AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનના વિદેશ પ્રધાનનું ઉંઘમાં નિવેદન, યુક્રેનને કહ્યું તમારી સેનાને પાછી વાળો, મંત્રણાથી યુદ્ધ ખતમ થશે

પાકિસ્તાનના વિદેશ પ્રધાને તેમના યુક્રેનિયન સમકક્ષ સાથે ફોન પર વાત કરી છે. આ દરમિયાન તેમણે તાજેતરના સંઘર્ષ પર પાકિસ્તાનનો અભિપ્રાય શેર કર્યો.

પાકિસ્તાનના વિદેશ પ્રધાનનું ઉંઘમાં નિવેદન, યુક્રેનને કહ્યું તમારી સેનાને પાછી વાળો, મંત્રણાથી યુદ્ધ ખતમ થશે
Pakistan Foreign Minister Shah Mahmood Qureshi
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 10:25 AM
Share

Russia Ukraine Conflict: રશિયા અને યુક્રેન (Russia Ukraine Conflict) વચ્ચે યુદ્ધ ચાલુ છે. યુક્રેને વારંવાર વાતચીતનો માર્ગ માંગ્યો પરંતુ રશિયા રાજી ન થયું અને ગુરુવારે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(President Vladimir Putin)ના આદેશ પર યુક્રેન પર હુમલો કરવાનું શરૂ કર્યું. આ યુદ્ધનો આજે પાંચમો દિવસ છે અને રશિયન સેના (Russian Army) યુક્રેનને ચારે બાજુથી નિશાન બનાવીને રાજધાની કિવ પર કબજો કરવાનો પ્રયાસ કરી રહી છે. આમ છતાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી(Pakistan Foreign Minister Shah Mahmood Qureshi)એ એક અજીબ વાત કહી છે. રશિયાને બદલે તેણે યુક્રેનને સેના પાછી ખેંચી લેવા કહ્યું છે.

નોંધનીય છે કે હુમલા પહેલા છેલ્લા ઘણા મહિનાઓથી રશિયન સેના યુક્રેનની સરહદ પર તૈનાત હતી, જેના કારણે યુદ્ધની સંભાવના હતી. યુક્રેન અને પશ્ચિમી દેશોની વારંવાર વિનંતીઓ છતાં તેને દૂર કરવામાં આવ્યો ન હતો. પરંતુ પાકિસ્તાની મંત્રીના નિવેદન પરથી એવું લાગી રહ્યું છે કે તેમને કંઈ જ ખબર નથી. કુરેશીએ યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રી કુલેબા સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન, તેમણે તેમની વાતચીતમાં ‘ડી-એસ્કેલેશન’ (સૈનિકોને પાછા ખેંચવાની પ્રક્રિયા) ના મહત્વને રેખાંકિત કર્યું.તે કદાચ ભૂલી ગયા હતા કે તેણે આ વાત રશિયાને કહેવાની હતી, કારણ કે હુમલો યુક્રેન પર થયો છે. યુક્રેન પર હુમલો થયો તે સમયે ઈમરાન રશિયામાં હતા.

પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, યુક્રેનના કુલેબા સાથે પાકિસ્તાની મંત્રીની ટેલિફોનિક વાતચીત અંગે, વિદેશ કાર્યાલયના પ્રવક્તાએ કહ્યું, “વિદેશ મંત્રી કુરેશીએ પાકિસ્તાનના વિચારો શેર કર્યા છે. તેમણે ડિ-એસ્કેલેશનના મહત્વ પર ભાર મૂક્યો હતો અને પરિસ્થિતિ પર ગંભીર ચિંતાનો પુનરોચ્ચાર કરતી વખતે કૂટનીતિની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. પ્રવક્તા અનુસાર, વિદેશ પ્રધાન કુરેશીએ તેમના યુક્રેનિયન સમકક્ષને જાણ કરી હતી કે વડાપ્રધાન ઇમરાન ખાને તાજેતરમાં મોસ્કોની મુલાકાત લીધી હતી.

કુરેશીને ટાંકીને, પ્રવક્તાએ કહ્યું કે પાકિસ્તાની વડા પ્રધાને “આશા રાખી હતી કે રાજદ્વારી દ્વારા લશ્કરી સંઘર્ષ ટાળી શકાય છે.” પ્રવક્તાએ કહ્યું કે ઈસ્લામાબાદ માને છે કે વિવાદો વાતચીત અને રાજદ્વારી દ્વારા ઉકેલવા જોઈએ. પાકિસ્તાની મંત્રીએ યુક્રેનમાં પાકિસ્તાની સમુદાય અને વિદ્યાર્થીઓને બહાર કાઢવા અને તેમના ઘરે પરત ફરવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">