AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આખા પાકિસ્તાનમાં 25 નવેમ્બરે બંધ રહેશે પેટ્રોલ પંપ, ઈમરાન સરકારની આ ભૂલની સજા ભોગવી રહી છે સામાન્ય જનતા

સરકાર ડીલરોના નફામાં 6 ટકાનો વધારો કરવામાં નિષ્ફળ રહી છે. એસોસિએશનના માહિતી સચિવ નૌમાન અલીએ કહ્યું કે 25 નવેમ્બરે દેશભરમાં પેટ્રોલ પંપ બંધ રહેશે. તેમણે કહ્યું કે સરકારે તેમની માંગણી ન સ્વીકારી, જેના કારણે તેમને આ નિર્ણય લેવો પડ્યો છે.

આખા પાકિસ્તાનમાં 25 નવેમ્બરે બંધ રહેશે પેટ્રોલ પંપ, ઈમરાન સરકારની આ ભૂલની સજા ભોગવી રહી છે સામાન્ય જનતા
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 5:41 PM
Share

આર્થિક સંકટ (Economic crisis) અને વધતી મોંઘવારી વચ્ચે પાકિસ્તાન સરકાર (Pakistan Government)ની મુશ્કેલીઓ ફરી એકવાર વધવા જઈ રહી છે. દેશમાં ઈંધણની તીવ્ર અછત સર્જાઈ શકે છે. અહીં ઓલ ઈન્ડિયા પાકિસ્તાન પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશન (PPDA) એ જાહેરાત કરી છે કે તે 25 નવેમ્બર (Pakistan Fuel Shortage) ના રોજ દેશવ્યાપી હડતાળ કરશે. કારણ કે સરકાર ડીલરોના નફામાં 6 ટકાનો વધારો કરવામાં નિષ્ફળ રહી છે. એસોસિએશનના માહિતી સચિવ નૌમાન અલીએ કહ્યું કે 25 નવેમ્બરે દેશભરમાં પેટ્રોલ પંપ (Petrol Pumps) બંધ રહેશે. તેમણે કહ્યું કે સરકારે તેમની માંગણી ન સ્વીકારી, જેના કારણે તેમને આ નિર્ણય લેવો પડ્યો છે.

અલીના મતે જ્યાં સુધી સરકાર નફો 6 ટકા વધારશે નહીં ત્યાં સુધી તેમની સાથે કોઈ વાત કરવામાં આવશે નહીં. સરકાર પેટ્રોલ ડીલરોના માર્જિનમાં વધારો કરવામાં આનાકાની કરી રહી છે. આ પહેલા 5 નવેમ્બરે આ લોકોએ દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું હતું. જો કે, 3 નવેમ્બરે, તેમણે તેમ ન કરવાનો નિર્ણય લીધો કારણ કે ઉર્જા પ્રધાન હમાદ અઝહરની આગેવાની હેઠળની સરકારી ટીમ થોડા દિવસોમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના વેચાણમાં નફો વધારવા માટે સંમત થઈ હતી.

સરકારે સમિતિની રચના કરી

આ બેઠકમાં, પેટ્રોલિયમ સચિવ ડૉ. અરશદ મહમૂદના નેતૃત્વ હેઠળ એક સમિતિની પણ રચના કરવામાં આવી હતી અને તેમાં હિતધારકોને સામેલ કરાયા હતા. જેથી 15 નવેમ્બર સુધીમાં ECC અને ફેડરલ કેબિનેટની મંજૂરી દ્વારા નફામાં વધારો કરવાના કરારના અમલીકરણની ખાતરી કરી શકાય. (Pakistan Petrol Crisis). સરકારની ટીમમાં ઓઈલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટી (OGRA) ના ચેરમેન અને ડાયરેક્ટર જનરલ પણ સામેલ હતા. ડીલરોને આશ્વાસન આપવા છતાં તેમની માંગણી સંતોષવામાં આવી નથી, જેના કારણે આ લોકોમાં સરકાર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સરકારે કોઈ રસ્તો છોડ્યો નથી

પીપીડીએના પ્રવક્તાએ કહ્યું, “અમારી પાસે હડતાળ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. કારણ કે સરકાર 17 નવેમ્બરની સમયમર્યાદા સુધી અમારી માંગણી સ્વીકારવામાં નિષ્ફળ રહી છે. PPDAના અધ્યક્ષ અબ્દુલ સામી ખાનનું કહેવું છે કે પેટ્રોલ ડીલરો વધતી કિંમતો અને ઓછા નફાને કારણે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે વીજળીના ભાવ પણ વધી રહ્યા છે. પરંતુ સરકારે ઈંધણ તેલના વેચાણ પર માત્ર 2 ટકા નફાની ખાતરી આપી છે. તેમણે ત્યાં સુધી કહ્યું કે સરકારે તેમના લાઇસન્સ રદ કરી દેવા જોઈએ, તો 50 ટકા પેટ્રોલ પંપ આપોઆપ બંધ થઈ જશે કારણ કે કોઈ ફરીથી અરજી કરશે નહીં.

આ પણ વાંચો: બ્રિટનના ખેડૂતોએ ગાયના છાણમાંથી બનાવી બેટરી, આખું વર્ષ જગમગાવી શકે છે 3 ઘર

આ પણ વાંચો: જર્મન પુરાતત્વવિદોને ઈઝરાયેલમાથી 12 હજાર વર્ષ જૂની એવી વસ્તુ મળી જેને જોતા જ બધા સ્તબ્ધ થઈ ગયા!

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">