણ આપવા બદલ તેમનો આભાર માન્યો.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">