AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi In Sydney : PM મોદીએ ઓસ્ટ્ર્લિયામાંં સક્રીય અલગતાવાદીઓને આપી કડક ચેતવણી, જાણો શુ કહ્યું ?

ભારતીય પીએમ એ ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ સિવાય ઓસ્ટ્રેલિયામાં અલગતાવાદી તત્વોની ગતિવિધિઓ પર પણ ચર્ચા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે કોઈ પણ તત્વ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધોને તેમના વિચારો કે કાર્યોથી નુકસાન પહોંચાડે તે સ્વીકાર્ય નથી.

PM Modi In Sydney : PM મોદીએ ઓસ્ટ્ર્લિયામાંં સક્રીય અલગતાવાદીઓને આપી કડક ચેતવણી, જાણો શુ કહ્યું ?
PM Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2023 | 11:49 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે ત્યારે આ દરમિયાન ભારતીય પીએમ એ ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ સિવાય ઓસ્ટ્રેલિયામાં અલગતાવાદી તત્વોની ગતિવિધિઓ પર પણ ચર્ચા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે કોઈ પણ તત્વ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધોને તેમના વિચારો કે કાર્યોથી નુકસાન પહોંચાડે તે સ્વીકાર્ય નથી.

આ સંદર્ભમાં તેમણે લીધેલા પગલાં માટે હું વડા પ્રધાન અલ્બેનીઝનો આભાર માનું છું. પીએમ મોદીએ કહ્યું કે તેમણે મને ફરી એકવાર ખાતરી આપી છે. તેઓ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોનો પરિપ્રેક્ષ્ય માત્ર બે દેશો પૂરતો મર્યાદિત નથી. તે પ્રાદેશિક સ્થિરતા, શાંતિ અને વિશ્વ કલ્યાણ સાથે પણ સંકળાયેલું છે.

જાન્યુઆરીમાં ત્રણ મંદિરો પર હુમલા

તમને જણાવી દઈએ કે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ખાલિસ્તાની અલગાવવાદીઓએ ઓસ્ટ્રેલિયામાં સ્થિત ઘણા હિન્દુ મંદિરોને નિશાન બનાવ્યા હતા. આ હુમલા મેલબોર્ન અને બ્રિસ્બેનમાં થયા હતા. ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં આવેલા શ્રી લક્ષ્મી નારાયણ મંદિર પર 4 માર્ચે હુમલો થયો હતો. હુમલાની સાથે ખાલિસ્તાની અલગતાવાદીઓએ મંદિરની દિવાલો પર વાંધાજનક પેઇન્ટિંગ પણ કર્યું છે. આ હુમલો ત્યારે થયો જ્યારે શનિવારે સવારે લોકો મંદિરમાં પૂજા કરવા આવ્યા હતા. બદમાશોએ મંદિરની દિવાલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ અને ‘આતંકવાદ’, ‘શીખ 1984 હત્યાકાંડ’ જેવા શબ્દો લખ્યા હતા.

મેલબોર્નમાં 15 દિવસમાં 3 હિંદુ મંદિર પર હુમલો

આ પહેલા ખાલિસ્તાન સમર્થકોએ બ્રિસબેનના ગાયત્રી મંદિરમાં ધમકીભર્યા ફોન કર્યા હતા. એક વ્યક્તિએ મંદિરના પ્રમુખ ડૉ. જય રામને ફોન કરીને ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવવા બદલ ધમકી આપી હતી. એમ પણ કહ્યું કે હિંદુઓએ ખાલિસ્તાન માટે લોકમતનું સમર્થન કરવું જોઈએ.

અગાઉ 29 જાન્યુઆરીએ ખાલિસ્તાન સમર્થકોએ મેલબોર્નમાં ખાલિસ્તાન માટે લોકમત યોજવાની જાહેરાત કરી હતી. જ્યારે ભારતીયોએ તેનો વિરોધ કર્યો હતો. તો ખાલિસ્તાની સમર્થકોએ હિંસા આચરી હતી.

17 જાન્યુઆરીએ મેલબોર્નના સ્વામિનારાયણ મંદિર પર હુમલો થયો હતો. મંદિરની દિવાલો પર ખાલિસ્તાનના સમર્થનમાં નારા લખવામાં આવ્યા હતા. અગાઉ વિક્ટોરિયામાં પણ મંદિરો પર હુમલા થયા હતા. આ હુમલાઓ બાદ ઓસ્ટ્રેલિયન સરકારે આવા જવાબદાર તત્વો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

બેંગકોક જઈ રહેલા મુસાફર પાસેથી ઝડપાયું 42 લાખનુ વિદેશી ચલણ
બેંગકોક જઈ રહેલા મુસાફર પાસેથી ઝડપાયું 42 લાખનુ વિદેશી ચલણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
g clip-path="url(#clip0_868_265)">