AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઈક, TTPના ઠેકાણાઓને બનાવ્યા નિશાન, 15 લોકોના મોત

અફઘાનિસ્તાનમાં TTP આતંકવાદીઓની હાજરીને કારણે પાકિસ્તાન અને અફઘાન તાલિબાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ વધી રહ્યો છે. જ્યારે પાકિસ્તાન અફઘાન તાલિબાન પર આ આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ મૂકે છે, તાલિબાન ભારપૂર્વક કહે છે કે તે જૂથને સહકાર આપી રહ્યું નથી.

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઈક, TTPના ઠેકાણાઓને બનાવ્યા નિશાન, 15 લોકોના મોત
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2024 | 7:46 AM
Share

અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતના બર્મલ જિલ્લામાં પાકિસ્તાનના હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા છે. મૃતકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. મીડિયા અહેવાલો અનુસાર, મંગળવારે રાત્રે કરાયેલા હુમલામાં લમન સહિત સાત ગામોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જ્યાં એક પરિવારના પાંચ સભ્યો માર્યા ગયા હતા. સ્થાનિક સૂત્રોએ દાવો કર્યો છે કે, બોમ્બ ધડાકા માટે પાકિસ્તાની જેટ જવાબદાર હતા. અહેવાલો સૂચવે છે કે બરમાલના મુર્ગ બજાર ગામનો નાશ કરવામાં આવ્યો હતો. હવાઈ ​​હુમલાને કારણે ગંભીર પ્રકારે નાગરિક જાનહાનિ થઈ છે અને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયુ છે, જેના કારણે આ પ્રદેશમાં તણાવ વધ્યો છે.

મીડિયા અહેવાલ મુજબ, મંત્રાલયે કહ્યું કે તે તેમની જમીન અને સાર્વભૌમત્વની રક્ષા કરવાનો તેમનો કાયદેસરનો અધિકાર છે, અને વઝિરિસ્તાનના શરણાર્થીઓ લક્ષ્યાંકમાં સામેલ હોવાનો દાવો કરીને હુમલાની નિંદા કરી. જ્યારે પાકિસ્તાની અધિકારીઓએ હવાઈ હુમલાની સત્તાવાર પુષ્ટિ કરી નથી, ત્યારે સૈન્યની નજીકના સુરક્ષા સૂત્રોએ સૂચન કર્યું છે કે આ સ્ટ્રાઈકમાં સરહદ નજીક તાલિબાન સ્થાનોને નિશાન બનાવી હતી.

પાકિસ્તાની સેના પર હુમલો

મીડિયા અહેવાલો અનુસાર, પાકિસ્તાન તાલિબાન અથવા તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ તાજેતરના મહિનાઓમાં પાકિસ્તાની સેના પર તેના હુમલામાં વધારો કર્યો છે, પાકિસ્તાને અફઘાન તાલિબાન પર આ આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો છે. તાલિબાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇનાયતુલ્લાહ ખ્વારજામીએ, પાકિસ્તાનના દાવાને રદિયો આપ્યો હતો અને ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે હવાઈ હુમલામાં નાગરિકો, મોટાભાગે વઝીરિસ્તાનના શરણાર્થીઓ માર્યા ગયા હતા.

મહિલાઓ અને બાળકો સહિત 15 લોકોના મોત

ખ્વારેઝ્મીએ જણાવ્યું હતું કે હુમલામાં ઘણા બાળકો અને અન્ય નાગરિકો શહીદ થયા હતા અને ઘાયલ થયા હતા, જોકે જાનહાનિની ​​સત્તાવાર સંખ્યા આપવામાં આવી નથી. સૂત્રોએ જણાવ્યું કે મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 15 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને સર્ચ ઓપરેશન ચાલુ હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે.

પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે તણાવ

વઝિરિસ્તાનના શરણાર્થીઓ એવા નાગરિકો છે જેઓ પાકિસ્તાનના આદિવાસી વિસ્તારોમાં લશ્કરી કાર્યવાહીને કારણે વિસ્થાપિત થયા હતા. જો કે, પાકિસ્તાનનું કહેવું છે કે TTPના ઘણા કમાન્ડરો અને લડવૈયાઓ અફઘાનિસ્તાન ભાગી ગયા છે, જ્યાં તેમને સરહદી પ્રાંતોમાં અફઘાન તાલિબાન દ્વારા સુરક્ષા આપવામાં આવી રહી છે. અફઘાનિસ્તાનમાં TTP આતંકવાદીઓની હાજરીને કારણે પાકિસ્તાન અને અફઘાન તાલિબાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ વધી રહ્યો છે. જ્યારે પાકિસ્તાન અફઘાન તાલિબાન પર આ આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ મૂકે છે, તાલિબાન ભારપૂર્વક કહે છે કે તે જૂથને સહકાર આપી રહ્યું નથી.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">