‘ઓપરેશન સિંદૂર’ના ડરથી પાકિસ્તાનના મેજર સંસદમાં રડી પડ્યા, કહ્યું પાકિસ્તાનની હાલત….
હાલના સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. રાજકીય નિવેદનો, મિડિયા રિપોર્ટ્સ અને લશ્કરી હલચલ વચ્ચે લોકોમાં ભય અને ચિંતાનો માહોલ બન્યો છે.

હાલના સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. રાજકીય નિવેદનો, મીડિયા રિપોર્ટ્સ અને લશ્કરી હલચલ વચ્ચે લોકોમાં ભય અને ચિંતાનો માહોલ બન્યો છે. આવી સ્થિતિમાં, ભૂતપૂર્વ પાકિસ્તાની મેજર તાહિર ઇકબાલનું પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં સંબોધન કરતો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ ભાવુક થયા છે અને તેમના દેશને કહે છે કે, આ સમય હવે રબને યાદ કરવાનો છે.
શું કહ્યું ભૂતપૂર્વ પાકિસ્તાની મેજરે?
તેમણે વધુમાં કહ્યું કે, “બધાને કહીશ કે, રબને યાદ કરે અને પ્રાર્થના કરે કે આ દેશની રક્ષા કરે . અહીંયા અમારી હાલત થઈ છે એ અમને જ ખબર છે, અમે ક્યારેય કલ્પના નહોતી કરી કે અમારી હાલત આવી થશે.”
તેમના આ નિવેદનથી એ સ્પષ્ટ થાય છે કે, તેમના દેશની જનતાને શાંતિ અને સલામતી જોવે છે. તેઓ યુદ્ધથી ડરી ગયા છે. પાકિસ્તાનના સંસદમાં બેઠેલા ભૂતપૂર્વ પાકિસ્તાની મેજર તાહિર ઇકબાલનું આ નિવેદન દર્શાવે છે કે, ભારતના હુમલાથી પાકિસ્તાનના પરસેવા છૂટી ગયા છે.
ભારતનો આકરો જવાબ
જણાવી દઈએ કે, 7-8 મેની રાત્રે ભારતના ઉત્તરી અને પશ્ચિમી લશ્કરી થાણાઓ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન અને મિસાઇલ હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાનની પરિસ્થિતિ પાયાવિહોણી કરી નાખી છે. ભારતે ચેતવણી આપી છે કે, પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવતી કોઈપણ ઉશ્કેરણીનો કડક જવાબ આપવામાં આવશે.
7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક વિશે વધારે માહિતી માટે આ પેજને ફોલો કરતા રહો. અહીં ક્લિક કરો.