આખા પાકિસ્તાનમાં 25 નવેમ્બરે બંધ રહેશે પેટ્રોલ પંપ, ઈમરાન સરકારની આ ભૂલની સજા ભોગવી રહી છે સામાન્ય જનતા

સરકાર ડીલરોના નફામાં 6 ટકાનો વધારો કરવામાં નિષ્ફળ રહી છે. એસોસિએશનના માહિતી સચિવ નૌમાન અલીએ કહ્યું કે 25 નવેમ્બરે દેશભરમાં પેટ્રોલ પંપ બંધ રહેશે. તેમણે કહ્યું કે સરકારે તેમની માંગણી ન સ્વીકારી, જેના કારણે તેમને આ નિર્ણય લેવો પડ્યો છે.

આખા પાકિસ્તાનમાં 25 નવેમ્બરે બંધ રહેશે પેટ્રોલ પંપ, ઈમરાન સરકારની આ ભૂલની સજા ભોગવી રહી છે સામાન્ય જનતા
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 5:41 PM

આર્થિક સંકટ (Economic crisis) અને વધતી મોંઘવારી વચ્ચે પાકિસ્તાન સરકાર (Pakistan Government)ની મુશ્કેલીઓ ફરી એકવાર વધવા જઈ રહી છે. દેશમાં ઈંધણની તીવ્ર અછત સર્જાઈ શકે છે. અહીં ઓલ ઈન્ડિયા પાકિસ્તાન પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશન (PPDA) એ જાહેરાત કરી છે કે તે 25 નવેમ્બર (Pakistan Fuel Shortage) ના રોજ દેશવ્યાપી હડતાળ કરશે. કારણ કે સરકાર ડીલરોના નફામાં 6 ટકાનો વધારો કરવામાં નિષ્ફળ રહી છે. એસોસિએશનના માહિતી સચિવ નૌમાન અલીએ કહ્યું કે 25 નવેમ્બરે દેશભરમાં પેટ્રોલ પંપ (Petrol Pumps) બંધ રહેશે. તેમણે કહ્યું કે સરકારે તેમની માંગણી ન સ્વીકારી, જેના કારણે તેમને આ નિર્ણય લેવો પડ્યો છે.

અલીના મતે જ્યાં સુધી સરકાર નફો 6 ટકા વધારશે નહીં ત્યાં સુધી તેમની સાથે કોઈ વાત કરવામાં આવશે નહીં. સરકાર પેટ્રોલ ડીલરોના માર્જિનમાં વધારો કરવામાં આનાકાની કરી રહી છે. આ પહેલા 5 નવેમ્બરે આ લોકોએ દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું હતું. જો કે, 3 નવેમ્બરે, તેમણે તેમ ન કરવાનો નિર્ણય લીધો કારણ કે ઉર્જા પ્રધાન હમાદ અઝહરની આગેવાની હેઠળની સરકારી ટીમ થોડા દિવસોમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના વેચાણમાં નફો વધારવા માટે સંમત થઈ હતી.

સરકારે સમિતિની રચના કરી

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ બેઠકમાં, પેટ્રોલિયમ સચિવ ડૉ. અરશદ મહમૂદના નેતૃત્વ હેઠળ એક સમિતિની પણ રચના કરવામાં આવી હતી અને તેમાં હિતધારકોને સામેલ કરાયા હતા. જેથી 15 નવેમ્બર સુધીમાં ECC અને ફેડરલ કેબિનેટની મંજૂરી દ્વારા નફામાં વધારો કરવાના કરારના અમલીકરણની ખાતરી કરી શકાય. (Pakistan Petrol Crisis). સરકારની ટીમમાં ઓઈલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટી (OGRA) ના ચેરમેન અને ડાયરેક્ટર જનરલ પણ સામેલ હતા. ડીલરોને આશ્વાસન આપવા છતાં તેમની માંગણી સંતોષવામાં આવી નથી, જેના કારણે આ લોકોમાં સરકાર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સરકારે કોઈ રસ્તો છોડ્યો નથી

પીપીડીએના પ્રવક્તાએ કહ્યું, “અમારી પાસે હડતાળ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. કારણ કે સરકાર 17 નવેમ્બરની સમયમર્યાદા સુધી અમારી માંગણી સ્વીકારવામાં નિષ્ફળ રહી છે. PPDAના અધ્યક્ષ અબ્દુલ સામી ખાનનું કહેવું છે કે પેટ્રોલ ડીલરો વધતી કિંમતો અને ઓછા નફાને કારણે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે વીજળીના ભાવ પણ વધી રહ્યા છે. પરંતુ સરકારે ઈંધણ તેલના વેચાણ પર માત્ર 2 ટકા નફાની ખાતરી આપી છે. તેમણે ત્યાં સુધી કહ્યું કે સરકારે તેમના લાઇસન્સ રદ કરી દેવા જોઈએ, તો 50 ટકા પેટ્રોલ પંપ આપોઆપ બંધ થઈ જશે કારણ કે કોઈ ફરીથી અરજી કરશે નહીં.

આ પણ વાંચો: બ્રિટનના ખેડૂતોએ ગાયના છાણમાંથી બનાવી બેટરી, આખું વર્ષ જગમગાવી શકે છે 3 ઘર

આ પણ વાંચો: જર્મન પુરાતત્વવિદોને ઈઝરાયેલમાથી 12 હજાર વર્ષ જૂની એવી વસ્તુ મળી જેને જોતા જ બધા સ્તબ્ધ થઈ ગયા!

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">