AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan News : બુશરા બીબી સાથે ઇમરાન ખાનના લગ્ન ઇસ્લામિક શરિયા કાયદા અનુસાર નથી, મૌલવીનો કોર્ટમાં ખુલાસો !

Pakistan News :ઈમરાન ખાન અને બુશરા બીબીના લગ્ન કરાવનાર મૌલવીએ મોટો ખુલાસો કર્યો છે, જે બાદ આ બંનેના લગ્ન ફરી ચર્ચામાં આવી ગયા છે.

Pakistan News : બુશરા બીબી સાથે ઇમરાન ખાનના લગ્ન ઇસ્લામિક શરિયા કાયદા અનુસાર નથી, મૌલવીનો કોર્ટમાં ખુલાસો !
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2023 | 4:57 PM
Share

ઈસ્લામાબાદ : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના સુપ્રીમો ઈમરાન ખાન ફરી એકવાર બુશરા બીબી સાથેના લગ્નને લઈને ચર્ચામાં આવ્યા છે. સ્થાનિક અહેવાલો અનુસાર, તેમના લગ્ન કરનાર એક મૌલવીએ ખુલાસો કર્યો છે કે બુશરા બીબી સાથે ઇમરાન ખાનના લગ્ન ઇસ્લામિક શરિયા કાયદા અનુસાર નથી. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

જણાવી દઈએ કે ઈમરાન ખાન અને બુશરા બીબીના લગ્ન મૌલવી મુફ્તી સઈદે કર્યા હતા. પરંતુ હાલમાં જ તેણે આ બંનેના વૈવાહિક સંબંધો પર મોટો ખુલાસો કર્યો છે. વાસ્તવમાં આ ખુલાસો ઈસ્લામાબાદ કોર્ટની અરજીની સુનાવણી દરમિયાન કર્યો છે.

મોહમ્મદ હનીફ નામના વ્યક્તિએ ઈસ્લામાબાદ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેણે ઈમરાન ખાન અને બુશરા બીબીના લગ્ન પર સવાલ ઉઠાવ્યા છે. આની સુનાવણી દરમિયાન મૌલવી મુફ્તી સઈદે કોર્ટની સામે કહ્યું છે કે શરિયા કાયદા મુજબ તેણે લગ્ન કર્યા નથી.

મૌલવીએ કહ્યું કે બુશરા બીબીના લગ્ન ઇદ્દતના સમયગાળા દરમિયાન થયા હતા. આ તે સમય છે જ્યારે મુસ્લિમ મહિલાના પતિનું મૃત્યુ થાય છે અથવા તેમની વચ્ચે તલાક થઈ જાય છે, તો તે સમય દરમિયાન ઈદ્દતનો સમયગાળો કહેવામાં આવે છે. આ સમયે સ્ત્રીઓ અન્ય કોઈ સાથે લગ્ન કરી શકતી નથી, તે સ્ત્રીઓ માટે શોકના સમયગાળા તરીકે રાખવામાં આવે છે.

આ પણ વાંચો : મોઝામ્બિક પ્રવાસ પર છે વિદેશ મંત્રી એસ જયશંકર,’મેડ ઇન ઇન્ડિયા’ ટ્રેનમાં કરી મુસાફરી

એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, મૌલવીએ વધુમાં કહ્યું કે તેને તેના લગ્ન વાંચવા માટે ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટીમાં લાવવામાં આવ્યો હતો. બુશરા બીબીની બહેન હોવાનો દાવો કરતી મહિલાએ આ માટે પરવાનગી આપી ત્યારે જ તે નિકાહ પઢવા માટે રાજી થયો હતો. જણાવી દઈએ કે ઈમરાન ખાનના લગ્ન બુશરા બીબી સાથે 1 જાન્યુઆરી 2018ના રોજ થયા હતા.

પાછળથી ભૂલ સમજાઈ

ઈમરાન ખાનને વિશ્વાસ હતો કે બુશરા સાથે લગ્ન કરવાથી તેમને વડાપ્રધાન બનવામાં મદદ મળશે. તેથી જ તે બધું જાણતો હોવા છતાં તેના માટે સંમત થયા. જોકે, લગ્નના એક મહિના પછી, ફેબ્રુઆરી 2018 માં, ઇમરાને ફરીથી મૌલવીનો સંપર્ક કર્યો અને તેને લગ્ન ફરીથી વાંચવા વિનંતી કરી. મૌલવીએ કહ્યું કે બાદમાં ઈમરાન ખાનને તેની ભૂલનો અહેસાસ થયો અને તેણે કહ્યું કે પહેલા જે લગ્ન થયા હતા તે શરિયા કાયદા હેઠળ નથી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">