યુક્રેનની સરહદ પર મોર્ટારનો મારો, ઝપેટમાં આવેલા ગૃહમંત્રી અને સૈન્ય અધિકારીઓએ, આશ્રયસ્થાનમાં છુપાઈને બચાવ્યો જીવ

Russia-Ukraine Tensions: યુક્રેને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) પર આરોપ લગાવ્યો છે કે તેમના કારણે આ ક્ષેત્રમાં તણાવ વધી રહ્યો છે.

યુક્રેનની સરહદ પર મોર્ટારનો મારો, ઝપેટમાં આવેલા ગૃહમંત્રી અને સૈન્ય અધિકારીઓએ, આશ્રયસ્થાનમાં છુપાઈને બચાવ્યો જીવ
Denys Monastyrskiy, Ukraine's Interior Minister
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 7:10 AM

પૂર્વી યુક્રેનમાં (Ukraine) સંઘર્ષવાળા વિસ્ચારના પ્રવાસ દરમિયાન, ટોચના યુક્રેનિયન સૈન્ય અધિકારીઓને નિશાન બનાવીને તોપમારો થયો હતો. એક ડઝન જેટલા મોર્ટાર શેલ યુક્રેનના ગૃહ પ્રધાન ડેનિસ મોનાસ્ટીરસ્કીથી (Denys Monastyrskiy) થોડાક અંતરે દૂર પડ્યા હતા. આ દરમિયાન મંત્રી ફ્રન્ટલાઈન પર પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. મોર્ટારના હુમલાથી બચવા મંત્રીને આશ્રય લેવાની ફરજ પડી હતી.

આ ઘટનામાં હજુ સુધી કોઈને ઈજા થવાના સમાચાર નથી. હકીકતમાં, જ્યારે હુમલો થયો ત્યારે મિનિસ્ટર મોનાસ્ટીરસ્કી રશિયન વિદ્રોહીઓ અને યુક્રેનિયન સેનાને અલગ કરતી લાઇનની નજીક ઉભા રહીને આંતરરાષ્ટ્રીય મીડિયાને ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા.

મોર્ટાર હુમલા બાદ પત્રકારો અને અધિકારીઓએ તરત જ ઘટનાસ્થળને ખાલી કર્યુ હતું અને સલામત સ્થળે ખસી ગયા હતા. તાજેતરના દિવસોમાં સરકાર અને અલગતાવાદી દળોએ એકબીજા પર સંઘર્ષ વધારવાનો આરોપ લગાવ્યો છે. યુક્રેને શુક્રવારે વધુ એક સૈનિકના મોતની જાણ કરી હતી. આ દરમિયાન છેલ્લા બે મહિનામાં આ ચોથા સૈનિકનું મોત છે. રશિયન સરહદ પરના લુગાન્સ્ક અને ડોનેત્સ્ક જિલ્લાઓના ભાગો પર કબજો કરી રહેલા રશિયન સમર્થિત બળવાખોરોએ સરકાર પર આરોપ લગાવ્યો છે કે તેઓ તેમને ભગાડવાનું કાવતરું ઘડી રહ્યા છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

વ્લાદિમીર પુતિન પર ઉશ્કેરણીજનક પગલાં લેવાનો આરોપ

જોકે, યુક્રેનનું કહેવું છે કે તેનો આમ કરવાનો કોઈ ઈરાદો નથી. તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) પર આરોપ લગાવ્યો છે કે તેમના કારણે જ આ ક્ષેત્રમાં તણાવ વધી રહ્યો છે. યુક્રેને કહ્યું કે પુતિન જાણી જોઈને ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી રહ્યા છે, જેથી તેમના દ્વારા યુક્રેન પર હુમલો કરવાનું બહાનું મળે. અમેરિકા પહેલા જ કહી ચૂક્યું છે કે રશિયા, યુક્રેન પર હુમલો કરવા માટે આવું કરી શકે છે. આવી સ્થિતિમાં યુક્રેનને સાવધાન રહેવું પડશે. જો કે, રશિયાએ યુક્રેન પર હુમલો કરવાનો સતત ઇનકાર કર્યો છે. પરંતુ સરહદ પર તૈનાત સૈનિકોની સંખ્યાને કારણે કોઈને રશિયાની વાત પર વિશ્વાસ નથી થઈ રહ્યો.

આ પણ વાંચોઃ

Russia-Ukraine: યુક્રેન સંકટ પર વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, રાજદ્વારી એકમાત્ર વિકલ્પ છે, બંને દેશોએ અપનાવવી પડશે સમાધાનની પદ્ધતિઓ

Ukraine Russia Conflict: યુક્રેનમાં રશિયન સૈનિકોનો આતંક, આ શહેરને નુકસાન પહોંચાડ્યું, લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">