પાકિસ્તાનમાં Monkeypox Virus ફેલાઈ રહ્યો છે ? પરંતુ સરકારે તમામ અહેવાલોને નકારી કાઢ્યા, લોકોને સાવચેત રહેવા કહ્યું

Pakistan Monkeypox Virus: પાકિસ્તાનમાં મંકીપોક્સ વાયરસ વિશે ઘણા અહેવાલો આવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ રોગ દેશમાં પહોંચી ગયો છે. જોકે, સરકારે આ અહેવાલોને ફગાવી દીધા છે.

પાકિસ્તાનમાં Monkeypox Virus ફેલાઈ રહ્યો છે ? પરંતુ સરકારે તમામ અહેવાલોને નકારી કાઢ્યા, લોકોને સાવચેત રહેવા કહ્યું
પાકિસ્તાન સરકારે મંકીપોક્સ સંબંધિત અહેવાલોને નકારી કાઢ્યા છેImage Credit source: AFP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2022 | 11:53 AM

પાકિસ્તાનમાં મંકીપોક્સ વાયરસ (Pakistan Monkeypox Virus) ફાટી નીકળ્યાના અહેવાલો છે. પરંતુ સરકારે આ વાતને નકારી કાઢી છે. સરકારે સોમવારે દેશમાં મંકીપોક્સના અહેવાલોને ફગાવી દીધા હતા. જો કે, સરકારે આ પ્રાણીજન્ય અને વાયરસથી ફેલાતા રોગ વિશે વધુ તકેદારી રાખવાનો નિર્દેશ આપ્યો છે. ‘રેડિયો પાકિસ્તાન’ના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા અનુસાર, તમામ રાષ્ટ્રીય અને પ્રાંતીય આરોગ્ય અધિકારીઓને મંકીપોક્સ ચેપના (Monkeypox Infection)દરેક શંકાસ્પદ કેસ વિશે વધુ સતર્ક રહેવા માટે વિશેષ સૂચનાઓ જારી કરવામાં આવી છે.

સમાચાર અનુસાર, ‘અધિકારીએ કહ્યું કે પાકિસ્તાનમાં મંકીપોક્સના મામલા અંગે સોશિયલ મીડિયા પર આવી રહેલા સમાચાર ખોટા છે’ આ રોગનો કોઈ કેસ નોંધાયો નથી. “અમે (પરીક્ષણ) કીટનો ઓર્ડર આપ્યો છે અને તે ટૂંક સમયમાં (અમને) ઉપલબ્ધ થશે,” તેમણે કહ્યું.

કોંગો અને નાઇજીરીયામાં મૃત્યુ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આફ્રિકન દેશ કોંગોમાં આ વર્ષે મંકીપોક્સથી 9 લોકોના મોત થયા છે. જ્યારે નાઈજીરિયામાં આ બીમારીને કારણે એક મૃત્યુ નોંધાયું છે. આ વાયરસનો કહેર ઘણા વર્ષો પછી સામે આવ્યો છે. આ કિસ્સામાં, કોંગોના સંકુરુ આરોગ્ય વિભાગના વડા, ડૉ. એમે એલોન્ગોએ જણાવ્યું હતું કે દેશમાં મંકીપોક્સ વાયરસના 465 કેસની પુષ્ટિ થઈ છે. પશ્ચિમ અને મધ્ય આફ્રિકા આ ​​વાયરસથી સૌથી વધુ પ્રભાવિત છે. એલોન્ગોએ કહ્યું કે કોંગોમાં મરેલા વાંદરાઓ અને ઉંદરોને ખાવાથી આ રોગ ફેલાઈ રહ્યો છે.

દર્દીઓને આઇસોલેશનમાં રાખવામાં આવે છે

અધિકારીએ વધુમાં કહ્યું કે ‘અહીના રહેવાસીઓ જંગલમાં પ્રવેશ કરે છે. તેઓ મૃત વાંદરાઓ, ચામાચીડિયા અને ઉંદરોને ઉપાડે છે, આ મંકીપોક્સના સ્ત્રોત છે.” તેમણે કહ્યું કે મંકીપોક્સના લક્ષણો ધરાવતા લોકોને એકાંતમાં રાખવામાં આવે છે. તેમને આરોગ્ય કેન્દ્રમાં જવા માટે વિનંતી કરવામાં આવી છે. નાઈજીરિયાની રોગ નિયંત્રણ એજન્સીએ કહ્યું કે દેશમાં આ વર્ષે મંકીપોક્સથી મૃત્યુનો પહેલો કેસ મળ્યો છે. એજન્સીએ કહ્યું કે વર્ષ 2022માં આ રોગના 66 શંકાસ્પદ કેસો મળી આવ્યા હતા, જેમાંથી 21માં ચેપની પુષ્ટિ થઈ છે. નાઈજીરિયાના સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ જણાવ્યું કે 40 વર્ષીય દર્દીનું મૃત્યુ નોંધાયું છે. તે અન્ય રોગોથી પણ પીડિત હતો.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">