AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan News: પાકિસ્તાનના વડાપ્રધાનનો વિડિયો વાયરલ, કહ્યું કે ઈમરાન ખાનને પગમાં ગોળી વાગી હતી તો પીએમ કેમ ન કરાવ્યુ ?

ઈમરાન ખાને (Imran Khan)આ હુમલા પાછળ વડાપ્રધાન શાહબાઝ શરીફ અને ગૃહમંત્રી સહિત ત્રણ લોકોને જવાબદાર ઠેરવ્યા હતા. વડાપ્રધાન શરીફના આ નિવેદન બાદ ફરી એકવાર પાકિસ્તાનની ઈજ્જતના ધજાગરા સોશિયલ મીડિયા પર થવા લાગી છે.

Pakistan News: પાકિસ્તાનના વડાપ્રધાનનો વિડિયો વાયરલ, કહ્યું કે ઈમરાન ખાનને પગમાં ગોળી વાગી હતી તો પીએમ કેમ ન કરાવ્યુ ?
Shahbaz-Sharif Pakistan PM (File)Image Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2022 | 1:38 PM
Share

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર તાજેતરમાં માર્ચ દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. ઈમરાન ખાને આ હુમલા પાછળ વડાપ્રધાન શાહબાઝ શરીફ અને ગૃહમંત્રી સહિત ત્રણ લોકોને જવાબદાર ઠેરવ્યા હતા. આ દરમિયાન હવે વડાપ્રધાન શાહબાઝ શરીફનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કહેતા સાંભળવા મળે છે કે જો ઈમરાન ખાનને ગોળી મારવામાં આવી હતી તો પોસ્ટમોર્ટમ કેમ ન થયું?

આ સાથે શાહબાઝ શરીફે કહ્યું છે કે ઈમરાન ખાનનું પોસ્ટમોર્ટમ કેમ ન થયું? તેમને 4 ગોળી કે 8 ગોળી કે 16 ગોળીઓ વાગી, આ વાત તેમણે સમુદાયને જણાવવી જોઈએ. વડાપ્રધાન શાહબાઝ શરીફનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કોઈ કાર્યક્રમનો જણાવવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાન શાહબાઝ શરીફના આ નિવેદન બાદ ફરી એકવાર પાકિસ્તાનની મુશ્કેલી સોશિયલ મીડિયા પર થવા લાગી છે. યુઝર્સ તેના નિવેદનને ફની અંદાજમાં જોઈ રહ્યા છે. કેટલાક લોકોએ ટ્વિટર પર કહ્યું છે કે આખું પાકિસ્તાન કોમેડી શો છે. તેમના નિવેદન માટે ઘણા લોકોએ તેમની ટીકા કરી છે. તમને જણાવી દઈએ કે ઈમરાન ખાને એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે તેમને એક પગમાં ત્રણ ગોળીઓ લાગી છે, જેને ડોક્ટરોએ ઓપરેશનથી કાઢી નાખી છે. આ સાથે બીજા પગમાં ગોળીઓના છરા છે. આ સાથે તેણે આ હુમલા પાછળ વડાપ્રધાન શાહબાઝ શરીફ, ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહ અને સેનાના એક અધિકારીને જવાબદાર ઠેરવ્યા હતા.

ઈમરાન ખાને એમ પણ કહ્યું હતું કે તેમના પર હુમલાનું ષડયંત્ર ઘણા સમય પહેલા જ રચવામાં આવ્યું હતું. તે જ સમયે, પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફની લોંગ માર્ચ, જે ઇમરાન ખાન પરના હુમલાને કારણે ગત સપ્તાહે મુલતવી રાખવામાં આવી હતી, તે ગુરુવારે ફરી શરૂ થશે. પાર્ટીના બે નેતાઓએ સોમવારે આ વાત કહી. લાહોરના જમાન પાર્ક ખાતે પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વાત કરતા ઉપપ્રમુખ શાહ મહેમૂદ કુરેશીએ જાહેરાત કરી કે જ્યાં ખાન પર હુમલો થયો હતો તે જ સ્થળેથી ગુરુવારે લોંગ માર્ચ ફરી શરૂ થશે. તે જ સમયે, અન્ય વરિષ્ઠ નેતા ફૈઝલ જાવેદ ખાને પણ કહ્યું કે પાર્ટીની લોંગ માર્ચ 10 નવેમ્બરે ફરી શરૂ થશે.

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
g clip-path="url(#clip0_868_265)">