AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજથી ફરી શરૂ થશે PTIની લોંગ માર્ચ, જાણો ક્યારે જોડાશે ઈમરાન ખાન

ઈમરાન ખાને (IMRAN KHAN)મંગળવારે લોંગ માર્ચ ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ બાદમાં પાર્ટીએ નિર્ણય બદલ્યો અને ગુરુવારથી માર્ચ શરૂ કરવાનો નિર્ણય કર્યો. માર્ચ 10 થી 14 દિવસમાં રાવલપિંડી પહોંચશે અને ખાન ત્યાં જોડાશે.

આજથી ફરી શરૂ થશે PTIની લોંગ માર્ચ, જાણો ક્યારે જોડાશે ઈમરાન ખાન
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન (ફાઇલ)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2022 | 9:18 AM
Share

પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ ગુરુવારે પંજાબ પ્રાંતના વજીરાબાદ વિસ્તારમાંથી તેની અટકેલી લોંગ માર્ચ ફરી શરૂ કરવા માટે તૈયાર છે. ગયા અઠવાડિયે વજીરાબાદ વિસ્તારમાં ખાન પર હુમલો થયા બાદ કૂચ પાછી ખેંચી લેવામાં આવી હતી. હુમલામાં 70 વર્ષીય ઈમરાન ખાનને જમણા પગમાં ગોળી વાગી હતી. બે હથિયારધારી શખ્સોએ આ હુમલો કર્યો હતો. ખાનની ચેરિટેબલ સંસ્થાની માલિકીની શૌકત ખાનમ હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી છે. ડોક્ટરોએ તેમને ચારથી છ અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપી છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

ઈમરાન ખાને મંગળવારે લોંગ માર્ચ ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ બાદમાં પાર્ટીએ નિર્ણય બદલ્યો અને ગુરુવારથી માર્ચ શરૂ કરવાનો નિર્ણય કર્યો. માર્ચ 10 થી 14 દિવસમાં રાવલપિંડી પહોંચશે અને ખાન ત્યાં જોડાશે. પંજાબના નેતા અને આરોગ્ય મંત્રી ડૉ. યાસ્મિન રશીદે બુધવારે પીટીઆઈને જણાવ્યું કે, પીટીઆઈના ઉપાધ્યક્ષ અને પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી ગુરુવારે બપોરે 2 વાગ્યે (સ્થાનિક સમય) વજીરાબાદથી કૂચનું નેતૃત્વ કરશે.

ઈમરાન ચૂંટણીની માંગ માટે લોંગ માર્ચ કરી રહ્યા છે

“લોંગ માર્ચ ગોળીબારમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકો માટે પ્રાર્થના સાથે ફરી શરૂ થશે,” તેમણે કહ્યું. આ વર્ષે એપ્રિલમાં નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયા બાદ ઈમરાન ખાનને વડાપ્રધાન પદ પરથી હટાવવામાં આવ્યા હતા, ત્યારથી તેઓ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીની માંગ કરી રહ્યા છે. આ માંગ માટે તેમણે લોંગ માર્ચ કાઢી છે. જો કે, વડા પ્રધાન શાહબાઝ શરીફની આગેવાની હેઠળની સંઘીય સરકાર હાલમાં ચૂંટણી યોજવાનો વિરોધ કરી રહી છે. વર્તમાન નેશનલ એસેમ્બલીનો કાર્યકાળ ઓગસ્ટ 2023માં સમાપ્ત થશે.

ઈમરાન ખાનનો હુમલાખોર પોલીસ કસ્ટડીમાં

ઈમરાન ખાન પર હુમલો કરનારા બે બંદૂકધારીઓમાંથી એકનું મોત થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે હુમલાખોરે ગોળી મારી હતી તેણે AK-47 વડે ઈમરાન પર ગોળીબાર કર્યો હતો. તે જ સમયે, સ્થળ પરથી એક હુમલાખોરની ધરપકડ કરવામાં આવી હતી, જે હાલમાં પોલીસની કસ્ટડીમાં છે. આરોપીએ જણાવ્યું હતું કે તેને હુમલા માટે કોઈએ ઉશ્કેર્યો ન હતો, પરંતુ તેણે જ તેની યોજના બનાવી હતી અને હુમલો કર્યો હતો. આરોપીની ધરપકડ ઈમરાનના જ સમર્થક દ્વારા કરવામાં આવી હતી અને આરોપી હાથમાં પિસ્તોલ લઈને ફરતો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, તેણે ગોળીબાર કર્યો હતો પરંતુ ઈમરાનને ગોળી વાગી ન હતી અને તે ગોળી ચૂકી ગયો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

g clip-path="url(#clip0_868_265)">