AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારતને ધમકી આપનાર વધુ એક PAK આતંકવાદી ખલ્લાસ, જૈશ કમાન્ડર મૌલાના અઝીઝનો મળ્યો મૃતદેહ, જુઓ Video

પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર મૌલાના અબ્દુલ અઝીઝ ઈસરનું રહસ્યમય પરિસ્થિતિઓમાં મૃત્યુ થયું હોવાનું જણાયું છે. બહાવલપુરમાં મૃત મળી આવેલા અઝીઝના મૃત્યુનું કારણ હજુ સ્પષ્ટ નથી.

Breaking News : ભારતને ધમકી આપનાર વધુ એક PAK આતંકવાદી ખલ્લાસ, જૈશ કમાન્ડર મૌલાના અઝીઝનો મળ્યો મૃતદેહ, જુઓ Video
Follow Us:
| Updated on: Jun 03, 2025 | 3:46 PM

પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદ (JeM) ના કમાન્ડર મૌલાના અબ્દુલ અઝીઝ ઇસરનું મૃત્યુ થયું હોવાનું જણાઈ રહ્યું છે. સોમવારે પાકિસ્તાનના બહાવલપુરમાં જૈશના આતંકવાદી અઝીઝ રહસ્યમય પરિસ્થિતિઓમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા એક સોશિયલ મીડિયા એકાઉન્ટે અઝીઝના મૃત્યુ વિશે જણાવ્યું છે.

અઝીઝને તેમના વતન ગામ નૂર અશરફવાલામાં દફનાવવામાં આવશે. અઝીઝનું મૃત્યુ કેવી રીતે થયું તેની ચોક્કસ માહિતી મળી શકી નથી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયું હતું. અઝીઝ તેમના ભારત વિરોધી વલણ માટે જાણીતા હતા. ઓપરેશન સિંદૂર પછી પણ, તેમણે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 18-06-2025
કેટલાક લોકોને વધુ કેમ કરડે છે મચ્છર?
બે વખત બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની ચૂકેલી અભિનેત્રી અરુણા ઈરાનીનો આવો છે પરિવાર
Vastu Tips: મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ કેમ ન વગાડવો જોઈએ?
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના પરિવાર વિશે જાણો
ખાલી પેટે કડવા લીમડાના પાન ખાવાથી કયા રોગો નિયંત્રિત થાય છે?

પાકિસ્તાની અધિકારીઓએ હજુ સુધી અઝીઝના મૃત્યુનો સત્તાવાર રીતે સ્વીકાર કર્યો નથી. મૌલાના અબ્દુલ અઝીઝે ગયા મહિને ભારતને ધમકી આપીને હેડલાઇન્સ બનાવી હતી. તેમણે ભારત પર હુમલો કરવાની અને દેશને અનેક પ્રદેશોમાં વિભાજીત કરવાની ધમકી આપી હતી.

અહીં ઉપર આવામાં આવેલો વીડિયો જે તે સમયે જ્યારે  મૌલાના અઝીઝએ ભારતને ધમકી આપી હતી ત્યારનો છે. મહત્વનું છે કે ભારત સામે ખરાબ નજરે જોનાર આતંકીઓની આ જ રીતે તેના જ ઇલાકામાં મોત થઈ રહ્યા છે.

ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે જે શહેરોમાં હુમલો કર્યો તેમાં બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદનું મુખ્યાલય પણ સામેલ હતું. આવી સ્થિતિમાં ઓપરેશન સિંદૂર બાદ અઝીઝ નારાજ હતો.

અબ્દુલ અઝીઝ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ભાક્કર જિલ્લાના અશરફવાલનો રહેવાસી હતો. તે લાંબા સમયથી જૈશ સાથે સંકળાયેલો હતો અને જૂથના ટોચના આતંકવાદીઓમાંનો એક હતો. તેને ભારતમાં ઘણા આતંકવાદી હુમલાઓનું કાવતરું ઘડવાનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે. મૌલાના અઝીઝના મૃત્યુને જૈશ માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. જોકે, પાકિસ્તાનના મીડિયા, સેના અને સરકારમાં તેના મૃત્યુ અંગે મૌન છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">