Pakistan:પાકિસ્તાન સેનાનો દાવો, ભારતની મિસાઈલથી અનેક વિસ્તારોમાં નુકસાન થયું, જુઓ વીડિયો

|

Mar 11, 2022 | 12:30 PM

પાકિસ્તાનની સેનાએ દાવો કર્યો છે કે ભારત તરફથી એક મિસાઈલ તેમના વિસ્તારમાં પડી છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં નુકસાન થયું છે.

Pakistan:પાકિસ્તાન સેનાનો દાવો, ભારતની મિસાઈલથી અનેક વિસ્તારોમાં નુકસાન થયું, જુઓ વીડિયો
પાકિસ્તાન સેનાનો દાવો, ભારતની મિસાઈલથી અનેક વિસ્તારોમાં નુકસાન થયું
Image Credit source: File Photo

Follow us on

Pakistan Army on India Missile: પાકિસ્તાન (Pakistan) ની સેનાએ ગુરુવારે દાવો કર્યો હતો કે, તેણે કથિત રીતે ભારતથી તેના એરસ્પેસમાં આવી રહેલી એક મિસાઈલ શોધી હતી, જે પાકિસ્તાનના પંજાબ (Punjab Province)પ્રાંતમાં પડી હતી. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ બાબર ઈફ્તિખારે (Babar Iftikhar) મીડિયાને જણાવ્યું હતું કે, ‘9 માર્ચે સાંજે 6.43 કલાકે, એક હાઇ-સ્પીડ ઑબ્જેક્ટ ભારતીય ક્ષેત્રમાંથી ઉડાન ભરી અને પાકિસ્તાની ક્ષેત્રમાં પ્રવેશ કરતા પડી હતી.

બાબર ઈફ્તિખારે કહ્યું, ‘મિસાઈલ પડવાને કારણે વિસ્તારોમાં થોડું નુકસાન થયું છે, પરંતુ તેમાં કોઈનું મોત થયું નથી.’ ભારત તરફથી અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. મેજર જનરલ ઈફ્તિખારે જણાવ્યું કે બુધવારે રાત્રે પંજાબના ખાનવાલ જિલ્લાના મિયાં ચન્નુ વિસ્તારમાં અજાણી વસ્તુ (મિસાઈલ) પડી હતી. આની જાણ થતાં જ પાકિસ્તાની વાયુસેનાએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

પાકિસ્તાની સેનાનો દાવો છે કે મિસાઈલ પડી છે

ભારતને કારણ પૂછવામાં આવ્યું હતું, તેમણે કહ્યું, “મિસાઈલની ઉડાનથી પાકિસ્તાન અને ભારત બંનેમાં નાગરિકો જોખમમાં મુકાયા છે. ભારતે જણાવવું જોઈએ કે તેનું કારણ શું છે. તે એક મોટી ઉડ્ડયન દુર્ઘટના બની શકે છે. તે 40,000 ફૂટની ઊંચાઈ પરથી પસાર થઈ રહ્યું હતું. પાકિસ્તાને એવો પણ દાવો કર્યો છે કે આ મિસાઈલ 260 કિમીની ઝડપે તેના ક્ષેત્રમાં આવી હતી.

અગાઉ પણ આવા દાવા કર્યા હતા

પાકિસ્તાન દ્વારા ભૂતકાળમાં પણ આવા અનેક દાવા કરવામાં આવ્યા હતા. જેમાં કોઈ દમ નથી. તે પોતે પણ આતંકવાદના કારણે FATFની ગ્રે લિસ્ટમાં ફસાઈ ગયો છે. મિસાઈલના દાવા પાછળનું બીજું કારણ લોકોનું ધ્યાન હટાવવાનું પણ માનવામાં આવે છે. કારણ કે વધતી મોંઘવારી અને રાજકીય વિખવાદને કારણે વડાપ્રધાન ઈમરાન ખાનની સરકાર આ સમયે તમામ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. વિપક્ષી પાર્ટીઓ સરકાર પર મોટા આરોપો લગાવી રહી છે.

આ પણ વાંચો : PM Narendra Modi Gujarat Visit Live: અમદાવાદ એરપોર્ટ પરથી PM મોદીનો મેગા રોડ શો શરૂ,10 કિમી લાંબા રોડ શોમાં લાખો કાર્યકરોનું અભિવાદન ઝીલતા PM મોદી

 

 

 

Next Article