New York News: જયશંકરે યુએનમાં કેનેડાને કહ્યું કે ‘રાજકીય સગવડ માટે આતંકવાદ પર કાર્યવાહી યોગ્ય નથી’

વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jaishankar) કહ્યું કે ભારતે જી-20ની અધ્યક્ષતા સંભાળી છે. એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યના અમારા વિઝન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દુનિયાએ દિલ્હી સમિટની પ્રશંસા કરી. વિદેશ મંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે વિશ્વ અશાંતિના અસાધારણ સમયગાળાનું સાક્ષી છે. આ સમયે, ભારતે અસાધારણ જવાબદારીની ભાવના સાથે G20 નું પ્રમુખપદ સંભાળ્યું.

New York News: જયશંકરે યુએનમાં કેનેડાને કહ્યું કે 'રાજકીય સગવડ માટે આતંકવાદ પર કાર્યવાહી યોગ્ય નથી'
S Jaishankar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2023 | 8:28 PM

વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jaishankar) મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં સંબોધન કર્યું. વિદેશ મંત્રી એસ. જયશંકરે તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી G20 સમિટની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે દિલ્હી સમિટે દુનિયાને બતાવ્યું કે વાતચીત જ દરેક બાબતનો ઉકેલ છે. જયશંકરે કહ્યું કે, એવા સમયે જ્યારે પૂર્વ-પશ્ચિમ ધ્રુવીકરણ આટલું તીવ્ર છે અને ઉત્તર-દક્ષિણ વિભાજન આટલું ઊંડું છે, નવી દિલ્હી સમિટ એ પણ પુષ્ટિ કરે છે કે રાજદ્વારી અને સંવાદ જ એકમાત્ર અસરકારક ઉકેલ છે. એવા દિવસો ગયા જ્યારે કેટલાક દેશોએ એજન્ડા સેટ કર્યો અને અન્ય લોકો તેને અનુસરશે તેવી અપેક્ષા રાખી.

વિદેશ મંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે વિશ્વ અશાંતિના અસાધારણ સમયગાળાનું સાક્ષી છે. આ સમયે, ભારતે અસાધારણ જવાબદારીની ભાવના સાથે G20નું પ્રમુખપદ સંભાળ્યું. એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યના અમારા વિઝન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘણા લોકોની મુખ્ય ચિંતા માત્ર થોડા લોકોના સંકુચિત હિતો છે.

‘અમે આફ્રિકન યુનિયનને G20નું સભ્ય બનાવ્યું’

હેલિકોપ્ટરને હિંદીમાં શું કહે છે, આજે જાણી લો અસલી નામ
આજનું રાશિફળ તારીખ : 05-10-2024
પત્નીએ કરી હતી આત્મહત્યા, હવે માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત
પ્રેમાનંદ મહારાજે જણાવ્યા ઘરના કલેશથી મુક્તિ મેળવવાના ઉપાયો
દારૂ પીવા કરતાં પણ વધુ ખતરનાક છે બદામ ખાવાની ખોટી રીત, સદગુરુએ જણાવી સાચી રીત
જો આ 3 જગ્યાએ ઘર બનાવશો તો મુશ્કેલી ક્યારેય નહીં છોડે તમારો સાથ

વિદેશ મંત્રીએ કહ્યું કે એ પણ નોંધનીય છે કે આફ્રિકન યુનિયન ભારતની પહેલ પર G20નું કાયમી સભ્ય બન્યું. આ કરીને અમે સમગ્ર ખંડને અવાજ આપ્યો, જેનો તે લાંબા સમયથી હકદાર છે. તેમને કહ્યું કે, અમે વોઈસ ઓફ ધ ગ્લોબલ સાઉથ સમિટ બોલાવીને પ્રમુખપદની શરૂઆત કરી હતી. આનાથી અમે 125 દેશોની સીધી વાત સાંભળી શક્યા અને તેમની ચિંતાઓ G20 એજન્ડામાં મૂકી. પરિણામે, વૈશ્વિક ધ્યાનને પાત્ર એવા મુદ્દાઓ ન્યાયી સુનાવણી મેળવે છે. ચર્ચાઓએ એવા પરિણામો આપ્યા છે જે આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ખૂબ મહત્વ ધરાવે છે.

જયશંકરે કહ્યું, ભારતના G20 પ્રમુખપદ દરમિયાન સમિટમાં મુશ્કેલ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને સામૂહિક પગલાં પર ભાર મૂકવામાં આવ્યો હતો. G20 નેતાઓની સમિટના સફળ પરિણામોનો ઉલ્લેખ કરતા વિદેશ મંત્રીએ કહ્યું કે, જ્યારે આપણે કહીએ છીએ કે એક વિશ્વ, એક પરિવાર, એક ભવિષ્ય, ત્યારે વિશ્વ આપણામાં વિશ્વાસ કરે છે. આજે ભારતને એક ઉકેલ પ્રદાતા તરીકે જોવામાં આવે છે જે વિભાજનને દૂર કરે છે.

જયશંકરે જણાવ્યું હતું કે અમે ઉત્તર-દક્ષિણ વિભાજન અને પૂર્વ-પશ્ચિમ ધ્રુવીકરણને દૂર કરવામાં અને વિશ્વના સૌથી શક્તિશાળી દેશોને આજે માનવતા સામેના પડકારોનો સામનો કરવા અને ઉકેલવા માટે પ્રોત્સાહિત કરવામાં સફળ રહ્યા છીએ. તેમને કહ્યું કે, એવું કહેવામાં અતિશયોક્તિ નહીં થાય કે ભારતના G20 પ્રમુખપદ દરમિયાન મુશ્કેલ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને સામૂહિક પગલાં પર ભાર મૂકવામાં આવ્યો હતો.

કેનેડાનું નામ લીધા વગર સાધ્યું નિશાન

યુએનના મંચ પરથી વિદેશ મંત્રીએ કેનેડાનું નામ લીધા વગર તેના પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે આપણે એ પણ સ્વીકારવું જોઈએ નહીં કે રાજકીય સગવડ આતંકવાદ, ઉગ્રવાદ અને હિંસાનો પ્રતિભાવ નક્કી કરે છે. જ્યારે વાસ્તવિકતા રેટરિકથી દૂર રહે છે, ત્યારે આપણે તેને ઉજાગર કરવાની હિંમત હોવી જોઈએ. વિદેશ મંત્રીનું આ નિવેદન ભારત અને કેનેડા વચ્ચે બગડતા સંબંધો વચ્ચે આવ્યું છે. બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ માટે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો જવાબદાર છે. તેણે જૂનમાં ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ગણાવ્યું હતું. ટ્રુડોએ સંસદમાં ભારત પર આરોપ લગાવ્યા હતા. જોકે, ભારતે ટ્રુડોના આરોપોને ફગાવી દીધા હતા.

ન્યૂયોર્કની મુલાકાતે આવેલા વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે ગઈકાલે સંયુક્ત રાષ્ટ્રસંઘના મુખ્યાલય ખાતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરી હતી. તેઓએ ભારતના G20 અધ્યક્ષપદના પરિણામોની તેમની પ્રશંસાને આવકારી હતી. આ સાથે ડૉ. જયશંકર યુએન હેડક્વાર્ટર ખાતે યુએનના સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસને પણ મળ્યા હતા. બંને નેતાઓએ યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એજન્ડાને મજબૂત કરવા માટે ભારતના G20 પ્રેસિડેન્સીએ કેવી રીતે યોગદાન આપ્યું છે તેની ચર્ચા કરી હતી.

ડૉ. જયશંકરે કહ્યું કે ભારત અને સંયુક્ત રાષ્ટ્ર એક વર્ષથી વધુ સમયથી આ સંબંધમાં સાથે મળીને કામ કરી રહ્યા છે. તેમણે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓમાં સુધારા માટે યુએન સેક્રેટરી-જનરલની પ્રતિબદ્ધતાની પણ પ્રશંસા કરી હતી. વધુમાં ડો. જયશંકર મેડાગાસ્કરના વિદેશ મંત્રીને પણ મળ્યા હતા. બંને નેતાઓએ વિકાસ પર ભાગીદારી, બરછટ અનાજ અને ચોખાના ઉત્પાદનમાં સહયોગ, ડિજિટલ સેવાઓ અને સંરક્ષણ અંગે ચર્ચા કરી હતી.

આ પણ વાંચો: Toronto News: કેનેડાની આ ટોપની યુનિવર્સિટીએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યું સમર્થન, કહ્યું ‘અમે તમારી સાથે છીએ’

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
g clip-path="url(#clip0_868_265)">