AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan : મરિયમ નવાઝ મારી હત્યા કરાવવા માંગે છે, ઈમરાન ખાને લગાવ્યો મોટો આરોપ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને સોમવારે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના વરિષ્ઠ નેતા મરિયમ નવાઝ પર, પોતાની હત્યા કરવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે.

Pakistan : મરિયમ નવાઝ મારી હત્યા કરાવવા માંગે છે, ઈમરાન ખાને લગાવ્યો મોટો આરોપ
Imrankhan, Former Prime Minister of Pakistan (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2022 | 7:16 AM
Share

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને (Imran Khan) સોમવારે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના વરિષ્ઠ નેતા મરિયમ નવાઝ (Maryam Nawaz) પર હત્યા કરવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. ખાને કહ્યું કે મરિયમ “ધાર્મિક કટ્ટરપંથી” અને “સાંપ્રદાયિકતા અને ધાર્મિક નફરતનો પ્રચાર” કરીને તેમની હત્યા કરાવવા માંગતી હતી. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાને વેપારીઓને સંબોધતા કહ્યું, ‘મરિયમ નવાઝે તેમના સાથીઓ સાથે મળીને મારી વિરુદ્ધ સાંપ્રદાયિકતા અને ધાર્મિક નફરતનો પ્રચાર કર્યો, જેથી કોઈ પણ ધાર્મિક કટ્ટરપંથી આનાથી ઉશ્કેરાઈ જાય અને મારી હત્યા કરે.’

ઈમરાન ખાને એમ પણ કહ્યું કે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમ એટલી બેચેન છે કે તે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે પાકિસ્તાનનું ચૂંટણી પંચ (ECP) તેને તોશાખાનાના કેસમાં અયોગ્ય ઠેરવે. આ મામલો ઈમરાન ખાનની સંપત્તિની ઘોષણા દરમિયાન મળેલી ભેટોની વિગતો જાહેર ન કરવા સંબંધિત છે. પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ ક્રિકેટરે કહ્યું, ‘હું મૃત્યુથી ડરતો નથી કારણ કે તે અલ્લાહ દ્વારા નક્કી કરવામાં આવે છે, અન્ય કોઈ દ્વારા નહીં.’

મરિયમે ઈમરાનને ‘શૈતાન’ કહ્યો

લાહોરથી લગભગ 400 કિલોમીટર દૂર રહીમ યાર ખાનમાં ગત શનિવારે યોજાયેલી રેલીમાં, મરિયમ નવાઝે ઈમરાનખાન સામે આક્ષેપ કરતા કહ્યું કે, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના પ્રમુખે મારી હત્યા કરવાનું કાવતરું ઘડવાની વાત પણ કરી હતી. મરિયમે દાવો કર્યો હતો કે, ‘ચાર શખ્સોએ મને ‘બંધ કમરા’માં મારવાનું નક્કી કર્યું હતું “તે (ઈમરાન) પોતાની રાજનીતિ માટે ધર્મનો ઉપયોગ કરી રહ્યો છે અને પોતાના ખોટા પ્રવચનને પ્રોત્સાહન આપી રહ્યો છે. તમારા ધર્મ અને દેશને આ શેતાનથી બચાવો.

ઈમરાને ઓડિયો લીક મામલે શહેબાઝના રાજીનામાની માંગ કરી છે

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને તેમના કેબિનેટ અધિકારીઓ વચ્ચેની અનૌપચારિક વાતચીતની કેટલીક ઓડિયો ક્લિપ સામે આવ્યા બાદ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને સોમવારે વડા પ્રધાન શાહબાઝ શરીફના રાજીનામાની માંગ કરી હતી. પાકિસ્તાનના ઇન્ટેલિજન્સ બ્યુરોએ ઓડિયો ક્લિપ સંદર્ભે સુરક્ષા ક્ષતિની તપાસના આદેશ આપ્યા છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના અધ્યક્ષ ઈમરાન ખાને કહ્યું, “વડાપ્રધાન શાહબાઝ શરીફે તેમના, કેટલાક કેબિનેટ સભ્યો અને સરકારી અધિકારીઓનો ઓડિયો લીક થયા બાદ રાજીનામું આપવું જોઈએ.”

CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
ગ્રીનલેન્ડ પર તકરાર વધી, ટ્રમ્પ એ 8 યૂરોપીયન દેશ પર લાદ્યો 10% ટેરિફ
ગ્રીનલેન્ડ પર તકરાર વધી, ટ્રમ્પ એ 8 યૂરોપીયન દેશ પર લાદ્યો 10% ટેરિફ
બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે, તમે ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેશો
બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે, તમે ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેશો
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
g clip-path="url(#clip0_868_265)">