નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ, યુકેએ પ્રત્યાર્પણ સામેની છેલ્લી અપીલ ફગાવી

ગયા મહિને, નીરવ મોદીએ બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં ભારતમાં તેના પ્રત્યાર્પણ સામે અપીલ કરવાની પરવાનગી માટે હાઇકોર્ટ સમક્ષ અરજી કરી હતી.

નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ, યુકેએ પ્રત્યાર્પણ સામેની છેલ્લી અપીલ ફગાવી
Nirav Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2022 | 6:12 PM

ભારતનો ભાગેડુ નીરવ મોદી બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં પ્રત્યાર્પણ સામેની અપીલ હારી ગયો છે. આ સાથે જ તેના ભારત પ્રત્યાર્પણનો રસ્તો પણ ઘણી હદ સુધી સાફ થઈ ગયો છે. 9 નવેમ્બરે હાઈકોર્ટે તેના ભારત પ્રત્યાર્પણને લીલી ઝંડી આપી દીધી હતી. તેમની પાસે હવે બ્રિટનમાં કોઈ કાનૂની વિકલ્પ બચ્યો નથી. નીરવ મોદી પર 2018માં પંજાબ નેશનલ બેંકમાં 11 હજાર કરોડ રૂપિયાથી વધુના કૌભાંડનો આરોપ છે. તમને જણાવી દઈએ કે ગયા મહિને નીરવ મોદીએ બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં ભારત પ્રત્યાર્પણ વિરુદ્ધ અપીલ કરવાની પરવાનગી માટે હાઈકોર્ટ સમક્ષ અરજી કરી હતી.

ગયા મહિને, 51 વર્ષીય હીરાના વેપારી નીરવ મોદીએ તેના માનસિક સ્વાસ્થ્યના આધારે દાખલ કરેલી અપીલને ફગાવી દેવામાં આવી હતી.આરોપી તરફથી દલીલ કરવામાં આવી છે કે જો તેને પ્રત્યાર્પણ કરવામાં આવશે તો આત્મહત્યાનું જોખમ છે. જોકે, યુકેની સુપ્રીમ કોર્ટમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપી નીરવ મોદીની અપીલ ફગાવી દેવામાં આવી હતી. નીરવ મોદી હાલમાં લંડનની વેન્ડ્સવર્થ જેલમાં બંધ છે. આ અપીલ ફગાવી દેવાતાં હવે આરોપી પાસે પ્રત્યાર્પણ સામે યુકેમાં કોઈ કાનૂની વિકલ્પ બચ્યો નથી.

નીરવ કયા કેસમાં ફસાયેલો છે?

તમને જણાવી દઈએ કે આ સમગ્ર કૌભાંડ નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંકના અધિકારીઓ સાથે મળીને 13,000 કરોડથી વધુની બેંક છેતરપિંડી કરી હતી.નીરવ મોદી 13 હજાર કરોડથી વધુ રૂપિયાના પીએનબી કૌભાંડનો મુખ્ય આરોપી છે. ભારતીય અધિકારી છેતરપિંડી, મની લોન્ડ્રિંગ પૂરાવા નષ્ટ કરવા અને સાક્ષીઓને ધમકાવવાના આરોપોનો સામનો કરવા માટે નીરવ મોદીને બ્રિટનથી પ્રત્યાર્પિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

નીરવ મોદી હાલ લંડનની વેન્ડ્સવર્થ જેલમાં બંધ છે. કોર્ટમાં કેસમાં તેની હાર બાદ તેના માટે ભારત આવવાનો રસ્તો ઘણી હદ સુધી સાફ થઈ ગયો છે. હીરાના વેપારી નીરવ મોદીએ જ્યારે તે 19 વર્ષનો હતો ત્યારે તેના કાકા મેહુલ ચોક્સી સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. મેહુલ ચોક્સી પર પણ છેતરપિંડી અને કૌભાંડનો આરોપ છે અને ભારતીય તપાસ એજન્સીઓ પણ તેને શોધી રહી છે.

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">